________________
૯૨
ધર્મતીર્થની વ્યાખ્યા કોઈ જાણકાર કહે કે દૂધ સંપૂર્ણ પોષક આહાર છે, શરીરને જોઈતાં પોષક તત્ત્વો તેમાંથી પૂરતાં મળી રહે છે. આ સાંભળી કોઈ સવારથી સાંજ સુધી દૂધ જ પીધા કરે તો ઊલટું ઝાડા વગેરે તકલીફો થાય. અહીં one sided approach-એકમાર્ગી અભિગમ અપનાવ્યો, જે નુકસાનકારક છે. તેમ જૈનશાસનમાં હિતકારી સર્વ ધર્મોનું વર્ણન છે, પણ ગમે ત્યાંથી ગમે તે પૂંછડું પકડે તો તે ન ચાલે. કોઈ અહિંસા ધર્મ સમજે એટલે જેમાં હિંસા હોય તેવો ધર્મ છોડી દે; અથવા પુણ્ય આત્મા માટે બંધન છે એમ કોઈ સાંભળે, એટલે મનમાં પકડી લે કે પુણ્ય કરવું જ નહીં, પરિણામે પુણ્યસાધક ધર્મ ત્યાગી દે; અથવા સાંભળ્યું કે શુદ્ધ ભાવ એ શ્રેષ્ઠ ધર્મ છે, તેથી સવારથી સાંજ સુધી શુદ્ધ ભાવ જ કર્યા કરે, બાકીના દેવ-ગુરુ-ધર્મ પ્રત્યેના બહુમાન-ભક્તિરૂપ શુભ ભાવને પણ તિલાંજલિ આપી દે. અત્યારે જૈનશાસનમાં ધર્મારાધના કરનારાઓમાં પણ ઢગલાબંધ એવા ધર્મી છે કે જે એક વ્યાખ્યા પકડીને જક્કીની જેમ ફર્યા કરે.
સભા : શ્રદ્ધા કહેવાય ને ?
સાહેબજીઃ આને શ્રદ્ધા ન કહેવાય, એકાંગીપણું કહેવાય. એકાંગી થઈ એક વ્યાખ્યા જે અપનાવો તે ન ચાલે. ઘણા કહે છે કે જીવનમાં નૈતિક કર્તવ્યો પહેલાં હોવાં જોઈએ. નૈતિક કર્તવ્યો વગરનો બધો ધર્મ નકામો. નૈતિક કર્તવ્યોને એટલાં શ્રેષ્ઠ માને કે નૈતિક કર્તવ્ય અદા કરીએ તેમાં સમગ્ર ધર્મ આવી ગયો માને.
સભા : પહેલાં તો માણસ બનવું જોઈએ ને ?
સાહેબજી એમ ! અર્થાત્ માનવધર્મ શ્રેષ્ઠ છે, તેના જેવો ઊંચો ધર્મ કોઈ નથી, એમ તેઓ માને. પછી જડની જેમ માનવધર્મને વળગી બીજું બધું ભૂલી જાય. આવા હજારો મળે.
સભા : “જનસેવા એ જ પ્રભુસેવા' કહેવાય ?
સાહેબજી : તે તો મિથ્યાષ્ટિનું સૂત્ર છે. જૈનશાસનના વિવેકને સમજેલો આવું બોલે નહીં. તમે અત્યારે પરમાત્મા નહીં સાચા ધર્માત્મા પણ નથી બન્યા, છતાં તમને કોઈ ગુંડા સાથે સરખાવે તો તમને કેવું લાગે ? તેની સાથે જમવા બોલાવી એક પંગતમાં બેસાડી સમાન કક્ષાથી તમારા બંનેનાં વખાણ કરીએ તો તમને તે જરૂર અપમાન લાગશે. આવું સ્વાગત-સન્માન સ્વીકારો કે ના પાડી દો ? તમે ગુંડાની parityમાં સમાન કક્ષામાં બેસવા તૈયાર નથી; કારણ કે તમારા અને ગુંડા વચ્ચે વ્યક્તિત્વનો તફાવત છે. તો પામર માનવ અને પરમેશ્વર સરખા કેમ ? આ પરમતત્ત્વની એક ભારે આશાતના છે. બુદ્ધિ ગીરવે મૂકી હોય તે આવું બોલે.
જિનાજ્ઞાથી જ ધર્મનો પ્રારંભ :
વાસ્તવમાં સૌ પ્રથમ જિનાજ્ઞામાં આવવું જ અત્યંત જરૂરી છે. તે સિવાયની માણસાઈ કે નૈતિક મૂલ્યો પણ આત્મિક દૃષ્ટિએ અર્થ વગરનાં છે. તેથી નૈતિક મૂલ્યો જિનાજ્ઞા પ્રમાણે હશે તો અમે ધર્મ કહીશું, અને જિનાજ્ઞાવિરુદ્ધ નૈતિક મૂલ્યો હશે તો તેને પણ ધર્મ બહાર મૂકી દઈશું
સભા : સાચા ધર્મની શરૂઆત ક્યાંથી કરવી ? સાહેબજી : સાચા ધર્મને પાળવો હોય તો સૌ પ્રથમ જિનાજ્ઞામાં આવી જાઓ. ત્યાર બાદ નૈતિક કર્તવ્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org