________________
ધર્મતીર્થની વ્યાખ્યા
૧૦૫ રાખ્યો છે. તેથી તે તમામ વ્યાખ્યાઓ “બાપIIઘો” વ્યાખ્યા સામે ગૌણ બની ગઈ, અને પ્રસ્તુત વ્યાખ્યાની જ પ્રધાનતા સ્થાપિત થઈ. અપેક્ષાએ તે તે વ્યાખ્યાઓમાં અધૂરાપણું કે ત્રુટિ કહી શકાય, છતાં તે વ્યાખ્યા અંતર્ગત ધર્મ પણ જિનાજ્ઞામાં આવી જતો હોય તો તે સમ્યગ્ધર્મ તરીકે માન્ય જ છે; કારણ કે આત્મહિતકારિતા એ જ સમ્યગ્ધર્મનો નક્કર માપદંડ છે. દા.ત. બજારમાં પાંચ રૂપિયે કિલો ચોખા હોય અને સો રૂપિયે કિલો પણ ચોખા હોય. પરંતુ કોઈને તેમાં પાંચ રૂપિયાવાળા પચતા હોય તો તે તેના માટે સારા છે, અને સો રૂપિયાવાળા ચોખા ખાવાથી ઝાડા થતા હોય તો તે તેને માટે નકામા છે; કારણ કે આહારમાત્રનું અંતિમ લક્ષ્ય તો પોષણ જ છે. તેમ ધર્મમાત્રનો મૂળ ઉદ્દેશ તો આત્મિક હિત જ છે, અને અત્યંત મહત્ત્વની વાત એ છે કે 'જિનાજ્ઞા ભળ્યા વિના કોઈ પણ ધર્મ કદી પણ આત્મહિતકારી બની શકતો નથી. તેથી જિનાજ્ઞાનુસારિતાનો સર્વત્ર આગ્રહ છે, પછી તે સામાજિક ધર્મ હોય કે નૈતિક ધર્મ હોય તો પણ વાંધો નથી. જિનાજ્ઞા પ્રમાણે કરેલો નાનો ધર્મ પણ સાચો અને જિનાજ્ઞાવિરુદ્ધ કરેલો ઊંચો ભક્તિભાવ પણ નકામો. જિનાજ્ઞાવિરુદ્ધ કોઈએ દેરાસર બંધાવ્યું તો પણ અમે વખાણ કરવા તૈયાર નથી. ધર્મની આ છેલ્લી વ્યાખ્યા છે. જ્યાં સામાજિક કર્તવ્યની જિનાજ્ઞા હોય ત્યાં સામાજિક કર્તવ્ય, જ્યાં શુભ ભાવ કરવાની જિનાજ્ઞા હોય ત્યાં શુભ ભાવ, જ્યાં શુદ્ધ ભાવ કરવાની જિનાજ્ઞા હોય ત્યાં શુદ્ધ ભાવ કરો તો જ તે હિતકારી છે. પરંતુ તેનાથી વિપરીત હિતકારી નથી. તેથી બધે આજ્ઞાપ્રધાન બન્યા સિવાય છૂટકો નથી.
सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं । મમયવિઝાWi, +0f GUJoi AવળoIoi |૧||
(મમ્મલિત પ્ર01. સ્નો-૧) અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા મહામંગલકારી અને સર્વોત્કૃષ્ટ એવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. ડૂબતાને તરીને પાર ઊતરવામાં સહાયક બને તે તીર્થ :
તીર્થંકરના શાસનને સમજવા માટે “ધર્મતીર્થ’ શબ્દના ભાવાર્થનો આપણે વિચાર કરતા હતા. તેમાં “ધર્મ' શબ્દની વ્યાખ્યાઓ, તેની ગુણવત્તા, પરસ્પર તારતમ્ય, અને તેનું અંતિમ લક્ષણ વગેરેનો આપણે વિચાર કરી ગયા. હવે “તીર્થ’ શબ્દ પર વિચાર કરવાનો છે. તીર્થ શબ્દ જૈનશાસનમાં બહુ પ્રચલિત છે. તમે
१ वचनेत्यादि । वचनाराधनया आगमाराधनयैव, खलुशब्द एवकारार्थः, धर्मः श्रुतचारित्ररूपः संपद्यते, तद्बाधया तु-वचनबाधया त्वधर्म इति।
(षोडशक बीजं, श्लोक १२ टीका आ. यशोभद्रसूरि) २. यैव ह्याज्ञा सा सर्व एव धर्म इति
(धर्मपरीक्षा श्लोक ८६ टीका)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org