________________
ધર્મતીર્થની વ્યાખ્યા
૯૩ પાળો કે માનવતાના ગુણો કેળવો કૌટુંબિક કર્તવ્યો અદા કરો તો તે પણ અવશ્ય ધર્મ છે; જ્યારે જિનાજ્ઞાવિરુદ્ધનાં નૈતિક કર્તવ્ય આદિને પણ હું ધર્મ કહેવા તૈયાર નથી. આ જ રીતે દયા, પરોપકાર, કરુણા, મૈત્રી, વિનય, ભક્તિ સર્વ માટે સમજવું. Creamy cream, extracty extract-માખણનું પણ માખણ, સારનો પણ સાર આ વ્યાખ્યામાં કહ્યો છે. વળી નૈતિક મૂલ્યોની જ્યાં આવશ્યકતા હોય ત્યાં તેને ગૌણ પણ ન કરાય અને એકાંગી બનીને ગમે ત્યાં નૈતિકતાનું પૂંછડું પકડો તે પણ અનુચિત છે. દા.ત. કોઈ આપણાં ઉત્તમ શાસ્ત્રોને ચોરી ગયું હોય, અને તે બીજી રીતે પ્રાપ્ત કરી શકાય તેમ ન હોય, ત્યારે નૈતિકતાનું પૂંછડું પકડી રખાય ? જિનાજ્ઞાસાપેક્ષ અનૈતિકતામાં પણ ધર્મ, તેનું દૃષ્ટાંત :
આ બાબતમાં પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજા અને પૂ. ઉપાધ્યાયજી શ્રી વિનયવિજયજી મહારાજાનું દૃષ્ટાંત આવે છે. તેઓશ્રી ૩૫૦ વર્ષ પહેલાં થયા છે. પૂ. ઉપાધ્યાયજી મહારાજ સાહેબ તો એવા જ્ઞાની છે કે, તેમના કાળમાં થયેલા મહાત્માઓએ તેમના માટે લખ્યું કે, અમે પૂર્વધરોને જોયા નથી, પણ આ મહાત્મા પૂર્વધરોના જ્ઞાનની કલિકાલમાં પણ ઝાંખી કરાવે તેવી પ્રચંડ પ્રતિભાશક્તિ ધરાવે છે. યુવાવસ્થામાં તેઓ તેમના ગુરુની કૃપા-આજ્ઞાથી કાશી ભણવા ગયેલા. ત્યાં પણ અનેક વિદ્વાનોને તર્કશક્તિથી પ્રભાવિત કર્યા. તેઓ કાશીના શ્રેષ્ઠ વિદ્વાનો પાસે ભણતા હતા. તેમની બધી અભ્યાસની વ્યવસ્થા અમદાવાદના ધનાઢ્ય
એ કરેલી. અત્યારે આવા જાગ્રત શ્રાવકો સંઘમાં મળે કે કેમ તે પ્રશ્ન છે. આ મહાત્માને તે કાળમાં ઉપલબ્ધ શ્રેષ્ઠ કક્ષાની ભણવાની સામગ્રી મળે તે માટે, પંડિતને જેટલા ધનની અપેક્ષા હતી તેના કરતાં વધુ ધન આપીને આ શ્રાવકે સંતુષ્ટ કર્યા છે. છતાં જૈનેતર વિદ્વાનો પોતાની વાતનાં છેલ્લાં secret-રહસ્ય ભણનારને આપે જ તેવો નિયમ નથી. તમે ધર્મમાં ઊંડા નથી ઊતર્યા, માટે તમને ખબર ન હોય. પરંતુ ધર્મશાસ્ત્રોના ઊંડા અભ્યાસમાં જાઓ એટલે વાદ આવે, શાસ્ત્રાર્થ આવે, જેની છેલ્લી દલીલો જાણવા પ્રાયઃ પ્રતિભાસંપન્નને પણ સાધન-સામગ્રી જોઈએ; કારણ કે બધાનો ક્ષયોપશમ ગણધરો જેવો ઉત્કટ નથી હોતો. હવે પેલા પંડિત પાસે વાદ અંગેનાં top secret-ઊંચાં રહસ્ય છે. પૂ. ઉપાધ્યાયજી મહારાજ સાહેબ તપાસ કરે છે કે, અમને શાસ્ત્રાર્થમાં પછડાટ ખવડાવે તેવી વાદશક્તિની છેલ્લામાં છેલ્લી દલીલો-તર્કોનો સંગ્રહ, પંડિતજીએ ક્યાં કર્યો છે ? આમ, તપાસ કરતાં કરતાં ખબર પડી કે આ પંડિતજીનો પોતાનો એક સ્વહસ્તલિખિત સંગ્રહાત્મક ગ્રંથ છે, તેમાં તેમણે top secret-ઊંચાં રહસ્ય ટૂંકમાં લિપિબદ્ધ રાખ્યાં છે, પણ તે ગ્રંથ તેઓ જીવનમાં કોઈને કદી આપતા નથી. આ બંને મહાત્મા વિચારે છે કે આ ગ્રંથ કોઈ પણ રીતે અવશ્ય મેળવવા જેવો છે અને વાંચવા જેવો છે. ગમે તેમ તોય વિદ્યાગુરુ છે, રોજ વિનયનો વ્યવહાર કરીએ છીએ છતાં પણ ગ્રંથ માંગીશું તો એમ ને એમ નહીં મળે. આ બંને સહાધ્યાયી એકાંતમાં વિચારે છે કે શું કરવું ? તેમણે જોયું કે પંડિતજીની અગત્યની વસ્તુની સારસંભાળ લેનાર પંડિતજીનાં ધર્મપત્ની છે. પંડિતજી પોતે પોતાને હાથે ગ્રંથ આપે તેવી શક્યતા નથી. માટે તેમની ગેરહાજરીમાં-પંડિતજી ન હોય ત્યારે ગુરુપત્નીને સાધવાની જરૂર છે. તેથી બંનેએ ગુરુપત્નીની એવી સેવા કરી છે કે ગુરુપત્ની ખુશ થઈને કહે છે કે તમે મારી સગા દીકરા કરતાં પણ વધારે સાચવણ કરી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org