________________
ધર્મતીર્થની વ્યાખ્યા
૧૨૩ સમુદ્રમાં ડૂબતી વ્યક્તિને તરીને કાંઠે પહોંચવા રસ્તે ચડવું છે, પણ જળથી ભરપૂર સપાટીમાં સુગમ રસ્તો મેળવવામાં જ કઠિનાઈ હોય છે; કેમ કે સમુદ્રમાં એવા એવા area-પ્રદેશ હોય કે જ્યાં ભિન્ન ભિન્ન જળપ્રવાહોથી આંધી-વમળ પ્રગટતું હોય, કોઈ સ્થળે જળચર પ્રાણીઓના ભારે ઉપદ્રવ હોય, તો કોઈ સ્થળે ભારે કાદવ-કીચડયુક્ત કે જળમાં ગુપ્ત ટેકરાવાળો પ્રદેશ હોય. આવાં સ્થળોમાં ગમે તેવો પાવરધો તરવૈયો હોય તો પણ ખેદાનમેદાન થઈ જાય. તેથી કાંઠે પહોંચવા સરળ અને સુગમ માર્ગ પકડવો પડે, વળી તે માર્ગ અવશ્ય કાંઠે પહોંચાડનાર જોઈએ.
આ ઉપમા દ્વારા સર્વ ધર્મતીર્થોની સંક્ષેપમાં તુલનાત્મક ઓળખાણ આપી છે. બધાં ધર્મતીર્થો શરણે આવનારને તારવાનો દાવો કરે છે, પણ કોનામાં કઈ ખૂબી અને કઈ ખામી છે; કયું તીર્થ પસંદ કરવા જેવું છે અને કયું નાપસંદ કરવા જેવું છે તે સંક્ષેપમાં સમજવા આ વર્ણન છે. ઉપમા માર્મિક છે. સમુદ્રમાંથી પાર પામવાના રસ્તાઓનું આ ચાર પ્રકારે વર્ગીકરણ કરી શકાય.
(૧) જે માર્ગમાં સહેલાઈથી પ્રવેશ કરીને સુખપૂર્વક બહાર નીકળી શકાય, (૨) જે માર્ગમાં કષ્ટથી પ્રવેશ શક્ય બને પણ સુખેથી બહાર નીકળી શકાય, (૩) જે માર્ગમાં પ્રવેશ સુખપૂર્વક થાય પણ દુખેથી બહાર નીકળી શકાય અને (૪) જે માર્ગમાં કષ્ટથી પ્રવેશ પામી શકાય અને કષ્ટથી બહાર નીકળી શકાય. આ બરાબર યાદ રાખજો. પ્રત્યેકમાં સમજાવવા દષ્ટાંતો આપ્યાં છે. સર્વ આર્યધર્મો કહે છે કે સંસારમાં રહેવા જેવું નથી, સંસાર અસાર છે, તેનાથી પાર પામવા જેવું છે, મોક્ષે જવા જેવું છે. મોક્ષ અનંત સુખનો સાગર છે, સંસાર અનંત દુઃખનો ભંડાર છે. આમાં કોઈપણ દર્શનનો મતભેદ નથી, છતાં સાધકને દુઃખથી મુક્ત થવાનો રસ્તો આર્યધર્મો પોતપોતાની રીતે બતાવે છે. તે માર્ગોની ગુણવત્તા સમજવા જેવી છે.
(૧) પ્રવેશ સુગમ, નિર્ગમ સુગમ, શૈવમત :
'સુખે પ્રવેશ કરી શકાય અને સુખથી બહાર નીકળી શકાય તેવો શૈવદર્શનનો માર્ગ છે. અર્થાત્ સુખાવતાર સુખોરાર. આ શૈવધર્મના સંન્યાસીઓ તમને પરિચિત નથી, પરંતુ ગુજરાતમાં પ્રસિદ્ધ સ્વામીનારાયણના
१ इह च यत्र सुखेनैवावतरन्ति प्रविशन्ति प्राणिनस्तत् सुखावतारम्, सुखेनैव यत उत्तरन्ति-सुखेनैव यद् मुञ्चन्तीत्यर्थः, तत् सुखोत्तारम्; इत्याद्यभङ्गवर्तितीर्थभावार्थः।
एतच्च सरजस्कानां शैवानां संबन्धि वेदितव्यम्; तथाहि-राग-द्वेष-कषाये-न्द्रिय-परीषहो-पसर्ग-मनो-वाक्-कायजयादिलक्षणस्य तथाविधदुष्करकष्टानुष्ठानस्य तैः क्रियमाणस्याऽदर्शनात्, यथा कथञ्चिद्रूपतयाऽपि च तैर्ऋतपरिपालनस्याऽभिधानात् सुखेनैव प्राणिनस्तद्दीक्षां प्रतिपद्यन्ते, इति तत्तीर्थस्य सुखावतारता। तच्छास्त्रेषु च न तथाविधा(वासक)ऽऽवासकस्वाभावा काचिद् निपुणा युक्तिरस्ति, यद्वासितान्तरात्मा पुमांस्तद्दीक्षां न परित्यजेत्। किञ्च, “शैवो द्वादश वर्षाणि व्रतं कृत्वा ततः परम्। यद्यशक्तस्त्यजेतापि यागं कृत्वा व्रतेश्वरे ।।१।।" इत्यादिना दीक्षात्यागस्य तैर्निर्दोषतयाऽप्यभिधानात् सुखेनैव तद्दीक्षां जन्तवः परित्यजन्ति, इति तत्तीर्थस्य सुखोत्तारतेति।।१।।
(विशेषावश्यक भाष्य श्लोक १०४०-१०४१ टीका)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org