SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મતીર્થની વ્યાખ્યા ૧૦૩ નથી, પણ તમે દેવ-ગુરુ-ધર્મ સાથે કેવું વર્તન કરો છો, તે તમે જાતે વિચારો. સારા માણસ સાથે આ રીતે વર્તે તો સારો માણસ પણ સહન ન કરે. તમારે અહીં જાણવું નથી, ભણવું નથી, જાણકાર બનવું નથી, જાણકારની સલાહ માનવી નથી અને છતાં મારો ઉદ્ધાર થવો જોઈએ તેવી demand-માગણી છે. તો બાપનું રાજ છે કે ઉદ્ધાર થઈ જશે ? તમે કોઈ વકીલ પાસે જાઓ અને કહો કે કાયદો જાણે કે ન જાણું પણ તમારી સલાહમાં માથું મારીશ, તમારી સાથે ચર્ચા કરીશ, અને પછી મને બેસે તેટલી સલાહ માનીશ. તો તે વકીલ તમને શું કહે ? સભા : ધર્મના ક્ષેત્રમાં જાણકાર સમય ન આપી શકે તો ? સાહેબજી : તમે સાચા સમર્પિત થાઓ તો શરણે આવેલાને જ્ઞાની એક મિનિટમાં પણ એવી સલાહ આપી દે, કે જે જીવનમાં પાળવાથી તમારું દીર્ઘ સમય સુધી કલ્યાણ થાય. આ કહે છે કે જાણકાર મારી બાજુમાં બેસે, મને સતત પંપાળે, સવારથી સાંજ સુધી પોતાના મૂલ્યવાન સમયની પરવા કર્યા વિના મને સલાહ આપ્યા કરે, તો હું કાંઈ ધર્મમાં કરું. નિષ્ણાત ડૉક્ટરને કહો કે મને વધારે પાંચ મિનિટ સુધી સલાહ આપી સમજાવો, તો તે શું કહે ? અરે ! ડૉક્ટર કહે, હું તમારો રોગ અને ઉપચાર બે મિનિટમાં જાણી જાઉં તો બે મિનિટમાં સલાહ આપી છૂટો થઈ જાઉં. સભા સમજાવીને કહે તો વ્યવસ્થિત બેસી જાય ને ? સાહેબજી : ડૉક્ટરને કહેજો કે “સીધી દવા ન આપો, પહેલાં મને રોગ વિસ્તારથી સમજાવો, તેના symptom-ચિહ્ન જણાવો, ત્યાર બાદ રોગને કાબૂમાં લેવા આ જ દવા કેમ અસરકારક ? વળી આ દવા શરીરમાં જશે તો શું પ્રક્રિયા થશે ? તે બધું સમજાવો તો હું દવા કરું.” જો નિષ્ણાત ડૉક્ટર હશે તો કહેશે કે અહીંથી વિદાય થાઓ. ધર્મના ક્ષેત્રમાં તમે જાણકાર પાસે જાઓ તો પણ જાણકારના ગુરુ હો તે રીતે વર્તવા માંગો છો. વળી સલાહકાર જાણકાર હોય પણ સ્વાર્થી હોય તો નકામો, અને નિઃસ્વાર્થી પણ અબૂઝ સલાહકાર હોય તો પણ નકામો. તેથી શાસ્ત્ર કહે છે કે જાણકાર અને નિઃસ્વાર્થી એવા પરોપકારરસિક જ્ઞાની ગુરુ જ શરણે આવેલાનું કલ્યાણ કરી શકે. સભા : દવા અને ધર્મ એક વસ્તુ નથી. ધર્મ તો અંદરમાં પરિણામ પમાડવાનો છે. સાહેબજી દવા પણ શરીરમાં પરિણામ પામ્યા વિના ઝાડા વાટે નીકળી જાય તો રોગ નહીં મટે. સભા : ડૉક્ટર પર શ્રદ્ધા વધારે છે, અહીંયાં ઓછી છે. સાહેબજી કેમ કે તમને ધર્મનો ખપ ઓછો છે. બાકી અમે ડૉક્ટરો કરતાં વધારે to the point-મુદ્દાસર વાત કરીએ છીએ. વળી ત્યાં તો પહેલાં ફી માંગે છે, એટલે નિઃસ્વાર્થ નથી, પણ ધંધાદારી છે. જ્યારે અમારે તમારી પાસેથી કાંઈ લેવાનું નથી. તમે અમને આપી આપીને શું આપવાના ? તમારી પાસે જે છે તે બધાને અમે નકામું માનીને છોડી દીધું છે. અમારી દૃષ્ટિએ તમે બાવાજી છો. તમે અમને બાવાજી માનો છો અને અમે તમને બાવાજી માનીએ છીએ. વાસ્તવમાં અમારે વળતર વિના આપવાનું છે, છતાં તમને વિશ્વાસ ન બેસે તો શું કરવું? પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ લખ્યું કે “જગતમાં સદ્દગુરુથી ઊંચી વિશ્વાસપાત્ર બીજી કોઈ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005530
Book TitleDharmtirth Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGangotri Granthmala
Publication Year2007
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy