________________
૨. પુણ્ય-પાપ રહિત નિર્મળાનંદ આત્મસ્વભાવ ભગવાને કહ્યો છે તેને જે જાણે તો મુક્તિ થયા વિના રહે નહિ.
૩. શરીર અને રાગથી ભિન્ન પરિપૂર્ણ આત્મા કેવો છે તેને અનંત કાળમાં એક સેકંડ પણ જાણ્યો નથી. જો જાણે તો મુક્તિ થયા વિના રહે નહિ. માટે આ મનુષ્યપણામાં એ જ કરવા જેવું છે.
૪.
આ દાવ ચૂકવા જેવો નથી. જીવે પૂર્વે આત્મસ્વભાવની વાત સાંભળી છે, પણ અંતરમાં તેની રુચિ કરી નથી. મન-વાણી-દેહ રહિત જ્ઞાનમૂર્તિ સ્વભાવ છે, તેની સત્તમાગમે ઓળખાણ કર ! મનુષ્યપણું પામીને આ કરવા જેવું છે.
૫. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુ:ખ અનંત.....! ભાઈ ! આત્માની સમજણ તેં અનંત કાળમાં નથી કરી, તે અપૂર્વ છે. એવું સ્વરૂપ સમજવા બધાથી ભિન્ન નિજ સ્વરૂપનું ભાન કરવું પડશે.
૧૨. છેલ્લી ભલામણ :
૧. ‘હું તો માત્ર જ્ઞાતા-દૃષ્ટા છું' - એવો વારંવાર અભ્યાસ કરવાથી, અંતરમાં જ્ઞાતાપણું પ્રગટ થતાં આત્મા જાણવામાં આવે છે અને પર તથા રાગનું કર્તાપણું છૂટે છે. સમ્યગ્દર્શન કરવાની આ વિધિ છે.
૨. ખરો જિજ્ઞાસુ અને ખરો આત્માર્થી હોય તેને સાચું ન આવે ત્યાં સુધી સંતોષ થાય જ નહિ. તેનો આત્મા જ કહી દે કે આ કાંઈ અંદરથી શાંતિ આવતી નથી, માટે આ યથાર્થ હોય તેને અંદરથી જ શાંતિ આવે. ઉતાવળ કરવાથી ખોટું ગ્રહણ થઈ જાય છે, સૂક્ષ્મ રાગ પકડાતો નથી, અને ક્યાંક ને ક્યાંક પ્રશસ્ત રાગમાં રોકાઈ જાય છે. સૂક્ષ્મ રાગ પકડાતો નથી, અને અંદર શુભ રાગને છૂટો પાડી શકતો નથી કે સૂક્ષ્મ થઈને જ્ઞાનને ગ્રહણ કરી શકતો નથી. વારંવાર ભાવનાના વિકલ્પ આવે તેનાથી પણ શાયક જુદો છે, તેમ અંદરથી યથાર્થ ગ્રહણ થવું જોઈએ. વિકલ્પ એ પણ રાગ છે અને યથાર્થ નિર્ણય એ જ્ઞાનની પર્યાય છે.
૩. ગમે તે પ્રસંગ હો, આત્માનું જ્ઞાતા-દૃષ્ટાપણે રહેવું તે જ શાંતિ છે. સંયોગો પ્રતિકૂળ હો કે અનુકૂળ, એ દરેક પ્રસંગમાં ‘હું એક શુદ્ધ ચૈતન્ય આનંદઘન છું' એ દૃષ્ટિ ખસવી ન જોઈએ. મારું અસ્તિત્ત્વ સહજ એક જ્ઞાયક ભાવ છે, તેમાં શરીરાદિ, પરનો કે રાગાદિ વિભાવનો પ્રવેશ નથી અને મારો
ન