SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧oo ધર્મતીર્થની વ્યાખ્યા આજ્ઞાવિરુદ્ધ ધ્યાનમાં પણ ધર્મ નથી : તે જ રીતે ઘણા માને છે કે તીર્થંકર પરમાત્માએ દીક્ષા લીધા પછી પ્રાયઃ ધ્યાન જ કર્યું છે. બીજી કોઈ ક્રિયાઓ નથી કરી, છતાં તેઓ ફક્ત ધ્યાન કરી કેવલજ્ઞાન પામી ગયા. તેથી ખરો ધર્મ ધ્યાન જ છે. પણ આવું બોલનારનું મોટું જોતાં મને થાય કે, ભગવાનના ધ્યાનની વાત કરે છે પરંતુ તેનામાં તો સામાન્ય ધ્યાન કરવાની પણ ક્ષમતા નથી દેખાતી. ભગવાન મહાવીર ચોવીસ કલાક ધ્યાન કરતા હતા, જ્યારે તમને ધ્યાન કરવા બેસાડીએ તો ચોવીસ મિનિટમાં ઊંચા-નીચા થઈ જાઓ તેમ છો. પાછી તે વ્યક્તિ કહે કે “મને ક્રિયાઓમાં રસ નથી. સામાયિક-પ્રતિક્રમણમાં મઝા ન આવે. પણ ધ્યાનમાં જે મજા છે, તે જુદી જ છે.’ પણ તેને ખબર નથી કે જિનાજ્ઞા ક્યાંથી ચાલુ થાય છે. જિનાજ્ઞા વિરુદ્ધ ધ્યાન કરો તો તે પણ નકામું. જિનાજ્ઞા પ્રમાણે નાની ક્રિયા કરશો તો તે સમ્યગ્ધર્મ બનશે. સર્વ પ્રવૃત્તિમાં પહેલાં જિનાજ્ઞાનો વિચાર કરો. આજ્ઞાવિરુદ્ધ કોઈ પણ પ્રવૃત્તિ કરતા હશો, પછી તે સત્યવૃત્તિ-સદાચાર કાંઈ પણ હોય, પરંતુ તેની ફૂટી કોડીની કિંમત નથી. અત્યારે જૈનોમાં પણ ઘણા નૈતિક કર્તવ્યની, ઘણા કૌટુંબિક-સામાજિક કર્તવ્યની, ઘણા ગતાનુગતિક ધર્મક્રિયાની, ઘણા કોરા પુણ્યબંધની, ઘણા સદ્ગતિની, ઘણા સમકિતની, ઘણા ધ્યાનની, ઘણા શુદ્ધ ભાવની વાત લઈને બેસી ગયા છે. આખો દિવસ તેમના ઘરનો કક્કો ગોખે રાખે અને શાસ્ત્રનાં quotationsઅવતરણ પણ આપે. પરંતુ આ બધા એકાંગી દૃષ્ટિકોણવાળા જિનાજ્ઞાનિરપેક્ષ ધર્મને સેવનારા છે. સભા સમકિત વિનાનો મિથ્યાષ્ટિ જીવ આત્મકલ્યાણ કરી શકે ? સાહેબજી : બોધિબીજ પામેલો મિથ્યાદૃષ્ટિ જીવ પણ આત્મકલ્યાણ કરે જ છે. મિથ્યાદૃષ્ટિ જીવ પણ જિનાજ્ઞા મુજબ ધર્મ કરે તો તે હિતકારી છે. મેઘકુમારના જીવે હાથીના ભવમાં એક સસલાની દયા પાળીને મોક્ષસાધક અનેક ગુણો કેળવ્યા છે. તેથી તેને જિનાજ્ઞાનુસારી ધર્મ ગણવો જ પડે. જે જીવને અત્યારે જે આત્મહિતકારી છે, તે તેના માટે માર્ગ છે, આજ્ઞા છે. સભા : આ કાળમાં શુદ્ધ ભાવની શક્યતા ખરી ? સાહેબજી : છઠ્ઠા ગુણસ્થાનક સુધીનો શુદ્ધભાવ આવી શકે છે, તેનાથી ઉપરનો ન આવે. સર્વથા શુદ્ધભાવ ન હોય તો મોક્ષમાર્ગનો વિચ્છેદ થઈ જાય; કેમ કે મોક્ષમાર્ગની પ્રારંભિક સાધના પણ આંશિક શુદ્ધભાવથી જ ચાલુ થાય છે, અને શુદ્ધભાવની પરાકાષ્ઠા તે જ ચૌદમું ગુણસ્થાનક છે. સમકિત પણ શુદ્ધ ભાવ છે. જે મોક્ષમાં સાથે રહે તે બધા શુદ્ધ ભાવ છે, અને મોક્ષે જતાં પહેલાં તે આત્મામાં અવશ્ય કેળવવાના છે. વળી અત્યારે જે કેળવવાના છે અને મોક્ષમાં જતાં પહેલાં છોડવાના છે, તે બધા શુભભાવ કહેવાય. સભા : ક્ષયોપશમભાવના ગુણ શુદ્ધભાવમાં ગણાય ? સાહેબજી : હા, ક્ષયોપશમભાવ, ઉપશમભાવ અને ક્ષાયિકભાવના ગુણો શુદ્ધભાવના ગુણો જ કહેવાય. સભા : ક્ષયોપશમભાવના ગુણો તો મોક્ષે જતાં પહેલાં છોડવાના જ છે ને ? સાહેબજી : ના, તેને મૂળથી છોડવાના નથી પણ convert કરવાના (બદલવાના-પલટવાના) છે. મોક્ષે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005530
Book TitleDharmtirth Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGangotri Granthmala
Publication Year2007
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy