SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મતીર્થની વ્યાખ્યા ૭૯ માટે જે શુભ ભાવ કે શુભ પરિણામ આવશ્યક છે તે ધર્મ જ છે. ધર્મની વિધવિધ-quality-જાત જોઈને મૂંઝાવાની જરૂર નથી. અનેક qualityનો ધર્મ શાસ્ત્રોમાં મળે. ધર્મના ઉત્તરોત્તર વિવિધ પ્રકારો : આત્માની મામૂલી ઉન્નતિ કરનારા શુભ પરિણામરૂપ ધર્મને ધર્મ કહેવાય ખરો, પણ જેનાથી સદ્ગતિ . થાય નહીં અને દુર્ગતિ અટકે નહીં, તેવા માત્ર દુર્ગતિમાં તુચ્છ સુખને આપનારા ધર્મને ઊંચો ધર્મ ન કહેવાય. તેથી આ દૃષ્ટિકોણથી આત્માને મનુષ્યગતિ-દેવગતિમાં ધારણ કરી રાખે તેવા શુભ પરિણામ કે પુણ્યબંધને ધર્મ સમજવો. વળી તેનાથી ઊંચા દૃષ્ટિકોણ અનુસાર આત્માની ભૌતિક-આત્મિક ઉન્નતિ કરાવે તેવા અભ્યદય-નિઃશ્રેયસ સાધક ધર્મને જ ધર્મ કહેવાય. એટલે સર્વ પુરુષાર્થનું સાધન બને તે ધર્મ. જૈનશાસ્ત્રમાં ક્રમિક સંખ્યાથી પણ ધર્મનું વર્ણન આવે. દા.ત. ૨ એક પ્રકારે અપ્રમાદ એ ધર્મ. બે પ્રકારે સમ્યગૂ જ્ઞાન અને સમ્યક ક્રિયા તે ધર્મ. ત્રણ પ્રકારે સમ્યગુ જ્ઞાન-દર્શન-ચારિત્ર તે ધર્મ. ચાર પ્રકારે દાન, શીલ, તપ અને ભાવ તે ધર્મ. પાંચ પ્રકારે પંચાચાર તે ધર્મ. છ પ્રકારે ષડાવશ્યક તે ધર્મ. તમે જે પ્રકારે કહો તે પ્રકારે વર્ણન મળે. પાછું એક પ્રકારમાં પણ સર્વ સમાઈ જાય અને પાંચ પ્રકારમાં પણ સર્વ સમાઈ જાય. કોઈ વ્યાખ્યા અધૂરી નથી. જ્ઞાની પુરુષોની રજૂઆતની એક અદ્ભુત શક્તિ છે. એકની એક વાત સો રીતે કરી આપે. આપણી તો બુદ્ધિ જ છક્કડ ખાઈ જાય. સ્યાદ્વાદને કારણે જૈનશાસ્ત્રમાં એકના એક તત્ત્વને વર્ણન કરવાની અનેક શૈલી છે. તેથી ધર્મને તમારી સામે જુદા-જુદા પાસાથી બહુ સુંદર રીતે વેધકતાથી રજૂ કરે છે. તમારી બુદ્ધિને સંતોષ થશે તેમ તમને આનંદ થશે. હવે આગળ ચડિયાતા ધર્મની વ્યાખ્યા કરતાં કહે છે કે, જે ધર્મ આત્માની મામૂલી, કામચલાઉ ઉન્નતિ કરે, પણ ° ઉત્તરોત્તર ઉન્નતિ ન કરે તે ધર્મ સાચો ધર્મ નથી, પણ નામનો ધર્મ છે. દા.ત. તમે કોઈ ધંધાની લાઈન પકડીને ધંધો ચાલુ કર્યો, રોકાણ પણ કર્યું, છતાં ઘણી મહેનતે મામૂલી નફો થાય તો તે લાઈનને તમે નકામી કહો. અભિપ્રાય આપો કે આ મજૂરીનો ધંધો છે. આમાં મહેનત ઘણી પણ વળતર કાંઈ નથી. તેવી લાઈન પકડવા જલદી કોઈ તૈયાર ન થાય. વળી કોઈ સારી લાઈન મળી, કમાણી જોરદાર થાય તેમ છે, પણ કોઈએ ખાતરીપૂર્વક જણાવ્યું કે આમાં એકાદ વર્ષ ધૂમ કમાણી, પણ પછી બે વર્ષમાં તો મૂડી પણ સાફ १ इष्टे स्थाने धत्त इति धर्मः ।३ । आत्मानमिष्टे नरेन्द्र-सुरेन्द्र-मुनीन्द्रादिस्थाने धत्त इति धर्मः ((तत्त्वार्थवार्तिक (भा. २) ९,२,३) २ एतदेव अप्रमादपुरस्करणमेव इह-धर्मे तत्त्वं-उपनिषद्भूतम्, (उपदेशरहस्य श्लोक १८५ टीका) 3 धर्मः श्रुतचारित्रलक्षण: (પ્રતિમાશત રોજ ૨૬ ટીવા) ४ शुद्धधर्मात् ज्ञानदर्शनचारित्ररूपात् (पंचसूत्र प्रथम सूत्र टीका) ५ कहिओ दाणाइओ चउब्विहो जिणमओ धम्मो।।१०३।। तं जहा;- दाणं सीलं तव भावणा य धम्मो चउव्विहो एस।..।।१०४ ।। (उपदेशपद श्लोक ५५० टीका) ७ शिवगतौ सततं 'धारणात्' स्थापनात् धर्म इति समाख्यातः।।२०।। (થર્મસંપ્રદ્દન વદ ૨૦ ટીા ) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005530
Book TitleDharmtirth Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGangotri Granthmala
Publication Year2007
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy