________________
ધર્મતીર્થની વ્યાખ્યા બધા અનાજમાં પોષણશક્તિ છે, પણ સમાન નથી, ઓછીવત્તી છે. અમુક ઘઉં બહુ ઓછી પોષણશક્તિ ધરાવતા હોય, જ્યારે બીજામાં બહુ પોષણશક્તિ હોય; કોઈ ચોખા વધારે શક્તિદાયક હોય, કોઈમાં શક્તિ આપવાની ક્ષમતા ઓછી હોય; પણ બધાં જ અનાજ દેહને પોષણ આપવાની ક્ષમતા ધરાવે છે. તેમ કપડાંમાં પણ qualityના-જાતના તફાવતના કારણે કોઈ કપડું ઠંડી-ગરમીથી દેહની પૂરતી રક્ષા કરે, કોઈ ઠંડીગરમીથી દેહની પૂરતી રક્ષા ન કરે કે હૂંફ ન આપે; કોઈ વધારે સુખદાયક હોય કોઈ ઓછાં સુખદાયક હોય. તેમ કોઈ કપડાં વધારે સુંદર હોય કોઈ ઓછાં સુંદર હોય, કોઈ ઓછા ટકાઉ હોય કોઈ વધારે ટકાઉ હોય એવો પરસ્પર તફાવત પડે, પણ વસ્ત્રમાત્ર દેહનું રક્ષણ કરવાની, દેહને ઢાંકવાની ક્ષમતા ધરાવે છે. તેમ ધર્મમાત્ર આત્માની ઉન્નતિ કરવાની શક્તિ ધરાવે છે, પછી તે નાનો ધર્મ હોય કે મોટો ધર્મ હોય.Qualityમાંજાતમાં superior qualityનો-ઊંચી જાતનો હોય કે inferior qualityનો-નીચી જાતનો હોય; ઉપરની ભૂમિકાનો હોય કે નીચેની ભૂમિકાનો હોય, પણ ધર્મમાત્ર આત્માની ઉન્નતિ, અને અધર્મમાત્ર આત્માની અવનતિ કરવાની તાકાત ધરાવે છે. જે અવનતિનો અવરોધ કરી, આત્માને ધારી રાખી, ઉન્નતિ તરફ લઈ જાય તે ધર્મ છે. આવા ધર્મના જૈનધર્મે એટલા પ્રકાર બતાવ્યા છે કે તે વાંચીએ તો થાય કે પ્રાથમિક કક્ષાના ધર્મનો પણ જૈનધર્મે ધર્મની વ્યાખ્યામાં સંગ્રહ કર્યો છે અને આત્માના પરાકાષ્ઠાના શુદ્ધ ગુણોરૂપ શ્રેષ્ઠ ધર્મ છે તેનો પણ જૈનધર્મો ધર્મની વ્યાખ્યામાં સમાવેશ કર્યો છે.
ધર્મોની નયસાપેક્ષતા :
જૈનદર્શન નયસાપેક્ષ છે, વિધવિધ નયથી વાત કરનાર છે, જાત-જાતની અપેક્ષાયુક્ત છે. જૈનશાસ્ત્રમાં એવા પણ નય છે કે જે સમ્યગ્દર્શનને પણ ધર્મ કહેવા તૈયાર નથી. તે તો કહેશે કે સમ્યગ્દર્શન એ ધર્મની શ્રદ્ધા છે, સમ્યજ્ઞાન એ ધર્મની સમજ છે, ધર્મનો પ્રારંભ તો શ્રદ્ધા-સમજણપૂર્વકના આચરણથી જ થાય. એની દલીલ પ્રમાણે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાનથી ધર્મની શરૂઆત નથી, પણ સમ્યક્યારિત્રથી ધર્મની શરૂઆત થાય છે. વળી, કોઈ નય એમ પણ કહે કે, બોધિબીજ આદિ યોગની ચાર દૃષ્ટિ પામેલા જીવ પણ મિથ્યાદૃષ્ટિ છે, અને મિથ્યાત્વની અવસ્થામાં કરેલ ધર્મપ્રવૃત્તિ આત્મા માટે હિતકારી નથી; સાચા ધર્મની શરૂઆત તો સમ્યગ્દર્શનથી જ થાય, સમકિત વગરનો બધો ધર્મ નકામો છે, છાર પર લીંપણ સમાન છે. વળી, બીજે ઠેકાણે શાસ્ત્રમાં બોધિબીજનો અપાર મહિમા ગાયો છે, અને પ્રથમ ચાર યોગદષ્ટિના ધર્મને આત્મકલ્યાણસાધક અધ્યાત્મરૂપ વર્ણવ્યો છે. આમાં વિરોધાભાસ નથી, પરંતુ જૈનધર્મ વિધવિધ પાસાથી, જુદા-જુદા નય, જુદી-જુદી અપેક્ષાથી સમગ્ર ધર્મનું વર્ણન કરે છે, તેથી આવું વૈવિધ્ય મળે.
એકાંગી જીવનું હિત દુર્લભ :
પણ બહુધા જીવોની દૃષ્ટિ એકાંગી હોય છે. એટલે જે સાંભળે તે એક વાત પકડી લે. દા.ત. એક ધર્મનો મહિમા સમજાયો. તેથી તે પકડી લે, બીજા બધાને છોડી દે. આવું કરનારની દશા શું થાય ? ધર્મના ક્ષેત્રમાં પણ ધર્મને આરાધીને જે પામવું જોઈએ તે પામી ન શકે. તમારી પાસે ખોરાકની પોષકતાનું વર્ણન કરનાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org