________________
૧૦૬
ધર્મતીર્થની વ્યાખ્યા અનેકવાર “તીર્થ” શબ્દ સાંભળ્યો છે, પણ તેનો proper meaningયોગ્ય અર્થ તમને સૌને ખ્યાલ છે કે નહીં તે એક પ્રશ્ન છે. જેટલાં યાત્રા કરવા માટેનાં ધર્મસ્થાનો છે જ્યાં જઈને તમે ધર્મની આરાધના કરી શકો, તેવાં તીર્થસ્થાનોને જ તમે તીર્થ માનો છો, પણ એ તમારી અધૂરી સમજણ છે. વાસ્તવમાં શાસ્ત્રમાં તેને ‘સ્થાવરતીર્થ - ‘દ્રવ્યતીર્થ” કહ્યાં છે. તે અંગે પણ સ્પષ્ટ સમજણ ન હોવાના કારણે વર્તમાનકાળમાં એટલો બધો વિપર્યાસ ફેલાયો છે કે ગમે ત્યાં “તીર્થ' શબ્દનો પ્રયોગ પ્રચલિત થઈ ગયો છે. મોટું, વિશાળ જિનમંદિર હોય, ધર્મશાળા, ભોજનશાળારૂપે ઊતરવા-રહેવા-ખાવા-પીવાની સગવડ બરાબર હોય તેવાં સ્થાનોને તમે “તીર્થ” નામ આપી દો છો. વાસ્તવમાં તે “તીર્થ’ નથી. તીર્થ આ રીતે સ્થપાતાં પણ નથી.
"ધર્મસ્થાન અને સ્થાવરતીર્થમાં ભેદઃ
સભા(શિષ્ય) : ભવિષ્યમાં તીર્થ થવાનું છે માટે અત્યારે તીર્થ કહીએ છીએ.
સાહેબજીઃ તમે તો અહીં નવું દેરાસર બંધાવીને પણ કહો કે આ તીર્થ છે; કેમ કે ભવિષ્યમાં તીર્થ થવાનું છે. આ મહારાજને જ્ઞાનથી ભવિષ્યની ખબર પડી ગઈ એટલે આવું વિધાન કરે છે.
સભા : લોકોને આકર્ષિત કરવા તીર્થ કહીએ છીએ.
સાહેબજી : તીર્થ શબ્દ એ લોકોને આકર્ષિત કરવા માટે તેમને છેતરવાની કે manipulation-ચાલાકી કરવાની marketing કે salesmanship-વેચાણકલાની વસ્તુ નથી. બગડેલી વૃત્તિ હોય તો જ આવા ભાવ થાય. ધર્મમાં જેનું જે સ્તર હોય તે રીતે જ તેનું નામ અપાય. તેથી તેને ધર્મસ્થાન કહો, તીર્થ નહિ. તીર્થ એ જુદી વસ્તુ છે.
આપણે ઉપાશ્રય-દેરાસરને ધર્મસ્થાન કહીએ; કેમ કે તે સ્થાનમાં ધર્મને છોડીને બીજું કાંઈ ન થાય. જ્યાં અધર્મની પ્રવૃત્તિ કે અધર્મના આચાર-વિચાર ન સેવી શકાય તેવા સ્થાનને આપણે ધર્મસ્થાન કહીએ છીએ. આ જૈનધર્મની કડક વ્યાખ્યા છે. બીજા ધર્મોમાં તો ધર્મસ્થાન કહેવાતાં હોય પણ ત્યાં જ અધર્મની પ્રવૃત્તિની છૂટ હોય છે. ત્યાં સંન્યાસી મંદિરમાં જ લગ્નના આશીર્વાદ આપે, મૌલવી મસ્જિદમાં જ નિકાહ પઢાવી આપે, ખ્રિસ્તી પણ ચર્ચમાં જઈને લગ્ન કરે. એટલે તેમનાં ધર્મસ્થાનકોમાં અધર્મની પ્રવૃત્તિ થાય જ નહીં, તેવો
१ 'तीर्थसेवनं' तीर्थं नद्यादेरिव संसारतारेण(रणे)- सुखावतारो मार्गः, तच्च द्विधा द्रव्यतीर्थं भावतीर्थं चेति, तत्र द्रव्यतीर्थं जिनजन्मादिभूमय, उक्तं च- जम्मं दिक्खा नाणं, तित्थयराणं महाणुभावाणं । जत्थ य किर निव्वाणं, आगाढं दंसणं होइ।।१।। भावतीर्थं तु चतुर्वर्णश्रीश्रमणसङ्घः, प्रथमगणधरो वा, तस्य सेवनं पर्युपास्तिकरणम्।।२।।
| (સર્વિસંતતિ સ્નો ૪૦ ટકા) ★ तीर्थं नद्यादेरिव संसारस्य तरणे सुखावतारो मार्गः। तच्च द्वेधा द्रव्यतीर्थं भावतीर्थं च। द्रव्यतीर्थं तीर्थकृतां जन्म-दीक्षाज्ञान- निर्वाणस्थानम्। यदाह- "जम्मं दिक्खा नाणं तित्थयराणं महाणभावाणं। जत्थ य किर निव्वाणं आगाढं दंसणं होइ।।"[]
(योगशास्त्र प्रकाश- २ श्लोक १६ टीका)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org