________________
૧૪)
ધર્મતીર્થની વ્યાખ્યા સ્વાધ્યાયરૂપે પ્રતિદિન સિદ્ધાંત-શાસ્ત્રનો અભ્યાસ કરવાનો છે. તેથી માર્ગમાં પ્રવેશ બાદ જેમ જેમ ભણતો જાય, તેમ તેમ તેને હૃદયમાં પ્રતીતિ થાય કે આવી નય-નિક્ષેપોથી ભરપૂર, અનુયોગ આધારિત, સૂક્ષ્મ તર્કસંગત સિદ્ધાંતની વાતો વિશ્વમાં ક્યાંય મળશે નહીં. કોઈ જીવ કદાચ અલ્પ સત્ત્વના કારણે આ કઠોર સંયમજીવન ન પાળી શકે, આચારમાં થોડી શિથિલતા આવે, સંયમજીવન આજીવન પાળવું દુષ્કર લાગે, તો પણ શાસ્ત્ર ભણેલાને સિદ્ધાંતની અપૂર્વ ઓળખ હોવાથી છોડવું તો અતિ આકરું લાગે; કારણ કે હૃદયમાં પ્રભુશાસન પર એટલો રાગ હોય કે ઝટ છોડી ન શકે. નંદીષેણ, મરીચિ આદિ આનાં પ્રસિદ્ધ દૃષ્ટાંતો છે. અરે ! પ્રભુ પાર્શ્વનાથના સંતાની અનેક સાધુ-સાધ્વી વેષ બદલી પરિવ્રાજક થયા, પણ મરતાં સુધી શાસન ન છોડ્યું; શ્રદ્ધાથી તો તેઓ આજીવન આ શાસનનાં જ પરમ ભક્ત રહ્યાં; કારણ કે તેમને શાસન પર અનહદ રાગ હતો. આ વાત કલ્પસૂત્રમાં પણ આવે છે.
સભા : પૂ. સિદ્ધર્ષિ ગણી મહારાજા તો બૌદ્ધદર્શન ગમી જવાથી શાસન છોડવા તૈયાર થઈ ગયા હતા ને ?
સાહેબજી ઃ તે તો ભ્રમમાં પડ્યા તેથી આવું બન્યું. જૈનશાસનનો સિદ્ધાંત પૂરો સમજ્યા પહેલાં બીજાના સિદ્ધાંતને ઊંડાણથી જાણવા ગયા તેથી ભૂલા પડ્યા. પણ તેમને ગુરુએ જેવી સૂક્ષ્મતાથી જૈન સિદ્ધાંત સમજવા તક આપી કે તરત જ પાછા નિશ્ચલ મનવાળા થઈ ગયા. ઊલટું આ તો એ જ બતાવે છે કે બૌદ્ધદર્શનના સૂક્ષ્મ તત્ત્વજ્ઞાનથી અત્યંત પ્રભાવિત થયેલાને પણ જૈનદર્શનના સિદ્ધાંતો impress-પ્રભાવિત કરી શકે છે, જે જૈનતત્ત્વજ્ઞાનની નક્કરતા અને superiority-ચઢિયાતાપણું બતાવે છે. કોઈ વિદ્વાન તમારી પાસે અન્યધર્મના સિદ્ધાંતોની સચોટ રજૂઆત કરે તો તમે તરત જ પ્રભાવિત થઈ જાઓ; કેમ કે તમને અહીંના સિદ્ધાંતોની ખાસ કોઈ ખબર નથી. અહીંનું પાકે પાયે જાણો પછી તમને કોઈ પ્રભાવિત નહીં કરી શકે. અજ્ઞાનતાના કારણે કોઈ બીજા સિદ્ધાંતોથી પ્રભાવિત થાય તેમાં જૈનદર્શનની કોઈ ઊણપ-અધૂરપ પુરવાર થતી નથી.
જે એક વાર ભાવથી આ શાસનમાં પ્રવેશે અને ઊંડાણ પામે, તેને આ શાસનમાંથી નિર્ગમ અવશ્ય અતિદુષ્કર છે. આ શાસન સર્વાગી-પરિપૂર્ણ-સચોટ છે, તેની આ જ મોટામાં મોટી નિશાની છે કે તેને જે ખરેખર તત્ત્વથી પામ્યા હોય તેને આ શાસન છોડતાં જીવ ચાલે જ નહીં. શાસ્ત્રમાં દૃષ્ટાંત આવે છે કે જેઓ આચાર ન પાળી શક્યા તો સંવિગ્નપાક્ષિક થઈ ગયા, પરંતુ શાસન ન છોડ્યું. પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ લખ્યું કે –
જે મુનિવેશ શકે નવિ છંડી, ચરણકરણગુણ હીણા જી, તે પણ મારગ માંહે ભાખ્યા મુનિગણપક્ષે લીણા જી. તેમને હૃદયમાં શાસનનો રાગ એટલો છે કે આચાર ઓછો પાળી શકે તો પણ શ્રદ્ધાથી આ શાસનને
सूत्रार्थपौरुष्युपदेशनमवसेयम्। अयमभिप्राय:- नैतद् गुणस्थानारंभिणां, नापि ततः परिच्यवमानानां, किन्तु प्रारब्धस्वगुणस्थानकोचितकृत्यानां केवलज्ञानलाभावन्ध्यबीजयोः सूत्रार्थमेव तत्पौरुष्युपदेशः कृतः।।५०२।।
(૩પશપ સ્નોબ૦૨મૂન-ટી)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org