________________
૧૩૪
ધર્મતીર્થની વ્યાખ્યા છે. શાસ્ત્રમાં તપ-ત્યાગ-સંયમ-ભક્તિ-વિનય-વૈયાવચ્ચ-સ્વાધ્યાય આદિ સર્વ યોગો કરતાં ધ્યાનયોગને કઠણ કહ્યો છે; કારણ કે તેમાં એકાકારતાપૂર્વક ધારાબદ્ધ તીક્ષ્ણ ઉપયોગ પ્રવર્તાવવો પડે, જે સર્વ કર્મોના ક્ષયનું એકમાત્ર અંતિમ સાધન છે. ભવચક્રથી પાર ઊતરવા આ દર્શન ધ્યાનમાર્ગનો જ આગ્રહ રાખનાર હોવાથી બૌદ્ધદર્શનમાં પાર ઊતરવારૂપ નિર્ગમ પણ દુષ્કર છે.
પ્રવેશ દુર્ગમ, નિર્ગમ દુર્ગમ એવું જૈનદર્શન ચોથી કક્ષામાં આવશે, જેનું વર્ણન આગળ કરીશું.
सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं ।
| (સ
તત પ્ર9 To
5-૧)
.
અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા મહામંગલકારી અને સર્વેકૃષ્ટ એવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. સંસારનું અનિત્ય-આભાસિક સુખ તજી, નિત્ય અને વાસ્તવિક એવું મોક્ષનું સુખ મેળવવા જેવું છે :
જે જીવ આ દુઃખમય સંસારથી વ્યથિત ન હોય તેને આ ભીષણ ભવચક્રમાંથી બહાર નીકળવાની કોઈ જરૂર નથી. પરંતુ અનુભવથી આપણે બધા જાણીએ છીએ કે આ સંસાર અનેક આધિ-વ્યાધિ-ઉપાધિથી ભરેલો છે, અનેક સંકડામણો-વિટંબણાઓથી ભરપૂર છે. આ સમજવામાં કોઈને પૂછવા જવાની કે સલાહ લેવાની જરૂર નથી. આ બાબતમાં આપણો પોતાનો અનુભવ જ સાક્ષી છે. આપણે જીવનમાં અત્યાર સુધીમાં અનેક આધિ-વ્યાધિ-ઉપાધિમાંથી પસાર થયા છીએ. જોકે આ તમારો મનુષ્યભવ છે, જે સદ્ગતિ છે; વળી, તમે સાવ ઝુંપડપટ્ટીમાં જન્મ્યા નથી, સમાજના અમુક કક્ષાના વર્ગમાં જન્મ્યા છો, વ્યવહારમાં settled-સ્થિર થયેલા છો, છતાં તમારામાંથી કોઈ એમ નહીં કહી શકે કે મેં જીવનમાં અનેક દુઃખો કે વ્યથા વેક્યાં જ નથી; કેમ કે સંસારનું સ્વરૂપ જ દુઃખમય છે. જન્મથી માંડીને મૃત્યુ સુધી અનેક સંકટોથી ભરેલું સંઘર્ષમય જીવન છે. વળી જેને આનંદ-પ્રમોદનાં સાધનો માનો છો, તે પણ જીવનમાં આભાસિક-ઝાંઝવાના જળ જેવું સુખ બતાવી અલપઝલપમાં અદૃશ્ય થઈ જાય છે. આ તમારો પણ વ્યક્તિગત અનુભવ છે. ભૌતિક જગતમાં આનંદમયસુખમય-તૃપ્તિમય કોઈ ઉત્કટ અવસ્થા જ નથી, તેથી જ આર્યધર્મોએ ભૌતિકતાના ઓછાયા વગરનો નિર્વિકારી મોક્ષ દર્શાવેલ છે અને તે અવસ્થાને પામવા પોતપોતાની રીતે માર્ગ પણ દર્શાવેલ છે. તેમના પ્રમાણે આત્માની આનંદમય, સુખમય, તૃપ્તિમય અવસ્થામાં જ જવા જેવું છે. તે આનંદ-તૃપ્તિની અવસ્થા દરેક આર્યધર્મોએ પોતપોતાની રીતે બતાવી છે. જે ધર્મો સંસારસાગરમાંથી બહાર નીકળવાનો માર્ગ નથી બતાવતા, પરંતુ મોહવાસના-અતૃપ્તિ નવી ઊભી થાય એવો વિકારપોષક માર્ગ દર્શાવે છે, તે નામના જ ધર્મો છે. હકીકતમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org