________________
* * * * * જૈન સનાતન વીતરાગ દર્શન --- (૧૨) ક્રમબદ્ધ માનનારો આનંદની દૃષ્ટિપૂર્વક રાગને દુઃખરૂપ જાણે છે, તેને રાગની મીઠાશ
ઊડી ગઈ છે. જેને રાગમાં મીઠાશ પડી છે અને પહેલાં અજ્ઞાનમાં રાગને ટાળવાની ચિંતા હતી તે પણ ક્રમબદ્ધ, ક્રમબદ્ધ કરીને મટી ગઈ છે તેને તો મિથ્યાત્વની પુષ્ટિ વધી છે. તેણે મિથ્યાત્વને તીવ્ર કર્યું છે. રાગ મારો નથી એમ કહે અને આનંદસ્વરૂપની પુષ્ટિ નથી તો તેણે મિથ્યાત્વને વધાર્યું છે. ભાઈ ! આ તો કાચા પારા જેવું વીતરાગનું સૂક્ષ્મ રહસ્ય છે. અંતરથી પચાવે તો વીતરાગતાની પુષ્ટિ થાય અને તેનું રહસ્ય ન સમજે તો મિથ્યાત્વને પુષ્ટ કરે. • સાર ઃ દર્શનમોહ મંદ ર્યા વિના વસ્તુસ્વભાવ ખ્યાલમાં આવે નહિ અને દર્શનમોહનો અભાવ કર્યા વિના આત્મા અનુભવમાં આવે એવો નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org