SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મતીર્થની વ્યાખ્યા તો તેનું કલ્યાણ થશે. ભગવાન કહે છે કે મારો ભગત હોય કે ન હોય, પણ હું કહું છું તે પ્રમાણે ગુણ વિકસાવશે તો તેનું ચોક્કસ કલ્યાણ થશે. સભા : જિનાજ્ઞા પ્રમાણે ધર્મ કરનાર મિથ્યાષ્ટિ પણ હોય ? સાહેબજી : સમ્યક્તથી જ જિનાજ્ઞાની શરૂઆત થાય છે તેવું એકાંતે નથી. શુદ્ધ વ્યવહારનયથી મોક્ષસાધક ધર્મ કરનારા માર્ગાનુસારી જીવોને પણ જિનાજ્ઞા અનુસારી કહ્યા છે. તેથી જ પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ કહ્યું કે “અન્ય ધર્મમાં રહેલો છે, ત્યાંનો ઉપાસક છે; અમને માનતો પણ નથી, તેના દેવ-ગુરુ-ધર્મને પૂજે છે; છતાં ભગવાન કહે છે તે મુજબની દયા અંશથી પણ પાળતો હોય, તો અમે પ્રશંસા કરવા તૈયાર છીએ, કારણ કે તેનાથી તેનો આત્મા તરશે.” ગમે ત્યાં રહેલો જિનાજ્ઞા મુજબ વર્તતો હશે, તો તેના જીવનમાં અંશથી પણ સમ્ય ધર્મ આવી ગયો. વ્યવહારથી જિનના ભગતનો પણ જિનાજ્ઞાનિરપેક્ષ ધર્મ : વર્તમાનમાં એવા જૈન શ્રાવકો છે કે જે જિનને જ પૂજ્ય માનતા હોય, વળી સંસાર તરી મોક્ષે જવાનું ધ્યેય દર્શાવતા હોય, અને આખો દિવસ જ્ઞાતાદ્રષ્ટાભાવની વાતો કર્યા કરે, વિભાવદશાને છોડી શુદ્ધભાવમાં જ રહેવું, કોઈ જાતના કષાય ન કરવા એમ કહ્યા કરે; પરંતુ જમવા બેસે ત્યારે ચટણી તો જોઈએ જ, શાક પણ બે-ચાર જોઈએ, એક શાકથી પણ નથી ચાલતું, અને કહે કે અમે શુદ્ધભાવમાં રહીશું. આવા લોકો જે ઊંચા ધર્મની વાતો કરે છે, તે શ્રેષ્ઠ ધર્મ અત્યારે તેમના આચરણ માટે છે જ નહીં, કેમ કે તે ભૂમિકામાં તેવી જિનાજ્ઞા નથી. ઉપરાંત તેમના માટે અત્યારે જે જિનાજ્ઞા અનુસાર આચરણીય ધર્મ છે તે કરવાની તેમની તૈયારી નથી. આવાને હું કહું કે તમારા માટે ભગવાનની આજ્ઞા ત્યાગ-સંયમ ધર્મની છે, જ્ઞાતાદ્રષ્ટાભાવની નથી, પણ તે નહિ માને. નીચો ધર્મ પણ આજ્ઞા મુજબનો કરતો હોય તો અમે ચડિયાતો કહેવા તૈયાર છીએ, અને ઊંચો ધર્મ પણ આજ્ઞાવિરુદ્ધ કરતો હોય તો કાઢી મૂકીએ. આખો દિવસ કાષાયિક ભાવમાં વર્તતો હોય, પણ પ્રશસ્ત કષાયરૂપ ધર્મ કરવાનો આવે તો કહે કે હું સમતામાં રહેવા પ્રયત્ન કરું છું. બીજાને પણ કહે કે સમભાવ રાખવો તે જ જિનાજ્ઞા છે, સમતા જ સાચો ધર્મ એમ કહી ધર્મના ક્ષેત્રમાં પ્રશસ્ત કષાયને અવગણી સમતા કેળવ્યા કરે. વળી તેને દેરાસર દર્શન કરવામાં, જિનપૂજામાં કે મહાત્માને ભક્તિ-નમસ્કાર કરવામાં કોઈ રસ ન હોય, ખાલી સમતાને ઘૂંટ્યા કરે. તો હું કહીશ કે તે જિનાજ્ઞા સમજ્યો નથી; કારણ કે અત્યારે તેને માટે સમતા નથી, માત્ર સમતાનું પૂછડું પકડી તે અધર્મ કરે છે. ઊંચો પણ જિનકથિત ધર્મ તેના માટે અહિતકારી છે. તેને અમે કહીએ કે ભગવાન અને સદ્ગુરુ પ્રત્યે અત્યારે રાગ કરવાનો. તો તેને મનમાં થાય કે રાગ તો કષાય કહેવાય, આત્મામાં મોહના નાશથી-મોહના ક્ષયથી ધર્મ છે, રાગ આદિ મોહના ભાવ કરવા તે કદી ધર્મ ન હોય. આ તેની ધર્મની સમજણ જિનાજ્ઞાનિરપેક્ષ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005530
Book TitleDharmtirth Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGangotri Granthmala
Publication Year2007
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy