________________
૮૦
ધર્મતીર્થની વ્યાખ્યા થઈ જશે. તો તેવી લાઈનમાં પણ જવા કોઈ શાણો માણસ તૈયાર ન થાય; કેમ કે અત્યારે કામચલાઉ કમાણી છે પણ પછી ભારે નુકસાની છે. તેની જેમ જે ધર્મ તમારી કામચલાઉ ઉન્નતિ કરે છે અને આગળ જઈ પાડે છે તેવો ધર્મ પણ નકામો છે. તેને જૈનધર્મમાં મહત્ત્વ અપાતું નથી. અત્યારે તમારી બુદ્ધિ એવી છે કે જીવનમાં થોડો ધર્મ કરીએ અને પુણ્ય બંધાઈ જાય, જેનાથી પરલોકમાં માનવભવ, દેવભવ મળી જાય એટલે કામ થઈ ગયું; કેમ કે તમારી બુદ્ધિમાં ચારે ગતિમાં પામવા જેવા ભવ આ બે જ લાગે છે. અન્ય ભવોમાં તમને જનમવાની ઇચ્છા નથી. અહીંથી મરીને ઝાડ, કબૂતર, ચકલા-ચકલીમાં જવાનું ગમશે નહીં. અરે ! અત્યારે ગાડીમાં ફરે છે, લહેર કરે છે તેવા શ્રીમંતના કૂતરા થવાનું પણ તમને પસંદ નથી. દેવભવ-માનવભવ સિવાયના બીજા ભાવોમાં જવાનું કેમ પસંદ નથી ?
સભા : દુ:ખ વધારે છે માટે,
સાહેબજી એનો અર્થ એ થયો કે મનુષ્યભવ, દેવભવમાં થોડાં ભૌતિક સુખ-મોજમજા દેખાય છે, માટે તે ભવ પસંદ કરો છો. પણ તેવો ભવ તમને મળી જાય છતાં શાસ્ત્ર તેને સદ્ગતિ કહેતું નથી, પણ દુર્ગતિ કહે છે. મનુષ્યભવ, દેવભવને સામાન્ય ભાષામાં સદ્ગતિ કહેવાય, પણ તત્ત્વથી બધા માનવનો મનુષ્યભવ કે બધા દેવતાઓનો દેવભવ સદ્ગતિ નથી; કારણ કે મનુષ્યભવ પામેલા કસાઈ, ગુંડા, બદમાશ, નાસ્તિક અનેક પાપકુકર્મો કરે છે. અત્યંત અધર્મી જીવન જીવનારાઓને મળેલો માનવભવ કોઈ રીતે સદ્ગતિ કહી શકાય નહીં.
સભા ઃ અમે એવો માનવભવ નથી ઇચ્છતા.
સાહેબજી: 'તો તમારે કહેવું જોઈએ કે મારે ખાલી મનુષ્યભવ નહીં પણ સુમાનુષત્વ પામવું છે, તેમ ખાલી દેવભવ નહીં પણ સુદેવત્વ પામવું છે અર્થાતુ તમારે ગમે તેવા માનવ કે દેવ નથી બનવું. પરંતુ સાચું કહેજો કે અબજો રૂપિયા, સત્તા-સંપત્તિ, મનગમતા ભોગ મળી જાય, આખી જિંદગી આનંદ-પ્રમોદ કરી શકો તેવો માનવભવ મળતો હોય તો જોઈએ કે નહીં ?
સભા : હા. જોઈએ. સાહેબજી : તો તેનો અર્થ એ કે અધર્મ-પાપયુક્ત માનવભવ પણ તમને મંજૂર છે. સભાઃ પરંપરાએ શું ?
સાહેબજીઃ પરંપરાએ નરક છે; કેમ કે કુદરતમાં નિયમ એવો છે કે પુણ્યથી ભોગસુખ મળે, પણ તેને ટેસથી-મોજથી ભોગવો તો મરીને દુર્ગતિમાં જાઓ. વળી કુદરતની વ્યવસ્થા એ છે કે ધર્મથી પુણ્ય બંધાય, નૈતિક-ધાર્મિક-સામાજિક કોઈ પણ કર્તવ્ય પાળો, દયા-પરોપકાર-અહિંસા પાળો, તે બધાથી પુણ્ય બંધાય,
१ यस्माज्जीवं नारक-तिर्यग्योनिकुमानुष-देवत्वेषु प्रपतन्तं धारयतीति धर्मः। उक्तं च- दुर्गतिप्रसृतान् जीवान् यस्माद् धारयते ततः। धत्ते चैतान् शुभे स्थाने तस्माद् धर्म इति स्थितः।।
(૯શર્વાનિ યૂnિ પૃ.૨૯) २. धर्मादपि भवन् भोगो-देवलोकादौ, प्रायो-बाहुल्येन, अनर्थाय देहिनां तथाप्रमादविधानात्।
(योगदृष्टिसमुच्चय श्लोक १६० टीका)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org