________________
ધર્મતીર્થની વ્યાખ્યા
૧૧૯ ધર્મતીર્થની ત્રણ ખાસિયતો :
"તત્ત્વદષ્ટિએ જે આંતરદાહ શમાવે, આંતરમાળનો નાશ કરે અને આંતરતૃષાને છીપાવે તે જ સાચું તીર્થ, જેને ભાવતીર્થ કહેવાય. દુનિયાનાં બધાં ધર્મતીર્થોને આપણે ધર્મતીર્થ કહીશું, પણ તે દરેકમાં આ ત્રણ ખાસિયત વધતે ઓછે અંશે અવશ્ય જોઈએ. જેમાં આ ત્રણ ખાસિયત નથી તે તીર્થ નથી. અગાધ સંસારસાગરથી પાર પમાડવા માર્ગનું કામ કરે તે તીર્થ. તે તીર્થ તેનું શરણ લેનારનો આત્મિક દાહ શમાવે, આત્મિક મલનો નાશ કરે અને આત્મિક તૃષાને તૃપ્ત કરે; કારણ કે આવું તીર્થ તેનું સેવન કરનારનો કાયમ ખાતે કષાયરૂપી દાહ શમાવે છે, કર્મરૂપી મળનો અપુનર્ભાવથી વિગમ કરે છે અને ભોગતૃષ્ણાનો મૂળમાંથી ઉચ્છેદ કરે છે. અહીં તીર્થ શબ્દનો સમ્યક્ ભાવાર્થ સુસંગત બને છે. તેથી વાસ્તવમાં “તીર્થ” શબ્દના પ્રયોગનું નિમિત્ત ધર્મતીર્થમાં જ છે. તમે ગમે તેને તીર્થ માની લો છો, તે ન મનાય. ‘તીર્થ’ શબ્દ એટલો મહાન છે કે તેનો પ્રયોગ વિવેકપૂર્વક જ ઉચિત છે.
અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે તારક ધર્મ સ્વયં જ પરમ તીર્થસ્વરૂપ છે; કેમ કે આ ભવસાગર, જન્મજરા-મરણ-આધિ-વ્યાધિ-ઉપાધિ અને રોગ-શોક આદિ અનંત દુઃખથી ભરપૂર છે. તેમાંથી સુગમ માર્ગ દ્વારા કાંઠે લઈ જઈ પાર પમાડે તેવી તાકાત ધર્મમાં જ છે. તેમજ લૌકિક તીર્થોમાં પ્રસિદ્ધ જે ત્રણ ખાસિયતો છે, તે પણ તત્ત્વથી ધર્મમાં જ બંધબેસતી છે.
(૧) આત્મદાહનું શમન કરે : નદીના ઘાટ પર જાઓ કે સમુદ્રના beach-રેતાળ કિનારા પર જાઓ કે ત્યાંની ઠંડી હવામાં એક-બે કલાક ફરી આવો, પણ આ લૌકિક તીર્થ શરીરના દાહને શાંત કરી શકે, પરંતુ તેનામાં મનના દાહને શાંત કરવાની તાકાત નથી; જ્યારે ભાવતીર્થ તો આત્માના દાહને શમાવે. કલ્પનામાં પણ ન આવે તેટલા કષાયોનો અંદરમાં દાહ છે. દા.ત. તમારા મનમાં માત્ર દ્વેષના આંકડા માંડીએ તો પણ ગણિતના આંકડા નાના પડે. તમને કરિયાતું, સુદર્શન ઘનવટી બધા પર દ્વેષ છે. તમારા મનના દ્વેષને ગણવા
१ अथवा- पङ्कदाहपिपासानामपहारं करोति यत्। तद्धर्मसाधनं तथ्यं, तीर्थमित्युच्यते बुधैः।।१।। पङ्कस्तावत् पापं, दाहः कषायाः, पिपासा विषयेच्छा, एतेषामपहरणसमर्थं यदित्यर्थः, (आवश्यकसूत्र नियुक्ति एवं भाष्य श्लोक ८० टीका) २ व्याख्या-इह भावतीर्थं क्रोधादिनिग्रहसमर्थं प्रवचनमेव गृह्यते, तथा चाह-क्रोध एव निगृहीते 'दाहस्य' द्वेषानलजातस्यान्तः प्रशमनं भवति, तथ्यं निरुपचरितं, नान्यथा, लोभ एव निगृहीते सति, किं?-'तण्हाए छेअणं होई'त्ति तृष:-अभिष्वङ्गलक्षणायाः વિં?-“છે મતિ વ્યામો મવતીતિ થાર્થ: ૨૦૬૭T
व्याख्या-'अष्टविधम्' अष्टप्रकारं, किं?- ‘कर्मरजः' कमव जीवानुरञ्जनाद्रज: कर्मरज इति, बहुभिर्भवैः सञ्चितं यस्मात्तपःसंयमेन धाव्यते' शोध्यते, तस्मात्तत्-प्रवचनं भावतः तीर्थं, मोक्षसाधनत्वादिति गाथार्थः।।१०६८ ।।
व्याख्या-दर्शनज्ञानचारित्रेषु नियुक्तं' नियोजितं 'जिनवरैः' तीर्थकृद्भिः 'सर्वैः' ऋषभादिभिरिति, यस्माच्चेत्थम्भूतेषु त्रिष्वर्थेषु नियुक्तं तस्मात्तत्प्रवचनं भावतः तीर्थं, मोक्षसाधकत्वादिति गाथार्थः ।।१०६९।।
(आवश्यकसूत्र नियुक्ति एवं भाष्य श्लोक १०६७ थी १०६९ टीका)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org