SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મતીર્થની વ્યાખ્યા ૧૨૨ એવો છે કે મહારાજ સાહેબ પણ પુસ્તકને પગે લાગે છે, માટે જ્ઞાનનું સાધન પુસ્તક ઊંચું અને મહારાજ સાહેબ નીચા. પરંતુ આ તમારી સમજણફેર છે. મહાત્મા પુસ્તકને પગે લાગે છે તેમાં ઋણસ્વીકારની દૃષ્ટિ છે; કારણ કે તેમને તે પુસ્તક જ્ઞાન મેળવવાનું સાધન બને છે. જ્યાં સુધી જ્ઞાન મેળવવા જડ આલંબન-નિમિત્તની જરૂર પડે છે, ત્યાં સુધી તેનો પણ ઋણસ્વીકારરૂપે ઔપચારિક વિનય અવશ્ય કર્તવ્ય છે. જેને પુસ્તક આદિ આલંબનનિમિત્તની જરૂ૨ ન પડતી હોય તેવા ઉચ્ચ ભૂમિકાના સાધુ પુસ્તકને પગે ન લાગે. પરંતુ અમારું જ્ઞાન સ્વનિર્ભર નથી, જ્ઞાન મેળવવા અમને લિપિબદ્ધ શાસ્ત્રોની સાધન તરીકે આવશ્યકતા રહે છે, તેથી અમે પુસ્તકનો વિનય કરીએ; પરંતુ તમારા માટે પુસ્તક કરતાં જ્ઞાની ગુરુ જીવંત જ્ઞાનસ્વરૂપ હોવાથી વધારે પૂજ્ય છે. મારો મુદ્દો એ છે કે જીવંતનું મહત્ત્વ વધારે કે સ્થાવરનું મહત્ત્વ વધારે ? જીવંત તીર્થ અને સ્થાવર તીર્થ વચ્ચે ઘણો મોટો તફાવત છે. તમે જે તીર્થો વિચારો છો તે તો સ્થાવરતીર્થ છે, જ્યારે ધર્મતીર્થમાં તો જંગમતીર્થની પ્રધાનતા છે; કારણ કે શ્રેષ્ઠ તારકશક્તિ તેમાં જ છે, બીજે તીર્થ શબ્દનો પ્રયોગ ઔપચારિક છે. સ્થાવરતીર્થ કરતાં જંગમ તીર્થને ન્યૂન માનશો તો સમજી લેજો કે તમારી બુદ્ધિમાં ભ્રમ છે. તમે જૈનશાસનના ખરા મર્મને સમજ્યા નથી. ઘણા કહે કે ત્રેવીસ તીર્થંકર શત્રુંજય પર આવ્યા અને નેમિનાથ ભગવાન ન ચડ્યા, તો તેઓ પાવન તીર્થની તીર્થયાત્રા વગર રહી ગયા. પણ તેમને ખબર નથી કે આ ત્રેવીસ તીર્થંકરો શત્રુંજય તીર્થ ૫૨ યાત્રા કરવા માટે નથી આવ્યા. વળી નેમિનાથ ભગવાન પણ શત્રુંજય તીર્થ પર ન ચડ્યા તો તેમને કોઈ નુકસાન નથી; કેમ કે તીર્થંકરો માટે સ્થાવરતીર્થ એ તરવાનું આલંબન છે જ નહીં. અરે ! તેમના ચરણસ્પર્શથી પાવન થયેલી ભૂમિ જ સ્વયં સ્થાવરતીર્થ બને છે. આવા તીર્થંકરોને પણ ધર્મતીર્થ પૂજ્ય છે; કારણ કે ધર્મતીર્થમાં સર્વ જંગમ-સ્થાવર તારક તીર્થોનો સમાવેશ થાય છે. પ્રવેશ-નિર્ગમની સુગમતા-દુર્ગમતાના આધારે ધર્મતીર્થોની ચાર પ્રકારે તુલનાત્મક ઓળખ : પૂ. શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે તા૨ક ધર્મતીર્થના ચાર પ્રકારો ઉપમા દ્વારા દર્શાવ્યા છે. ૧ (૧) ૧જે ધર્મતીર્થના માર્ગમાં પ્રવેશ સુગમ હોય અને નિર્ગમ પણ સુગમ હોય, (૨) જે ધર્મતીર્થના માર્ગમાં પ્રવેશ દુર્ગમ હોય પણ નિર્ગમ સુગમ હોય, (૩) જે ધર્મતીર્થના માર્ગમાં પ્રવેશ સુગમ હોય પણ નિર્ગમ દુર્ગમ હોય અને (૪) જે ધર્મતીર્થના માર્ગમાં પ્રવેશ પણ દુર્ગમ હોય અને નિર્ગમ પણ દુર્ગમ હોય. (નિર્ગમ એટલે પાર પામવું અથવા છોડી દેવું.) १ अथवा सुखावतारं सुखोत्तारं १ सुखावतारं दुरुत्तारं २ दुःखावतारं सुखोत्तारं ३ दुःखावतारं दुरुत्तारं ४ इति द्रव्यभावतीर्थं द्रष्टव्यं, तच्च सरजस्कशाक्यबोटिकसाधुसंबन्धि विज्ञेयं, अलं प्रसङ्गेन । (आवश्यकसूत्र नियुक्ति एवं भाष्य श्लोक ८० टीका) ★ इह द्रव्यतीर्थे चत्वारो भङ्गाः, तद्यथा - सुखावतारं सुखोत्तारम्, सुखावतारं दुरुत्तारम्, दुःखावतारं सुखोत्तारम्, दुःखावतारं दुरुत्तारम् । एवं भावतीर्थेऽपीयं चतुर्भङ्गी द्रष्टव्या । (विशेषावश्यक भाष्य श्लोक १०४०-१०४१ टीका) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005530
Book TitleDharmtirth Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGangotri Granthmala
Publication Year2007
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy