________________
ધર્મતીર્થની વ્યાખ્યા
૧૩૩ તેમના માટે કહેવાય છે કે ભરયુવાનીમાં રાજપાટનો ત્યાગ કરી, તીવ્ર વૈરાગ્યપૂર્વક, કઠોર તપ-ત્યાગસંયમની બાર વર્ષ સાધના કરી, પરંતુ તેમને તેનાથી કાંઈ આત્મિક ઉપલબ્ધિ થયાનું ભાન ન થયું. તેથી શુષ્ક કાયાકષ્ટનો ત્યાગ કરી તેમણે જીવનમાં મધ્યમમાર્ગ (સરળમાર્ગ) સ્વીકાર્યો, આચારમાં સુગમતા અપનાવી; અને એક વખત ઝાડ નીચે ધ્યાન કરતાં તેમને તત્ત્વજ્ઞાનની ઉપલબ્ધિ થઈ, તેવી તેમના માટે વાત પ્રચલિત છે. જોકે તેમના ઉપદેશમાં આ વાતની છાંટ દેખાય જ છે. બૌદ્ધ સંન્યાસીઓના આચારમાં ખાવા-પીવા અંગે કોઈ સંયમ દૃષ્ટિગોચર થતું નથી. તેઓ તપ-ત્યાગ કે દેહ-ઈન્દ્રિયના દમનને નિરર્થક માને. તેથી દેહ-ઈન્દ્રિયોની સુખશીલતાપોષક આચાર પાળે, ત્રણ ટાઈમ ભોજન, વધારામાં સરબત, ભક્ષ્યાભઢ્યનો કોઈ વિચાર નહીં, મદિરા-માંસ પણ લેવાય. વળી કોમળ શૈયા, અનુકૂળ વસ્ત્ર-પાત્ર અને આરામદાયક વસતિ, એમ બાહ્ય દૃષ્ટિએ સુખશીલ આચાર હોવાથી પ્રવેશ સુગમ. આ વાત વર્તમાન બૌદ્ધ ભિક્ષુના જીવનમાં પણ પ્રત્યક્ષ જોઈ શકાય છે. ભારત બહાર શ્રીલંકા, જાપાન આદિમાં બૌદ્ધ ભિક્ષુકો વણા છે.
આ રીતે સુગમ સંન્યાસમાર્ગ દર્શાવનાર બૌદ્ધદર્શન બહાર નીકળવામાં દુર્ગમ છે; કારણ કે બૌદ્ધધર્મના સિદ્ધાંતો સૂક્ષ્મ તર્કસભર છે. જેનધર્મ સિવાયનાં આર્યદર્શનોમાં સૌથી ઊંડી ફીલોસોફી કોઈની હોય તો તે બૌદ્ધદર્શનની છે. શાસ્ત્રોમાં વ્યુત્પત્તિ કરતાં કહ્યું કે બુદ્ધિપ્રધાન દર્શન તે જ બોદ્ધદર્શન. તેમની ફીલોસોફીમાં એવા સૂક્ષ્મ તર્કો છે કે ભલભલા અટવાઈ જાય; કારણ કે પર્યાયાર્થિકનયના વિભાગરૂપ અંતિમ સૂક્ષ્મ નયોમાંથી નીકળેલું આ દર્શન છે. જેમ નય સૂક્ષ્મ તેમ તેના તર્કો ધારદાર હોય. બૌદ્ધદર્શન સાંગોપાંગ ભણેલા પ્રતિભાસંપન્ન વિદ્વાન સાથે વાદ કરવો પણ અતિદુષ્કર ગણાય છે. બીજા ધર્મના ધુરંધરો પણ તેમના તર્કોથી ડરે. આપણા પૂ. શ્રી સિદ્ધર્ષિ મહારાજ પણ આ દર્શનની તર્કજાળમાં અટવાયા હતા. પૂ. સિદ્ધર્ષિ જેવા સમર્થ પ્રતિભાસંપન્નને પણ પ્રભાવિત કરનાર આ દર્શનના સિદ્ધાંતોની કેટલી વેધકતા હશે તે કલ્પી શકાય છે. તેથી આ દર્શનના તત્ત્વજ્ઞાનનો ગાઢ પરિચય પામ્યા પછી બુદ્ધિમાનને પેદા થતી પ્રીતિ તેનો ત્યાગ દુષ્કર બનાવે છે. તેથી તેના ત્યાગરૂપ નિર્ગમ દુર્ગમ છે. વળી સાધનાની દૃષ્ટિએ કાંઠારૂપ મોક્ષે પહોંચવાનો માર્ગ પણ બૌદ્ધદર્શનમાં દુષ્કર દર્શાવ્યો છે. તેમણે સરળ ભક્તિયોગ કે ભગવદ્ નામસ્મરણકીર્તનને મોક્ષનો શ્રેષ્ઠ ઉપાય નથી બતાવ્યો, પરંતુ ક્ષણિકવાદને માન્ય એવું અતિદુષ્કર ધ્યાનમાર્ગનું વર્ણન કર્યું છે. વૈરાગ્યપૂર્વક સૂક્ષ્મ ધ્યાન દ્વારા ચિત્તની સર્વ સંક્લિષ્ટ વૃત્તિઓનો આમૂલ ક્ષય જ મોક્ષનું સાધન કહેલ
भक्तं मध्ये पानकं चापराणे । द्राक्षाखण्डं शर्करा चार्धरात्रे मोक्षश्चान्ते शाक्यपुत्रेण दृष्टः ।।१।।" "मणुन्नं भोयणं भोच्चा मणुन्नं सयणासणं । मणुनंसि अगारंसि मणुनं झायए मुणी।।१।।" इत्यादेस्तैरभिधानतो विषयसुखसिद्धेस्तत्तीर्थस्य सुखावतारता । तथा, कुशास्त्रोक्तनिपुणयुक्तिभिस्तीव्रवासनोत्पादात्, व्रतत्यागे च तैर्महत: संसारदण्डादेः प्रतिपादनात्, तत्समीपगृहीतव्रतस्य दुष्परित्याज्यत्वात् तत्तीर्थस्य दुरुत्तारता। इमां च युक्तिं भाष्यकारः स्वयमेव किञ्चिदाह-'विसयसुहेत्यादि' गतार्थम्।।२।।
(विशेषावश्यकभाष्य श्लोक १०४०-१०४१ टीका) १ शाक्यानां तु दुरवापविशिष्टध्यानमार्गाद् योगिज्ञानोत्पत्त्यादिक्रमेण मुक्तिप्राप्त्यभ्युपगमाद् दुःखोत्तारता ‘दुखेनाऽस्मात् संसारमुत्तरन्ति' इति कृत्वा।
(विशेषावश्यकभाष्य श्लोक १०४०-१०४१ टीका)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org