SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મતીર્થની વ્યાખ્યા ૧૧૧ foetusનાં-ગર્ભનાં ચિત્રો બતાવે છે, ખાતરી કરવી હોય તો કરી શકો છો. તમે જે રીતે ગર્ભાવસ્થામાં રહ્યા તે રીતે એક કલાક પણ જો અત્યારે રહેવાનું આવે તો લે-મૂક થઈ જાય. છતાં નવ મહિના તે અવસ્થામાં ગૂપચૂપ રહ્યા. વળી અત્યાર કરતાં તે વખતે તમારું શરીર વધારે delicate-કોમળ-નબળું હતું, છતાં મજબૂરીથી બધું સહન કર્યું. જન્મ્યા પછી અત્યારે તો કુટાઈ કુટાઈને ઘણા rough-ખડતલ થઈ ગયા છો, પણ જન્મ્યા ત્યારે તો અત્યંત કોમળ ચામડી હતી, અને આવી અત્યંત અપરિપક્વ અવસ્થામાં નવ મહિના ગૂંગળામણ સાથે રહેવું પડ્યું. જીવ સતત મૂંઝાયા કરે, સંતાપ અનુભવે એવો ગર્ભાવાસ અત્યારે તમને ચિંતાદાયક લાગતો નથી, જન્મની પણ કોઈ ગભરામણ દેખાતી નથી; હકીકતમાં જન્મની process-પ્રક્રિયામાંથી જેને પસાર થવાનું આવે તેના તો છક્કા છૂટી જાય તેવો ત્રાસ હોય છે. માટે જ બધા રડતાં રડતાં જન્મે છે, કોઈ હસતાં હસતાં જન્મતું નથી. મૃત્યુ પણ મહાવેદનારૂપ છે. તેનું તો નામ પડતાં જ તમને પસીનો છૂટી જાય છે. આ જન્મ-જરા-મરણરૂપ જીવનથી ખરેખર છૂટવાની ઇચ્છા છે ? શાસ્ત્રમાં માનવજન્મને વર્ષો ગૃહમતુલ્ય' કહ્યો છે. આનો અર્થ એ છે કે “સંડાસની ખાળમાં કીડો પેદા થયો હોય તે બંધિયાર અને અંધારી ગંદકીમાં જન્મે છે, આખું જીવન તેમાં જ સબડે છે અને ત્યાં જ મૃત્યુ પામે છે.” મનુષ્યભવને પણ તેવો જ કહ્યો છે. જે માનવદેહને જોઈ જોઈને તમે મલકાઓ છો, આ દેહ મળ્યાનો ગર્વ લો છો તેને શાસ્ત્રમાં આ ઉપમા આપી છે. ગટરમાં જન્મેલો કીડો જેમ ગટરમાં રાચ્યા કરે અને મજેથી જીવે, તેમ ગટરતુલ્ય માનવદેહમાં તમે પણ મસ્તીથી જીવો છો. આ દુનિયામાં જેટલી બહાર ગંદકી દેખાય છે તે બધાનું મૂળ ઉત્પાદનસ્થળ આ દેહ છે. અહીંથી જ બધી ગંદકી બહાર ફેલાય છે. આવા દેહમાં રહેલો તમારો આત્મા તત્ત્વથી ગટરમાં રહેલા કીડા જેવો જ છે. ઉપમા એકદમ બંધ બેસે તેવી છે. ભૌતિક દષ્ટિએ માનવદેહનાં શાસ્ત્રમાં જરાય વખાણ નથી. જે ભૌતિક દષ્ટિએ મનુષ્યભવને સારો માને છે તે મિથ્યાષ્ટિ છે. હા, આત્મિક દૃષ્ટિએ મનુષ્યભવનાં વખાણ કરી શકાય. અમે જ્યારે પણ “મનુષ્યભવ દુર્લભ છે, અનંત પુણ્યરાશિ ભેગી થાય ત્યારે મળે છે.” એવું બોલીએ, તે વખતે તમે આ મનુષ્યભવનું ભૌતિક દૃષ્ટિએ મૂલ્ય વિચારો છો કે આત્મિક દૃષ્ટિએ ? જેને ભૌતિક દષ્ટિએ મનુષ્યભવનું મૂલ્ય લાગે તેને માટે સમજવાનું કે તે મૂર્ખશિરોમણિ છે; કેમ કે મનુષ્યદેહમાં એવું કશું નથી કે તેનાં ભૌતિક દૃષ્ટિએ વખાણ થઈ શકે. હા, ભૌતિક દૃષ્ટિએ દેહનાં વખાણ કરવાં હોય તો દેવતાના દેહનાં વખાણ થઈ શકે; કેમ કે તેનો દેહ સુંદર છે, અનેક સુખ-શાતાને આપનાર છે. તમારા દેહમાં તો નાકમાં લીંટ, મોઢામાં લાળ, આંખમાં પિયા ભરેલા છે. આખા શરીરમાંથી પસીનો નીકળે છે જે સતત દુર્ગધ માર્યા કરે છે. રોજ ભૂખ-તરસ લગાડે છે અને ટટ્ટી-પેશાબનો ત્રાસ આપ્યા કરે છે. આ માનવદેહમાં ભૌતિક દૃષ્ટિએ સુંદર કે વખાણવા લાયક કાંઈ છે જ નહીં. તેવા દેહમાં ભરાઈને જીવવું તે જ તમને ભારે ગૂંગળામણ લાગવી જોઈએ. સંસારમાં ગૂંગળામણ, મૂંઝારો થાય તેને જ ભાવતીર્થની આવશ્યકતા : જ્યાં સુધી તમને આ સંસારમાં મૂંઝારો નહીં લાગે ત્યાં સુધી તમને તરવાની તલાશ નહીં જાગે. ડૂબવાનો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005530
Book TitleDharmtirth Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGangotri Granthmala
Publication Year2007
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy