________________
૧૩૨
ધર્મતીર્થની વ્યાખ્યા પણ કહે છે કે, તેમનો માર્ગ પ્રવેશથી દુર્ગમ પણ નિર્ગમ સુગમ છે. શરૂઆતમાં દિગંબરો જુદા પડ્યા ત્યારે એક જ વાતમાં મતભેદ પડ્યો હતો કે વસ્ત્ર પરિગ્રહ છે કે નહીં? સાધુ સર્વથા અપરિગ્રહી હોય તો તેમનાથી વસ્ત્ર-પાત્રરૂપ પરિગ્રહ કેમ સ્વીકારી શકાય ? અપરિગ્રહતા માટે નગ્નતા જ આવશ્યક છે. આ મુદ્દા પર difference of opinion(મતભેદ) ચાલુ થયો, જેના પરિણામે સ્વતંત્ર દિગંબર મત પેદા થયો. તે મતમાં કોઈ ચારિત્ર લે એટલે પહેલે દિવસથી જ નગ્ન રહેવાનું. પરંતુ પહેલે જ દિવસે કોઈ સાધુ જંગલવાસી બની શકતો નથી. એટલે સમાજ વચ્ચે રહેવાનું, લોકસંપર્ક કરવાનો અને જાહેરમાં પણ નગ્નતા રાખવાની. તેથી સજ્જન, ખાનદાન વ્યક્તિ માટે આ લજ્જા-શરમનું કારણ છે. તેથી પ્રવેશ દુર્ગમ, પરંતુ નિર્ગમ સુગમ; કારણ કે આચારમાં ઉપલક દૃષ્ટિએ કઠોરતા હોવા છતાં સૂક્ષ્મ જયણાની દૃષ્ટિએ આચાર સદંતર પોલો છે. નિર્વસ્ત્રતાના એકાંત આગ્રહથી સાધુજીવનનો સૂક્ષ્મ આચાર મરી ગયો. દા.ત. અમારી પાસે ભગવાન ઋષભદેવ જેવી લબ્ધિ નથી કે હાથમાં ઘડાના ઘડા શેરડીનો રસ નાંખે જ જાય છતાંય એક ટીપું પણ નીચે ન ઢોળાય. પાત્રા પરિગ્રહ છે એમ વિચારી ન રાખીએ, પરંતુ હાલના સાધુને કરપાત્રલબ્ધિ તો છે નહીં, તેથી હાથમાં પ્રવાહી ખોરાક વહોરાવો તો નીચેથી ધાર થાય. તમારા ઘરમાં નાનાં છોકરાંઓ પણ મસ્તી કરતાં કરતાં ખાય તો કણિયા નીચે વેરાય, જેના પર ઢગલાબંધ કીડીઓ આવીને ચગદાઈને મરી જાય. તેથી ગૃહસ્થને પણ ભોજનમાંથી અન્નનો દાણો નીચે પડે તો પાપ લાગે. તેથી શ્રાવક માટે પણ અવશ્ય પાળવા યોગ્ય જયણાનો જ દિગંબર મુનિજીવનમાંથી લોપ થાય છે. શાસ્ત્રમાં, એક કણિયાના એંઠવાડ પર પણ કીડી, માખી, ગરોળી આંદિના આગમનથી, પરંપરાથી છેક પંચેન્દ્રિયની હિંસા સુધીનું પાપ દર્શાવ્યું છે. વળી ખાતાં ખાતાં એંઠા મોઢે અને ખરડાયેલા હાથે બીજા ઘરે ભિક્ષા માટે ન જઈ શકે, તેથી નક્કી કર્યું કે એક જ ઘરે ખાઈ લેવું. આથી આખો ભિક્ષાધર્મ લુપ્ત થયો. છતાં દેખાવ ખાતર આઠ રસોડાનો આચાર ગોઠવ્યો. એટલે બહારથી ભિક્ષાવૃત્તિ દેખાય, પણ અંદરથી જયણાશૂન્ય મુનિજીવન બની ગયું. અપરિગ્રહના નામથી મહાવ્રતનો ભંગ થાય તેવો આચાર આવી ગયો. બકરું કાઢતાં ઊંટ પેસી ગયું. અરે ! એનાથી આગળ વધીને, ખાતાં ખાતાં મોટું, હાથ, શરીર વગેરે એંઠવાડથી બગડે તો અંતે તેને સાફ કઈ રીતે કરવું તે પણ પ્રશ્ન સર્જાય. રોજ સાફ કરનાર કોણ મળે ? વળી એકાકી વિહારના કારણે બીજા સાધુ તો સાથે હોય નહીં, એટલે ગૃહસ્થ સાફ કરે, જેમાં અનેક અજયણાઓ સંભવે. વળી પ્રાયઃ કરીને ભિક્ષા સમયે પુરુષો ઘરમાં ન હોય તેથી સ્ત્રીઓ જ સાફ કરે. સ્ત્રીસ્પર્શથી ચોથા વ્રતમાં પણ ભાંગો લાગે. એમ ક્રમશઃ આચાર અંદરથી ખોખલો બને છે. તેથી વિવેકીને આવા અંદરથી પોકળ આચારો પ્રત્યે અત્યંત પ્રીતિ બંધાય નહીં. તેથી નિર્ગમ સુગમ. (૩) પ્રવેશ સુગમ, નિર્ગમ દુર્ગમ - બૌદ્ધદર્શન :
'બૌદ્ધદર્શન ગૌતમબુદ્ધથી પ્રરૂપાયું છે. ગૌતમબુદ્ધ વયમાં પ્રભુ મહાવીરથી મોટા પણ સમકાલીન છે.
१ द्वितीयभङगकवर्ति तीर्थं (तच्चण्णि)तव्वणियाणं ति' सुगतानां संबन्धि मन्तव्यम; तथाहि- "मृती शय्या प्रातरुत्थाय पेया
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org