SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મતીર્થની વ્યાખ્યા ૧૧૩ બાવરા થઈને જ ફરતા હો ? તમને ધન વિનાનું જીવન જેમ અતિ કષ્ટમય-ત્રાસદાયક દેખાય છે, તેમ ધર્મતીર્થ વિનાનો સંસાર અતિ બિહામણો દેખાવો જોઈએ, જોઈને જ મનમાં થાય કે આપણા છક્કા છૂટી જશે. સંસારનું ભયાનક-રોદ્ર સ્વરૂપ : ભૌતિક અનુકૂળતાની દૃષ્ટિએ મનુષ્યભવને પણ ભગવાન કચરો કહે છે, તો કૂતરાં-બિલાડાંના ભવની તો શું વાત કરવી ? તે ભવોમાં તો ખાવા-પીવા-રહેવાનાં કોઈ ઠેકાણાં નથી. ત્યાં ઉત્પન્ન થયેલો જીવ હડહડ થઈને જીવે અને ગમે ત્યારે કમોતે મરે. આજે પશુયોનિ તો પ્રત્યક્ષ દેખાય છે. તેમાંથી તમને કોઈ ભવ પસંદ કરવા જેવો લાગે છે ? આંખ મીંચીને વિચારો કે આમાંથી કોઈ પણ ભવમાં જઈશ તો મારું ભાવિ જીવન કેવું હશે ? તમે તો અત્યારે મનમાં નિશ્ચિત છો કે બીજા બધા પશુયોનિમાં ભલે જાય પણ આપણે જવાના જ નથી. તેથી હકીકતમાં તમે મૂઢતાથી જ જીવો છો. પરંતુ થોડો પણ સંસારના સ્વરૂપનો વાસ્તવિક વિચાર આવે તો ફફડી જવાય. વળી આ ભય કાલ્પનિક નથી. સત્યનો વિચાર નહીં કરીએ તો મૂર્ખામાં ખપીશું. આંખો મીંચાય એટલી વાર છે. તમને ખ્યાલ આવવો જોઈએ કે આ ભવસાગર મહાભયંકર છે, આત્માના ભુક્કા બોલાવી દે તેવા અનંત દુઃખમાં સબડાવનાર છે. જેમ પાણીનો સ્વભાવ તમને ડુબાડીને નીચે તળિયે લઈ જવાનો છે, તેમ આ ૮૪ લાખ જીવાયોનિરૂપ ઘોર સંસારનો સ્વભાવ દીર્ઘકાળ માટે તમને એકેન્દ્રિય-નિગોદરૂપ તળિયે લઈ જવાનો છે. દરિયામાં ભારે વસ્તુ નાંખો તો અબજોનાં અબજો વર્ષો સુધી તળિયારૂપ પેટાળમાં પડી રહે, તેને કોઈ બહાર લાવે જ નહીં. તેમ આ દુઃખમય સંસારમાં બીજી કોઈ ગતિમાં અતિશય લાંબો સમય રહી શકાતું નથી. અરે ! નરકમાં પણ અનંત કાળ રહી શકાતું નથી. અગણિત લાંબો સમય રહેવું હોય તો એકમાત્ર એકેન્દ્રિય-નિગોદ છે. ત્યાં તમે અનંત કાળ આંતરા વિના રહી શકો. અત્યંત પરવશ, પાંગળો, અવિકસિત ભવ, સંસારમાં જો કોઈ હોય તો તે એકેન્દ્રિયપણું છે, અને તેનું પણ તળિયું નિગોદ છે. અગાધ જળરાશિના તળિયે રહેલી ભારે વસ્તુની જેમ, ત્યાં ગયા પછી જીવ અનંત કાળ સુધી બહાર નીકળી જ ન શકે. ત્યાં vicious circle-વિષચક્ર છે. એકેન્દ્રિયનો ભવ જ એવો છે કે તેમાં રહેલા જીવને સાહજિક અધ્યવસાયથી પાછું એકેન્દ્રિયપણું જ બંધાય. તેથી ફરી એકેન્દ્રિયમાં જાય. ફરી પાછું એકેન્દ્રિયપણું બંધાય. આમ, અનંત કાળ ચક્કર ચાલ્યા જ કરે. એ ગતિ જ ઘોર પાપાનુબંધી પાપના ઉદયથી મળે છે. "શાસ્ત્રમાં લખ્યું છે કે એકેન્દ્રિયથી માંડીને અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીના ભવોને, ઘોર પાપાનુબંધી પાપના ઉદયથી જીવ પામે છે. પાપાનુબંધી પાપનો અર્થ જ એ છે કે તેમાં વિષચક્ર હોય. પાપના ઉદયથી જીવ સંક્લિષ્ટ ભાવો કરે, તેનાથી ફરી પાપ બાંધે, વળી તે પાપના ઉદયકાળે ફરીથી સંક્લિષ્ટ ભાવો કરી પુનઃ પાપ બાંધે; આમ, ચક્ર ચાલ્યા જ કરે. ત્યાં આત્માએ કર્મોના હાથે માર ખાધે જ રાખવાનો. જેટલો માર પડે એટલો ઓછો. १ एते च दुःखबहुला उत्कटासातवेदनीयाः, मोहान्धकाराः तदुदयतीव्रतया, अकुशलानुबन्धिनः प्रकृत्याऽसच्चेष्टाहेतुत्वेन, यत एवमतः अयोग्याः शुद्धधर्मस्य चारित्रलक्षणस्य। योग्यं चैतन्मनुजत्वम्। (पंचसूत्र तृतीय सूत्र टीका) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005530
Book TitleDharmtirth Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGangotri Granthmala
Publication Year2007
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy