SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મતીર્થની વ્યાખ્યા ૧૧૯ સાહેબજી : તે જાત્રા કરવા નથી આવ્યા. અરે ! તેઓ પૂર્વ નવ્વાણું વાર આવ્યા માટે તેમનાં પગલાંથી આ ભૂમિ તીર્થસ્વરૂપ પાવન-પવિત્ર થઈ, પણ પ્રભુ તીર્થને નમસ્કાર કરવા નથી આવ્યા. सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं । મવિકાdi, Bor TGTIoi ભવનાdi III (મમ્મલિત પ્રy૨૦/o —5-૧) અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા મહામંગલકારી અને સર્વોત્કૃષ્ટ એવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. જે શરણે આવે તેને જ તીર્થ પરમપદે પહોંચાડે ? પ્રભુએ સ્થાપેલા ધર્મતીર્થમાં જગતના જીવમાત્રને તારવાની, જગતના જીવમાત્રના સર્વ દુઃખનો અંત કરવાની પૂર્ણ ક્ષમતા છે. અચિંત્ય સામર્થ્યવાળું આ તીર્થ જીવમાત્રને પરમપદે પહોંચાડવાની ક્ષમતા ધરાવે છે. વળી ૮૪ લાખ જીવાયોનિરૂપ ભવચક્રગત દુઃખના મહાસાગરમાં, જીવમાત્ર માટે એકમાત્ર તરવાનું સાધન કે ઉપાય હોય તો તે તીર્થંકર પરમાત્માએ સ્થાપેલું આ ધર્મતીર્થ જ છે. આ ધર્મતીર્થનું જે ભાવથી શરણ સ્વીકારે, આલંબન લે તે જીવ સંસારસાગરથી તર્યા વિના ન જ રહે. આ ભવચક્રમાં ફરતાં ફરતાં માનવભવ અને દેવભવરૂપ સંસારસાગરની સપાટી પર આવવાથી ધર્મતીર્થને ઓળખવાની તક મળવા છતાં, જે આ શાસનને ઓળખશે નહીં, ભાવથી સમજશે નહીં કે તેનું શરણ સ્વીકારશે નહીં, તો તેને આ ધર્મતીર્થ એમ ને એમ તારે તેવું નથી. ભવોદધિથી કરવા માટે પૂર્વશરત એ છે કે જીવે ધર્મતીર્થનું ભાવથી શરણ સ્વીકારવું જ પડે. વહાણ, જહાજ કે સ્ટીમર પણ ગમે તેટલી સક્ષમ હોય, અગાધ પાણીમાંથી બહાર કાઢી કાંઠે પહોંચાડવાની પૂર્ણ ક્ષમતા ધરાવતી હોય, છતાં કાંઠે પહોંચવા તેમાં બેસવું તો પડે જ. તેમ અહીં શાસનમાં જે ભાવથી પ્રવેશ કરવા તૈયાર નથી. તેને પણ આ શાસન તારે એવો અર્થ નથી લેવાનો. અને જ્યાં સુધી તમને આ સંસારમાં ગુંગળામણ ન ૧ પૂર્વ નવ્વાણું વાર પધારી પવિત્ર કર્યું શુભ ધામ, સાધુ અનંતા કર્મો ખપાવી પહોંચ્યા અવિચલ ધામ. ઓ સ્વામી | (ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી કૃત સિદ્ધાચલ મહાતીર્થ સ્તવન) २ धर्मबोधकरो नाम, महानसनियुक्तकः। स राजदृष्टिं तां तत्र, पतन्तीं निरवर्णयत्।।७१।। अथासौ चिन्तयत्येवं, तदा साकूतमानसः । किमेतदद्भुतं नाम, साम्प्रतं दृश्यते मया।।७२ ।। यस्य दृष्टिं विशेषेण, ददाति परमेश्वरः । तूर्णं त्रिभुवनस्यापि, स राजा जायते नरः ।।७३।। अयं तु द्रमको दीनो, रोगग्रस्तशरीरकः। अलक्ष्मीभाजनं मूढो, जगदुद्वेगकारणम्।।७४ ।। आलोच्यमानोऽपि कथं, पौर्वापर्येण युज्यते । तदस्योपरि पातोऽयं, सदृष्टेः पारमेश्वरः? ।।७५ ।। हुं! ज्ञातमेष एवात्र, हेतुरस्य निरीक्षणे । स्वकर्मविवरेणात्र, यस्मादेष प्रवेशितः।।७६ ।। (उपमिति० प्रथम प्रस्ताव) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005530
Book TitleDharmtirth Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGangotri Granthmala
Publication Year2007
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy