________________
ધર્મતીર્થની વ્યાખ્યા
૧૩૧ મને એક પ્રોફેસરે પૂછેલું કે સ્વામીનારાયણના સંન્યાસી અમારે ત્યાં Ph.D. કરવા આવે છે, તો તમે કેમ નથી આવતા ? મેં કહ્યું કે અમારા આચાર એવા કડક છે કે હું તમારી કોલેજમાં એક દિવસ પણ બેસી ન શકું. તમારા પંખા, એ.સી. અમને ન ચાલે. હું બાથરૂમ, લેટરીનમાં પગ પણ ન મૂકું. દુનિયાના કોઈ પણ ધર્મના સંન્યાસીના જીવનમાં જે નથી તેવા, જયણા અને ત્યાગમય આચાર અમારા ભગવાને અમને બતાવ્યા છે.
પહેલા વિકલ્પમાં આવતા ધર્મોમાં આચાર એટલા સુખશીલતાવાળા હોય કે પ્રવેશ સહેલાઈથી કરી શકાય. તેમાં ઈન્દ્રિયોનો અધિક જય ન હોય, કષાયોનો આમૂલ ક્ષય ન હોય, વિકારોનું સર્વથા ઉન્મેલન ન હોય અને બહાર નીકળવામાં પણ વાંધો ન હોય. તેમના સિદ્ધાંતો એવા નથી હોતા કે સાચા મુમુક્ષુને તેની સાથે attachment-અનુરાગ થઈ જાય, કે જેથી તેને છોડવાનું મન જ ન થાય. સંક્ષેપમાં આચાર સુગમ અને સિદ્ધાંત ખોખલા, તેથી નીકળવાનું પણ સુગમ.
સભા તે ધર્મમાં ભવસાગરથી પાર ઊતરવું સરળ કઈ રીતે ?
સાહેબજીઃ 'ત્યાં પાર ઉતારવા સુગમ માર્ગ ભગવદ્ભક્તિ બતાડે. બસ, પ્રભુનું નામસ્મરણ કરો, એટલે સર્વ પાપનો ક્ષય થશે. સાધનામાં કોઈ જાતની શારીરિક, માનસિક હાડમારી નહીં. તમને પણ નવકારવાળી સુગમ લાગે છે તેમ. .
સભાઃ આવા ધર્મથી વાસ્તવમાં પાર ઊતરતા હશે ?
સાહેબજી: દુનિયામાં ગમે ત્યાં ગમે તે ધર્મમાં રહેલો સાધક, વિકાર-વાસનાનો સંપૂર્ણ નાશ કર્યા વિના સંસારસાગરથી પાર ઊતર્યાનો કોઈ દાખલો નથી. ગમે તે ધર્મમાં જાઓ, ગમે તે અનુષ્ઠાન કરો પણ પાર ઊતરવા માટે ઈન્દ્રિયોને તો નાથવી જ પડશે. વાસના-વિકારોને ઓળંગીને ઉપર આવવું જ પડશે. પછી તે તપ-ભક્તિ-જ્ઞાન; કયા યોગથી સિદ્ધિ મેળવી તેની ચર્ચા નથી. કોઈ માત્ર પ્રભુનું નામસ્મરણ કે ભક્તિયોગથી પાર પામે તો પણ અમને વાંધો નથી. માત્ર સંપૂર્ણ વાસનાલય વગર કોઈનો ઉદ્ધાર થયો નથી, થતો નથી અને થવાનો પણ નથી. આ પત્થરની લકીર જેવી નક્કર વાત છે, સનાતન-શાશ્વત સિદ્ધાંત છે.
(૨) પ્રવેશ દુઃખથી, નિર્ગમ સુખથી, તેમાં દિગંબર મતનું દૃષ્ટાંત આપ્યું, જે જૈનધર્મથી જ છૂટી પડેલી શાખા છે. દિગંબરો પણ ભગવાન મહાવીરના ભક્ત છે, પ્રભુના જ અનુયાયી છે, સ્યાદ્વાદના સિદ્ધાંતને માનનાર છે. જૈનદર્શનનું સૂક્ષ્મ તત્ત્વજ્ઞાન પણ તેમની પાસે છે, માત્ર એક વસ્તુના આગ્રહમાંથી ધીમે ધીમે ફંટાતાં ફંટાતાં મૂલ સિદ્ધાંતોથી એટલા દૂર નીકળી ગયા, કે પૂ. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ જેવા પૂર્વધર આચાર્ય
१ अन्ये तु सुखोत्तारतां दुरुत्तारतां च सर्वत्र मुक्तिप्राप्तिमाश्रित्य व्याचक्षते-तत्र सरजस्कानां स्वल्पेनैवेश्वरोक्तानुष्ठानेन किल मुक्तिप्राप्त्यभ्युपगमात् सुखोत्तारं तीर्थम्, 'सुखेनैवाऽस्माद् भवार्णवमुत्तरन्ति' इति व्युत्पत्तेः।
(विशेषावश्यक भाष्य श्लोक १०४०-१०४१ टीका) २ चित्तमेव हि संसारो, रागक्लेशादिवासितम्। तदेव तैर्विनिर्मुक्तं, भवान्त इति कथ्यते।।८३।। यश्च चित्तक्षणः क्लिष्टो, नाऽसावात्मा विरोधतः। अनन्यविकृतं रूपमित्यन्वर्थं ह्यदः पदम्।।८४।। (अध्यात्मसार आत्मनिश्चयाधिकार)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org