________________
ધર્મતીર્થની વ્યાખ્યા
૧૩૫
તે ધર્મોમાં તારકતા જ નથી. તે ધર્મતીર્થ કહેવડાવવાને લાયક નથી. જે ધર્મો પોતાના અનુયાયીવર્ગને સંસારચક્રમાં ફેરવ્યા કરે, તેમના મોહજન્ય આધિ-વ્યાધિ-ઉપાધિના વમળોને વકરાવે તે ધર્મો ધર્મના નામથી લોકોને છેત૨વાનું કામ કરે છે.
સભા ઃ અનુયાયી લોકોને પાર જ પામવું ન હોય તો તે ધર્મો છેતરનારા કેવી રીતે કહેવાય ?
સાહેબજી ઃ નાનું બાળક ડૉક્ટર પાસે દર્દી તરીકે આવે ત્યારે બાળકને ભાન નથી કે મારે મારો રોગ દૂર કરવો છે અને નીરોગી થવું છે, પણ ડૉક્ટરની જવાબદારી ચોક્કસ છે કે તે બાળકને સર્વ પ્રયત્નથી નીરોગી કરવો. ડૉક્ટર દર્દીને વધારે માંદા પાડવાની પ્રેક્ટીશ કરે છે કે સાજા કરવાની ? તમને રોગના જ ચક્કરમાં નાંખે તેનું નામ ડૉક્ટર છે કે લૂંટારો છે ? તે દવાખાનામાં બેઠો છે શા માટે ? તેમ અહીં પણ લોકોને પાર પામવું હોય કે પાર ન પામવું હોય પણ ધર્મગુરુ તરીકે ઉપદેશકની જવાબદારી છે કે અનુયાયીઓને સાચો રાહ બતાવવો. તેના બદલે ઉપદેશક ઊંધો માર્ગ બતાવે તો તેણે નિશ્ચિતપણે છેતરવાનું કામ કર્યું જ છે, તેમાં શંકાને સ્થાન નથી. જેના ઉપદેશથી અંશમાત્ર પણ તરવાનો સ્કોપ નથી, પ્રેરણારૂપે ખાલી સંસારપોષક વાતો જ છે, તેવા ધર્મોપદેશકો દુનિયાને છેતરનારા જ છે. તેમનામાં તારવાની તાકાત જ નથી. તેમને અનુસરવાથી સંસારનું પરિભ્રમણ જ વધવાનું.
(૪) પ્રવેશ દુર્ગમ, નિર્ગમ દુર્ગમ - જૈનદર્શન :
પરંતુ જે ધર્મો ભવસાગરથી ત૨વાનો આદર્શ ૨જૂ કરે છે, વળી આદર્શને અનુરૂપ અમુક અંશે ઉપદેશમાર્ગદર્શન પણ આપે છે, તે બધાને આપણે ધર્મતીર્થ કહીશું. અર્થાત્ આર્યદર્શનો બધાં ધર્મતીર્થ છે. છતાં સર્વ દર્શનોને એક જ કક્ષામાં નથી ગણ્યાં. તેમની તા૨કતાની દૃષ્ટિએ ભિન્ન ભિન્ન કક્ષા સમજાવવા પૂજ્ય જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે સરસ ઉપમા આપી છે. સમુદ્રમાંથી કાંઠે જવાના રસ્તા ચાર પ્રકારના હોય. સુખે પ્રવેશ, સુખે નિર્ગમ; દુઃખે પ્રવેશ, સુખે નિર્ગમ; સુખે પ્રવેશ, દુઃખે નિર્ગમ; અને દુ:ખે પ્રવેશ, દુઃખે નિર્ગમ. તેમ પ્રત્યેક ધર્મતીર્થનો તા૨કમાર્ગ પણ આ ચાર વિભાગમાં જ સમજવો. તેમાં ચોથી કક્ષાનો માર્ગ તે જ જૈનદર્શન છે અર્થાત્ 'જેમાં દુ:ખેથી પ્રવેશ શક્ય છે અને દુઃખેથી ત્યાગ કરી શકાય કે પાર પામી શકાય તેવો તે માર્ગ છે. અહીં આગળ વધીને એમ કહી શકાય કે સંસારસાગરમાં પ્રથમ તો જૈનધર્મ પામવો જ દુર્લભ છે; કારણ કે વ્યવહા૨થી પણ જૈનશાસન અતિઅલ્પ જીવોને પ્રાપ્ત થાય છે. વળી, શાસન મળ્યા પછી તેમાં પ્રવેશ વધારે દુષ્કર છે અને પ્રવેશ કરેલાને પણ તેનો ત્યાગ અધિક દુષ્કર છે. આ રહસ્ય તમને સમજાવવું છે અને તે તમને બરાબર સ્પષ્ટ બેસી જાય તો જૈનધર્મની સાચી ઓળખ થઈ જાય, તીર્થંકરકથિત કલ્યાણમાર્ગની ઝાંખી રૂપરેખા સમજાઈ જાય.
૧૩:વાવતાર ગુરુત્તામિતિ ઘરમં ચતુર્થ મોક્ષતમ્। નૈનાનાં સાધુનાં રા-દ્વેષ-હ્રષાયે-ન્દ્રિય-પરીષદો-પસńવિનયસ્ય, તથા, अप्रमत्ततया समिति-गुप्ति-शिरोलुञ्चनादिकष्टानुष्ठानस्य दर्शनात् तत्तीर्थस्य दुःखावतारता । सुशास्त्रोक्तनिपुणयुक्तिभिस्तीव्रतरवासनोत्पादनात्, व्रतत्यागे चातिमहतः संसारादिदण्डस्याऽभिधानात् तत्तीर्थस्य दुरुत्तारता ।।४।।
(विशेषावश्यकभाष्य श्लोक १०४०-१०४१ टीका)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org