________________
૧૦૨
ધર્મતીર્થની વ્યાખ્યા સલાહ લેતાં પહેલાં શોધવું પડે; કેમ કે આજે લુચ્ચા કે અણઘડ ડૉક્ટરો ઘણા છે. માંદગીમાં તમે સારામાં સારા નિષ્ણાત ડૉક્ટરની તપાસ કરો અને પછી તેમની સલાહ પ્રમાણે ચાલો? કે તમને મન ફાવે તેમ વર્તન કરો ? બસ, તેમ અહીં પણ તમે જિનાજ્ઞા જાણતા નથી, વળી અત્યારે તેને જાણવાની શક્તિ પણ નથી, તો જિનાજ્ઞાના જાણકારને શોધીને તેમની સલાહ પ્રમાણે ચાલો.
સભા જિનાજ્ઞા તો શાસ્ત્રમાં હોય ને ?
સાહેબજી : હા, હું ક્યાં કહું છું કે મારા મગજમાં જ છે ? મારી પણ જવાબદારી છે કે હું જે બોલે તેમાં 2127111 quotations-ziER{ 241494 43. We speak with accountability, without accountability we can't speak anything.-અમે પૂરી જવાબદારી સાથે બોલીએ છીએ, જવાબદારી સિવાય અમે કાંઈ બોલી શકીએ જ નહીં. અમે જ્ઞાનીઓનાં વચનો વાંચી, જાણીને કહીએ છીએ. ચિકિત્સાક્ષેત્રમાં પણ કોઈ ડૉક્ટર એમ નહીં બોલે કે “I am father of medical science.’ હું મેડિકલ વિજ્ઞાનનો પિતા છું. વાંચી, જાણીને ડૉક્ટર બનેલ ચિકિત્સક તમારા માટે authority ગણાય કે નહીં ? તમે કહો કે હું તેને authority ન ગણું, તો તમે પ્રાયઃ માંદા જ રહેશો. અખતરા તરીકે એક વર્ષ સુધી તમે તમારી દવા જાતે, મન ફાવે તેમ કરો, પછી જુઓ, શું પરિણામ આવે છે ?
સભા : ઉપર પહોંચી જઈએ.
સાહેબજી ત્યાં ઉપર પહોંચી જવાનો ડર છે. શરીરની દવા કરતાં સતત જીવનની ચિંતા છે. શરીર સ્વસ્થ રહેવું જોઈએ તેવી તમારી સતત અપેક્ષા છે. પરંતુ તમને આત્માની દવા કરવાની જરૂર લાગતી નથી, તેથી આત્માને સાજ-સ્વસ્થ રાખવા કોઈ મહેનત નથી. જે દિવસે તમને થશે કે મારે મારું આત્મકલ્યાણ થાય તેવો ધર્મ ચોક્કસ કરવો છે, તે દિવસે તમે કાં તો જિનાજ્ઞાના જાણકાર બની જશો અથવા જાણકાર સુગુરુની શોધ કરશો. અત્યાર સુધીમાં તમને સાચા ધર્મની જરૂર ઊભી થઈ નથી, માટે જીવનમાં જાણકારી કે શોધ બેમાંથી એકે કર્યું નથી.
સભા : થોડું ઘણું કરીએ છીએ.
સાહેબજીઃ ડૉક્ટરને કહેજો કે “થોડું ઘણું medical science-આરોગ્ય વિજ્ઞાન વાંચું છું. થોડી દવા મારી બુદ્ધિથી વિચારીને લઉં છું. તમારી સલાહ પણ વિચારીશ.” ચર્ચા કર્યા પછી મારી બુદ્ધિમાં બેસશે તે રીતે દવા કરીશ. તો કોઈ જાણકાર ડૉક્ટર આવું ચલાવે ખરો ?
સભા સામાન્ય વાત પણ નથી સાંભળતા, તો આવી વાત તો ક્યાંથી સાંભળે ?
સાહેબજી ? તો પણ જાણકારની ગરજ હોવાથી “જી સાહેબ”, “જી સાહેબ” કરી અને ફી આપી નમ્રતાથી ઊભા રહો છો. જ્યારે ધર્મના ક્ષેત્રમાં તમારું વર્તન કેવું છે ? તમે ધર્મના ક્ષેત્રમાં જે રીતે વર્તો છો તે રીતે દુનિયાના બીજા કોઈ પણ ક્ષેત્રમાં વર્તે તો તમને કોઈ ઊભા પણ રહેવા ન દે. પરંતુ અહીં ગરજ નથી તેનું આ ફળ છે. બહુ આકરી વાત છે. તમને હૃદયમાં બરાબર ચોટ લાગવી જોઈએ. મને સંભળાવવામાં રસ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org