SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ ધર્મતીર્થની વ્યાખ્યા હાથ, તરાપા, તુંબડું, વહાણ કે આધુનિક સ્ટીમર વગેરે અનેક સાધનો છે. પરંતુ આ રીતે જળની સપાટી પર તરતા રહેવું એ ડૂબવાને અટકાવવાની તાત્કાલિક ક્રિયા છે, જ્યારે તરીને સંપૂર્ણ બહાર કાંઠે પહોંચી ત્યારે જ ડૂબવાના સંકટમાંથી સંપૂર્ણ મુક્ત થયા કહેવાય. આ ઉપમા છે. બરાબર ધારી રાખજો. આનો ઉપનય કરીશ. જેમ તમારે અગાધ જળમાં ડૂબતાં અટકવું હોય તો સતત હાથપગ હલાવવા પડે, અથવા તરાપા વગેરે સાધનો દ્વારા તરવું પડે, જ્યાં સુધી તરવાની ક્રિયા કરશો ત્યાં સુધી જ સપાટી પર ટકી રહેશો. ગમે તેવો સક્ષમ તરવૈયો હોય તો પણ તેને જળની સપાટી પર ટકી રહેવા સતત તરવાની ક્રિયા કરવી જ પડશે અને આ ક્રિયા જ્યાં બંધ પડી ત્યાં માથે ડૂબવાનો ભય સતત ઝઝૂમી રહેલો છે. તેથી કાયમ ખાતે ડૂબવાના સંકટમાંથી મુક્ત થવું હોય તો કિનારે જવાની એક સુગમ ચોક્કસ દિશા પકડીને તરતાં તરતાં જળને પાર પામવું પડશે. આ પાર પામવા માટેનો, કાંઠે જવાનો સુગમ માર્ગ તેને લોકવ્યવહારમાં ‘તીર્થ' કહેવાય છે. દ્રવ્યતીર્થ અને ભાવતીર્થ : ૨ વૈદિક ધર્મમાં જેટલા નદી-સમુદ્રના સંગમ છે, તળાવ-સરોવર પર ઘાટ-કાંઠા હોય તેને તીર્થ કહે છે. પ્રયાગ-હરદ્વાર વગેરે આવાં તીર્થ છે. નદી-સમુદ્રના સંગમ, અખાતો, સમુદ્રમુખો વગેરે પરના ઘાટ, પાણીમાંથી તરીને પાર પામવાનાં સુગમ સ્થાનો છે, તેને તે ધર્મમાં તીર્થ તરીકે પ્રચલિત કર્યા છે. ત્યાં સ્નાન કરવું પવિત્ર છે, પુણ્યનું કારણ છે તેવી તેમની માન્યતા છે. તેને પુણ્યભૂમિ માનીને શ્રદ્ધાળુ યાત્રિકો તેની તીર્થયાત્રા કરતા હોય છે. આવાં જેટલાં પણ કહેવાતાં તીર્થ છે, તેના માટે શાસ્ત્રમાં કહ્યું કે, આ લૌકિક તીર્થ કે દ્રવ્યતીર્થ છે. અહીં તીર્થ શબ્દનો પ્રયોગ કરવાનું કારણ જળરાશિમાં ડૂબતાને તરવાની ક્રિયા દ્વારા કાંઠે બહાર આવવાનું તે આલંબન છે. તેથી જે તારે અને પાર પમાડે તે તીર્થ.” આ વ્યુત્પત્તિથી તેમને તીર્થ કહ્યાં. આ १ तीर्थमपि स्वं जननसमद्रत्रासितसत्त्वोत्तरणपथोऽग्रम। (સ્વયભૂસ્તોત્રવૃત્તિ ૨૦૧૧) २ यथा तीर्थापरनाम्नावतारेण नद्यादिरुत्तीर्यते, | (ચાયાવતાર ટીપ્પા) ★ यत् यस्मात् तीर्यते दुस्तरं वस्तु तेन तस्मिंस्ततो वेत्यतस्तीर्थमुच्यते। तच्च नाम-स्थापना-द्रव्य-भावभेदाच्चतुर्विधम्। तत्र नामस्थापने सुगमे। द्रव्ये द्रव्यभूतमप्रधानभूतं सरित्-समुद्रादीनां निरपायः कोऽपि नियतो भागः प्रदेशस्तीर्थमुच्यते। तस्मिंश्च प्रसिद्ध सिद्धे सत्यस्याऽऽपेक्षिकशब्दत्वादेतानि नियमात् सिध्यन्ति। कानि?, इत्याह-तरिता पुरुषः, तरणं वाहो-डुपादि, तरणीयं तु निम्नगादिकमिति ।।१०२७ ।। (विशेषावश्यकभाष्य श्लोक १०२७ टीका) उ अधुनाऽवयवार्थः कथ्यते-तत्र तीर्थं द्रव्यभावभेदाद्विधा, तत्रापि द्रव्यतीर्थं नद्यादेः समुत्तरणमार्गः, भावतीर्थं तु सम्यग्दर्शनज्ञानचारित्राणि, संसारार्णवादुत्तारकत्वात्, तदाधारो वा सङ्घः प्रथमगणधरो वा, तत्करणशीलास्तीर्थङ्करास्तानत्वेति क्रिया। (सूत्रकृतांगसूत्र प्रथम श्रुतस्कंध प्रथम अध्ययन प्रथम उद्देशो नियुक्ति गाथा - १ आ. शीलाङ्काचार्य टीका) ४ तीर्थं संसारनिस्तरणोपायम्। (आप्तमीमांसा पदवृत्ति वसुनन्दी सैद्धान्तिकचक्रवर्ती ३) ★ प्रवचनं भावतः तीर्थं, मोक्षसाधनत्वादिति (आवश्यकसूत्र नियुक्ति एवं भाष्य श्लोक १०६८ टीका) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005530
Book TitleDharmtirth Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGangotri Granthmala
Publication Year2007
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy