________________
૭૩
ધર્મતીર્થની વ્યાખ્યા એક પ્રશ્ન ધર્મના મર્મ વિષયક છે. જેનો 'યુધિષ્ઠિર જવાબ આપે છે કે “થર્નચ તત્ત્વ નિહિત યાત્ મદીનનો વેન તિઃ સ પત્થા:” તાત્પર્ય એ છે કે ધર્મનું રહસ્ય અતિ ગૂઢ છે, ભલભલા બુદ્ધિશાળીને સમજવું અતિ દુષ્કર છે, માટે મહાપુરુષોના માર્ગનું અનુસરણ કરવું એ જ સરળ ઉપાય છે. અહીં યુધિષ્ઠિર જેવા પ્રાજ્ઞ પુરુષના મુખમાં પણ ધર્મતત્ત્વની ગૂઢતા જણાવી છે, જે વિશુદ્ધ ધર્મની દુર્ગમતાનું સૂચક છે.
सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं । कुसमयविसासणं, सासणं जिणाणं भवजिणाणं ||१||
(सन्मतितर्क प्रकरण० श्लोक-१)
અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા મહામંગલકારી અને સર્વોત્કૃષ્ટ એવા આ ધર્મતીર્થની સ્થાપનાકરે છે. યુગલિક કાળ અને આ અવસર્પિણીમાં ધર્મતીર્થના પ્રથમ સ્થાપક શ્રી ઋષભદેવ ભગવાન?
જગતમાં પ્રવર્તમાન અનેક ધર્મતીર્થ છે, અને તે બધાં અત્યારે જ વિદ્યમાન છે તેવું નથી, પણ તીર્થકરો સદેહે હયાત હતા ત્યારે પણ અનેક ધર્મતીર્થો લોકમાં પ્રચલિત હતાં. ભગવાન ઋષભદેવ જન્મ્યા ત્યારે આ ભરતભૂમિમાં કોઈ પણ ધર્મતીર્થ પ્રવર્તમાન ન હતું, કેમ કે યુગલિકકાળ હતો અને યુગલિકકાળમાં કોઈ ધર્મકર્મની વાત હોતી નથી. યુગલિક પણ મનુષ્યલોક કહેવાય; કારણ કે તેઓ મનુષ્યભવમાં આવેલા જીવો છે. પણ તેમનો માનવભવ એ ભોગભૂમિનો માનવભવ કહેવાય, જેમાં જમ્યા પછી ભોગ સિવાય બીજી કોઈ પ્રવૃત્તિ ન હોય. પાંચ ઇન્દ્રિયોના સુંદર ભોગોનો આજીવન ભોગવટો કરવાનો. તેમાં જ રચ્યાપચ્યા રહે, સતત આનંદ-પ્રમોદ કરે અને મોજમજા સાથે સંપૂર્ણ જીવન પસાર કરે. તે જીવો પૂણ્ય એવું લઈને આવેલા છે કે જન્મે ત્યારથી યુગલ સ્વરૂપે જન્મે, સુંદર રૂપ-રંગ, આજીવન નિરોગી-સશક્ત-પરિપૂર્ણ દેહ હોય. વળી તેમને કોઈ જાતનો વ્યવસાય કે શૈક્ષણિક પરિશ્રમરૂપ જીવનમાં હાડમારી હોતી નથી. પાછા બધા જીવો સરળ, અલ્પ જરૂરિયાતવાળા, સંતોષી હોય અને તેમની ઇચ્છા કરતાં અનેકગણું કલ્પવૃક્ષો દ્વારા સહજતાથી મળતું હોય. તમારે જીવનમાં ભોગસુખો મેળવવા મથામણ કરવી પડે છે. જિંદગીનો નેવું ટકા સમય તો ભોગ મેળવવાની મહેનતમાં પસાર થાય છે, પરંતુ ભોગવટાનો સમય બહુ અલ્પ છે.
સભા : તે વખતે કલા-વિજ્ઞાન જેવું નહોતું ? સાહેબજી : ના, યુગલિકો ભલા-ભોળા હોય. લોકમાં કલા-જ્ઞાન-વિજ્ઞાન ત્યારે વિકસિત નહોતાં, પણ
१ तर्कोऽप्रतिष्ठः श्रुतयो विभिन्नाः, नासौ मुनिर्यस्य वचः प्रमाणम्।
धर्मस्य तत्त्वं निहितं गुहायां, महाजनो येन गतः स पन्थाः।।
(મહામારત)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org