________________
૭૨
ધર્મતીર્થની વ્યાખ્યા આત્માને અને બીજાના આત્માને અવશ્ય હિતકારી બને તે સાચો ધર્મ છે. અહીં દર્શાવેલો પ્રત્યેક ધર્મ મોક્ષનું ચોક્કસ સાધન છે. વાયા વાયા પણ મોક્ષનું કારણ ન બને તે ધર્મનો આમાં સમાવેશ નથી.
આ બધી વ્યાખ્યા એક જ કેટેગરીની છે, વળી બહુ માર્મિક છે અને જૈનદર્શનના અધ્યાત્મતત્ત્વને સમજવા માટે અત્યંત ઉપયોગી છે. છતાં આવી વ્યાખ્યા દુનિયાના બીજા ધર્મમાં સાવ નહીં મળે તેવો આપણો દાવો નથી. પરંતુ હવે પછીની અંતિમ વ્યાખ્યા જૈન ધર્મને છોડીને બીજે ક્યાંય નહીં મળે.
સભાઃ આ વ્યાખ્યામાં શું ત્રુટિ દેખાય છે ?
સાહેબજી : તે આગળ કહેવાશે. ' ધર્મતત્ત્વને બહુ ગહનતાથી સમજવાની જરૂર છે. ધર્મતત્ત્વ નાનીસૂની વસ્તુ નથી.
ધર્મતત્ત્વની ગહનતાનું દૃષ્ટાંત ઃ
વ્યાસમુનિના મહાભારતમાં યુધિષ્ઠિર ભીષ્મ પિતામહને કહે છે કે અમારે ધર્મ જાણવો છે. તો ભીષ્મ પિતામહ જવાબમાં કહે છે કે ધર્મ અતિ સૂક્ષ્મ છે. ધર્મની ગતિ અતિ તરલ છે. ભલભલા બુદ્ધિશાળી પણ ધર્મ સમજવામાં ગોથાં ખાય છે. તેથી ધર્મને સમજવા તમારે તમારી બુદ્ધિને તીક્ષ્ણ કરવી પડશે. આવી હિતશિક્ષા વિનયથી સાંભળનાર યુધિષ્ઠિરે જીવનમાં ધર્મ શોધવા-સમજવા અથાગ પ્રયત્ન કર્યો છે. તે યુધિષ્ઠિરનો જ વનવાસનો એક પ્રસંગ છે કે, એક દિવસ પાંડવો અરણ્યમાં જતા હતા. રસ્તામાં દ્રૌપદીને તીવ્ર તરસ લાગી. તેથી ભીમ દૂર-દૂર તળાવના કિનારે પાણી લેવા જાય છે. ત્યાં અધિષ્ઠાયક યક્ષ એક પછી એક આવનાર પાંડવોને અટકાવીને પૂછે છે કે પહેલાં મારા પ્રશ્નનો જવાબ આપો, પછી પાણી પીવા દઉં. અને જવાબ આપ્યા વગર પાણી પીએ તેને બેભાન કરી દે છે. આથી ભીમ, અર્જુન, સહદેવ, નકુલ ક્રમશઃ ગયા. પરંતુ તેમાંથી એક પણ પાછા ન ફરતાં તેમને શોધવા યુધિષ્ઠિર તળાવે જાય છે, ત્યારે ત્યાં ચારે ભાઈઓને મૂચ્છિત જોઈને પહેલાં તો પોક મૂકીને રડે છે. પછી તીવ્ર તરસને કારણે પાણી પીવા જાય છે, ત્યારે તેમને પણ યક્ષ અટકાવે છે અને કહે છે કે એમ ને એમ તમને પણ પાણી નહીં પીવા દઉં. પહેલાં મારા પ્રશ્નોના જવાબો આપો. યક્ષે અનેક પ્રશ્નો કર્યા. તેમાં
* व्याख्या-जायते संपद्यते। चशब्दः पुनरर्थः । शुभः कुशलानुबन्धः शुभनिमित्तत्वात्। एष धर्मः । उचितार्थापादनेनानुरूपवस्तुसंपादनेन। सर्वस्य समस्तजनस्य। इहैव विशेषमाह-'जत्ताए' इत्यादि, काक्वा चेदमध्येयं । यात्रयोत्सवेन पुनर्यात्रायां वा। उचितार्थापादनेनेति प्रकृतं । केषां? वीतरागाणां जिनानां। विषयसारत्वतः प्रधानगोचरत्वात्। वीतरागा एव हि निखिलभुवनजनातिशायिगुणत्वेन यात्रागोचरोऽनुपचरितो भवतीति। प्रवरः प्रधानतरः। शेषजनोचितार्थसंपादनोद्भवधर्मापेक्षया एष जायत इति प्रकृतं । इति गाथार्थः।।१९।।
(પંવાર પ્રરVT, પંવાર - ૧, ક્સોવદ ૨૨, ટીવા) ૧ ધરમ ધરમ કરતો જગ સહુ ફિરે, ધરમ ન જાણે હો મર્મ; જિનેશ્વર, ધરમ જિનેશ્વર ચરણ ગ્રહ્યા પછી, કોઈ ન બાંધે હો કર્મ. જિનેશ્વર૦ ધર્મo ૨
(આનંદઘનજી ચોવીશી, ધર્મનાથ જિન સ્તવન)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org