SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૧ ધર્મતીર્થની વ્યાખ્યા જતાં પહેલાં પ્રશસ્ત કષાયરૂપ દયા છોડવાની છે, પરંતુ સમકિત નથી છોડવાનું. સમકિત તો સિદ્ધાવસ્થામાં પણ જાળવી રાખવાનું છે. માત્ર તેનું ક્ષયોપશમમાંથી ક્ષાયિકમાં conversion(પલટો) થશે. સભા : અહિંસાનો ભાવ તો મોક્ષમાં પણ સાથે લઈ જવાનો જ છે ને ? સાહેબજી : ક્ષાયિક ભાવરૂપ અહિંસાનો ભાવ મોક્ષમાં જાળવવાનો છે, પરંતુ પ્રશસ્ત કષાયરૂપ દયાનો ભાવ છોડવાનો છે. પ્રશસ્ત કષાય શુભ ભાવ છે, અપ્રશસ્ત કષાય અશુભ ભાવ છે, આત્માના ક્ષયોપશમભાવના, ઔપથમિકભાવના કે ક્ષાયિકભાવના ગુણો શુદ્ધભાવ છે. વળી પ્રશસ્ત કષાય શુભ ભાવ કહેવાય, પણ તે બે પ્રકારના છે. (૧) વિવેકપૂર્વકના અને (૨) અવિવેકપૂર્વકના, એટલે કે વિવેકશૂન્ય. પ્રશસ્ત કષાયો વિવેકપૂર્વકના હોય તો આત્માને પુણ્યાનુબંધી પુણ્ય બંધાવે અને અવિવેકપૂર્વકના હોય તો પાપાનુબંધી પુણ્ય બંધાવે. પણ બધા પ્રશસ્ત કષાય શુભ ભાવ જ કહેવાય. સર્વથા કષાયના અભાવમાં શુભ ભાવ જ ન હોઈ શકે અને શુભ ભાવની ગેરહાજરીમાં આત્માને પુણ્ય પણ ન બંધાય. ધર્મમાં અનેક પ્રકારનાં વિભાજન છે. બધા ધર્મોની quality-જાત ભિન્ન ભિન્ન હોય. કોઈ inferior qualityનો-હલકી જાતનો ધર્મ હોય તો કોઈ superior qualityનો-ઊંચી જાતનો ધર્મ હોય. તમને ખબર પડે કે આ superior છે અને પેલો inferior છે, તો શક્તિ ન હોવા છતાં, inferior ધર્મને પડતો મૂકીને superior ધર્મને વળગી પડો તે મૂર્ખતા છે; કેમ કે inferior qualityનો ધર્મ જે અવસરે જિનાજ્ઞારૂપ છે ત્યારે તેને જ સ્વીકારવાનો છે, superior qualityનો ધર્મ તમારી શક્તિ ન હોય તો પકડવાનો નથી. બધા ધર્મનો સમન્વય આત્મહિતકારિતાની દૃષ્ટિથી કરવો હોય તો જિનાજ્ઞામાં અવશ્ય આવવું પડે. અમે કહીએ કે સાંસારિક લગ્નક્રિયામાં પણ જેટલી જિનાજ્ઞાને અનુસરો તો તે સામાજિક ક્રિયારૂપ વિવાહધર્મ પણ પુણ્યાનુબંધી પુણ્ય આદિનું કારણ બને, અને જિનાજ્ઞાવિરુદ્ધ ઊંચાં ધ્યાન-તપ-ત્યાગ કરો તો પણ તે તમારા આત્મા માટે કલ્યાણકારી નહીં બને. સર્વત્ર જિનાજ્ઞા જાણવા કાં ગીતાર્થ બનો, કાં ગીતાર્થને સમર્પિત થાઓ : સભા : દરેક પ્રસંગમાં જિનાજ્ઞા કેવી રીતે જાણવી ? સાહેબજી એટલું સમજી રાખો કે ભૌતિક જગતમાં પણ આ બે જ માર્ગ છે. (૧) કાં તો જાણકાર બનો અથવા (જો તે બનવાની શક્તિ ન હોય તો) (૨) જાણકારની સલાહ પ્રમાણે ચાલો. તમે જિનાજ્ઞા ભણી તેમાં નિષ્ણાત બનો તો મારે તમને અબૂઝ રાખવા નથી, ખુશીથી ભણો. અરે ! જિનાજ્ઞા ભણતાં ભણતાં જિંદગી પૂરી થઈ જાય તો પણ નુકસાન નથી. પણ તેવી જાણવાની શક્તિ ન હોય તો અમે કહીએ કે જાણકારની સલાહ મુજબ ચાલો. આ નિયમ સાર્વત્રિક છે કે, નિષ્ણાત બનો અથવા તો નિષ્ણાતની સલાહ મુજબ ચાલો. દા.ત. આરોગ્યશાસ્ત્રનું તમને જ્ઞાન નથી, તેથી માંદા પડો તો ડૉક્ટર કે વૈદ્ય પાસે સામે ચાલીને જઈને ફી રૂપે પૈસા આપી સલાહ લો છો, અને જે સલાહ આપે તેમાં જરા પણ સ્વતંત્ર માથું મારતા નથી. કારણે ત્યાં તમને ખબર છે કે ડૉક્ટર જે કહે તે જ કરવું હિતકારી છે. હા, ડૉક્ટર સારા-સજ્જન ને નિષ્ણાત છે કે નહીં, તે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005530
Book TitleDharmtirth Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGangotri Granthmala
Publication Year2007
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy