SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૩ ધર્મતીર્થની વ્યાખ્યા અશુભભાવનો અવશ્ય નાશ થાય; કારણ કે તમારું આચરણ તમારા ભાવો પર જબરદસ્ત અસર કરે છે. તમે હિંસાનું આચરણ કરશો તો ભાવોમાં કઠોરતા આપમેળે આવશે, જયણાની ક્રિયા કરશો તેમ કોમળતાનો ભાવ પ્રગટશે. ક્રિયા કે આચરણ ભાવોને પ્રગટાવવાનું અનન્ય સાધન છે. જૈન મુનિજીવનનો અને શ્રાવકજીવનનો આચાર એવો છે કે જીવ જેમ જેમ પાળતો જાય તેમ તેમ સંક્લિષ્ટ અશુભભાવો ક્ષીણ થતા જાય અને શુભભાવથી આત્મા તરબોળ બનતો જાય. વળી, જૈન સિદ્ધાંત એવો છે કે જેમ જેમ વાંચતો જાય, અભ્યાસ કરતો જાય, જાણતો જાય, તેમ તેમ સાંગોપાંગ તત્ત્વપરિચયથી નિર્ણય થાય કે જગતમાં બેનમૂન તત્ત્વ આ જ છે; અંતરમાં મધ્યસ્થતા, સમતા ક્રમશઃ વધતી જાય. જૈનધર્મને જે આચારથી ઓળખે છે તેના કરતાં સિદ્ધાંતથી ઓળખનાર ઊંચો છે; કેમ કે તેમાં ઊંડાણ ઘણું છે, ખરું રહસ્ય સિદ્ધાંતમાં સમાયેલું છે. આચાર તો સિદ્ધાંતમાંથી નીકળેલી ક્રિયાસ્વરૂપ છે. ' સિદ્ધાંત એ નક્કર તત્ત્વજ્ઞાન છે, જેને આધારિત આચારનું સમગ્ર માળખું ટકેલું છે. સમ્યક્ત્વ પણ તત્ત્વશ્રદ્ધારૂપ જ કહ્યું છે. તીર્થંકરોનું સ્યાદ્વાદમય તત્ત્વજ્ઞાન એટલું નક્કર છે કે દુનિયાનો કોઈ પણ ધર્મ તેની સામે ટક્કર ઝીલી ન શકે. ત્યાં સુધી કહ્યું કે · બીજા ધર્મો આદર્શો સાચા બતાવશે, કદાચ થોડી આચારસંહિતા પણ સારી ઉપદેશે, પણ જૈનધર્મના સિદ્ધાંતોની તોલે તો કોઈ આવે જ નહીં. તમને આચાર અને સિદ્ધાંત વચ્ચેના તફાવતની ખબર હોવી જોઈએ. દરેક ધર્મ અનુયાયીઓને પહેલાં આદર્શ બતાવે અને પછી તે મેળવવાની પ્રવૃત્તિરૂપે આચારસંહિતા બતાવે. જે ધર્મોના આદર્શો ખોટા છે તે ધર્મો તો મૂળથી મિથ્યા છે. અનાર્ય ધર્મો એટલે જ અહિતકારી કહીએ છીએ. આર્યધર્મો આદર્શ સાચા મૂકશે; એટલે દિશા સાચી બતાવે છે, પણ લક્ષ્યબિંદુએ જવા માટે રસ્તો બરાબર બતાવતા નથી. તેમાં ગૂંચવાડો છે. જેટલો આચાર શુદ્ધ તેટલો રસ્તો સારો. પણ જેટલો આદર્શથી વિરુદ્ધ આચાર હોય તેટલો રસ્તો વાંકોચૂકો થાય. દા.ત. હું કહું કે અહિંસા જીવનમાં પાળવા જેવી, પરંતુ આચાર અહિંસાથી વિરુદ્ધનો બતાવું, તો આદર્શ સાથે આચાર tally-બંધબેસતો ન થાય. જ્યાં આવું હોય ત્યાં સમંજવાનું કે લક્ષ્ય સાચું બતાવ્યું, પણ રસ્તો ખોટો બતાવ્યો. સભા : ભૂમિકા પ્રમાણે હિંસાયુક્ત ધર્મ બતાવે તો ? સાહેબજી : જે ભૂમિકામાં જે હિંસાયુક્ત ધર્મ પરંપરાએ મહાઅહિંસાનું સાધન બનતું હોય, તે જ ધર્મ તે ભૂમિકામાં બતાવવો પડે. At a stroke-એક ઝાટકે સર્વ હિંસાનો ત્યાગ બધા સાધકો ન કરી શકે, તેથી જીવનમાં ક્રમિક હિંસાનો ત્યાગ કરનારને તેમની કક્ષા પ્રમાણે હિંસાયુક્ત ધર્મ પણ બતાવવો પડે; પણ તે સાધન તો અંતે અહિંસાનું અવશ્ય બનવું જ જોઈએ. બધા માટે એક સરખો ધર્મ હોય એવું કહેવાય નહીં. ધર્મ કક્ષા પ્રમાણે બદલાય. સંન્યાસીને યોગ્ય ધર્મ સંન્યાસીને દર્શાવાય, પરંતુ ગૃહસ્થને યોગ્ય ધર્મ સંન્યાસીને ન દર્શાવાય. દા.ત. વૈદિકધર્મોમાં લખ્યું કે “અતિથિ દેવો ભવ.” આ વચનને અનુસરીને તેમના સંન્યાસીઓ ગૃહસ્થ અતિથિને ખવડાવે-પીવડાવે, તેનો સત્કાર કરે અને વળી તેને ધર્મ પણ માને; જે આચારમાં ખામીરૂપ १ एतेन वाऽशुद्धः सन् शेषयोरपि' कषच्छेदयोस्तादृशो ज्ञेयः न तत्त्वतः शुद्ध इति (पंचवस्तुक श्लोक १०८१ टीका) २ तेनानेकान्तसूत्रं यद्, यद्वा सूत्रं नयात्मकम् । तदेव तापशुद्धं स्याद्, न तु दुर्नयसंज्ञितम् ।। ५३ ।। (अध्यात्मउपनिषत् प्रकरण शास्त्रयोगशुद्धि अधिकार) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005530
Book TitleDharmtirth Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGangotri Granthmala
Publication Year2007
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy