________________
૧૧૨
ધર્મતીર્થની વ્યાખ્યા સતત ભય રહેવો જોઈએ. મારો આત્મા ઘોર દુઃખમય સંસારમાં ફસાયેલો છે, અનંત કાળથી ચોર્યાશી લાખ જીવાયોનિનાં દુઃખ-સંતાપ અનુભવી રહ્યો છે, આ વાસ્તવિકતાનો વિચાર કરવાનો છે. જેમ દરિયાનું પાણી ચારે બાજુથી ફરી વળે અને તેની વચ્ચે જે ફસાયા હોય તેને માટે શ્વાસ લેવો પણ ભારે પડે, તેની જેમ આ સંસારમાં જડ એવાં કર્મોથી સખત ફસાયા છો. વર્તમાન જીવનની જેટલી આધિ-વ્યાધિ-ઉપાધિ છે, તે આ કર્મરૂપ બંધનની પરવશતાથી છે. જેને આમાંથી બહાર નીકળવાની ઇચ્છા થાય તેને જ તરવા માટે તીર્થની જરૂર પડે. તમને તરતાં આવડતું હોય, પરંતુ ડૂબવાનો ભય ન હોય તો તમે તરવા માટે હાથપગ ન હલાવો; કારણ કે ડૂબવાની અકળામણ જ તમને તરવાની ક્રિયા કરાવે છે. પણ જેને ડૂબવાનો મૂંઝારો નથી, અહેસાસબેચેની નથી, જેને અગાધ જલ વચ્ચે, પાણીમાં જ રહેવાનું ગમે, તે તો પાણીના તળિયે જઈને ટેસથી ફરે. જેમ જળચર પ્રાણીઓનું જળમાં જ જીવન છે, તેને જળમાં જ સલામતી અને સુખનો અનુભવ થાય છે, તેથી તેને જળમાં મૂંઝાવાનો કે ગૂંગળામણનો પ્રશ્ન નથી; તેમ જન્મ-જરા-મરણ, આધિ-વ્યાધિ-ઉપાધિથી ભરેલો સંસાર જ તમારું જીવન હોય, તેમાં જ તમને સ્વસ્થતાનો અનુભવ હોય, આ જ જીવન તમને ફાવતું હોય, કોઠે પડી ગયું હોય, ચોર્યાશી લાખ જીવાયોનિના પરિભ્રમણમાં જીવવા ટેવાઈ ગયા હો, તો તમારે આ 'ભવસમુદ્રમાંથી બહાર નીકળવા કોઈ તીર્થની જરૂર નથી. તમને અંતરમાં મંથન કરાવવા આ બોલ બોલ કરું છું. તમે તમારી જાતને પ્રામાણિકતાથી પૂછો કે મને તરવાનાં આલંબનોની જરૂર છે ? જરૂરિયાત ઊભી થાય પછી જ શોધતલાશ શરૂ થાય. Necessity is the mother of invention-જરૂરિયાત એ જ શોધખોળની માતા છે. શાસ્ત્ર કહે છે કે જે આત્માને અગાધ ભવસાગર બિહામણો, ભેંકાર, અસલામત દેખાય; ચારે બાજુ ૮૪ લાખ જીવાયોનિમાં ભયંકર રઝળપાટ, પારાવાર દુઃખનાં મોજાં અને વિષય-કષાયરૂપ વિકરાળ જળચર જીવોથી ભરપૂર સંસારને જોઈને જેનાં છાતીનાં પાટિયાં બેસી જાય, ભયભીત થઈ જાય, મનમાં થાય કે આ બધી અપાર મુશ્કેલીઓમાંથી બહાર ક્યારે નીકળીશ ? અને બહાર નીકળ્યા સિવાય દુઃખમુક્ત થવાનો કોઈ જ ઉપાય નથી તેવી જેને પ્રતીતિ થાય, આવો જીવ જ ધર્મતીર્થને પામવા માટે લાયક છે. જેમ ધંધામાં એવા સલવાઈ ગયા હો, કે નફો-મહેનત તો જાય પણ મૂડી ઉપરાંત દેવાળું નીકળે તેવું હોય, તો રાત્રે ઊંઘ પણ આવે? કે રાત-દિવસ
१ तथापि गुरुकर्माणस्तमधन्याः श्रयन्ति न। किन्तु धन्यतमाः क्षीणपापाः स्तोकाः श्रयन्ति तम्।।९७३ ।।
(વેરાતિ સ૮) ★ तेन देशनयाऽऽह्वानं, समुत्साह्याङ्गिनां कृतम्। प्राविशन्मण्डले स्तोका, भवस्थानन्तभागगाः।।५८ ।। कुर्वन्त्यन्ये च नार्यादिपाशस्था धनसंचयम् । क्षेपोऽयं तृणकाष्ठादे यो जन्मप्रदीपने।।५९।। क्षेपोऽत्र घृतकुम्भानां, कषायोद्दीपनं मुहुः । तिष्ठन्ति वारितास्ते च, न मूढा मण्डलस्थितैः ।।६० ।। शमाम्बुना न कुर्वन्ति, शान्तिं न प्रविशन्ति च। मण्डले नैव शृण्वन्ति हितं हासादि कुर्वते।।६१।। केचिदेव प्रबुध्यन्ते, यथाऽसौ बुद्धिमान् मुनिः। प्रतिबुद्धो गिरा तेषां, प्रविष्टस्तीर्थमण्डले।।६२ ।।
(વૈરાહત્પનતા ત$ ૮) २ सति चास्मिन्नसौ धन्यः, सम्यग्दर्शनसंयुतः। तत्त्वश्रद्धानपूतात्मा, रमते न भवोदधौ।।१७५ ।।
(उपमिति० सप्तम प्रस्ताव)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org