SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ 9879 જેને સનાતન વીતરાગ દર્શન (૫) જીવોને પરપદાર્થનું કંઈક કરવાનું અહંકાર કરવો – તે જ પુરુષાર્થ ભાસે છે; પણ તે અહંકાર રહિત વીતરાગી જ્ઞાયક ભાવ પ્રગટ કરવો તે પરમ પુરુષાર્થ છે એમ તેઓ જાણતા નથી. (૬) “જીવનો પુરુષાર્થ પોતામાં જ હોય, પણ પરમાં તે કાંઈ જ કરી શકે નહિ એવું જેને ભાન નથી તેની દૃષ્ટિ પર, નિમિત્ત, વ્યવહાર, કર્મ કે પર્યાય પર છે અને જ્ઞાનસ્વભાવી સ્વદ્રવ્ય તરફ તેમની દૃષ્ટિ વળતી નથી તેથી તે મિથ્યાષ્ટિ છે. જેને ક્રમબદ્ધની પ્રતીત નથી તેને સર્વજ્ઞની કે આત્માના જ્ઞાનસ્વભાવની પ્રતીત નથી. એ પ્રતીતમાં જ ખરું જ્ઞાન અને ખરો પુરુષાર્થ છે. (૮) ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કરવામાં પોતાના જ્ઞાનમાં પુરુષાર્થ રોકાય છે અને જ્ઞાન અને પુરુષાર્થ કાર્ય કરે છે. (૯) વસ્તુના યથાર્થ સ્વરૂપને, સર્વજ્ઞતાને અને ક્રમબદ્ધપર્યાયને એકબીજા સાથે અવિનાભાવીપણું છે. (૧૦) ક્રમબદ્ધ પર્યાય એ મહાન સિદ્ધાંત છે. બરાબર સમજવું પડે. ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કરતાં દૃષ્ટિ દ્રવ્ય ઉપર જાય છે ત્યારે ક્રમબદ્ધ પર્યાયનો સાચો નિર્ણય થાય છે. પર્યાયના ક્રમ સામું જોતાં ક્રમબદ્ધનો સાચો નિર્ણય થઈ શકે નહિ, જ્ઞાયક તરફ ઢળે છે ત્યારે જ્ઞાયકનો સાચો નિર્ણય થાય છે, એ નિર્ણયમાં અનંતો પુરુષાર્થ આવે છે. જ્ઞાન સાથે આનંદનો સ્વાદ આવે ત્યારે તેને સમ્યગ્દર્શન થયું છે. સર્વ દેખ્યું છે તેમ થાય, પર્યાય ક્રમબદ્ધ થાય એના નિર્ણયનું તાત્પર્ય જ્ઞાનસ્વભાવ ઉપર દૃષ્ટિ કરવી એ છે. આત્મા કર્તા નથી પણ જ્ઞાતા જ છે. (૧૧) જ્ઞાનસ્વભાવ લક્ષમાં આવે ત્યારે ક્રમબદ્ધ પર્યાય યથાર્થ સમજમાં આવી શકે છે. જે જીવ પાત્ર થઈને પોતાના આત્મહિત માટે સમજવા માંગે છે તેને આ વાત યથાર્થ સમજમાં આવી રહે છે. જેને જ્ઞાયકની શ્રદ્ધા નથી, સર્વજ્ઞની શ્રદ્ધા નથી, સર્વજ્ઞની પ્રતીત નથી, અંદરમાં વૈરાગ્ય નથી અને કષાયની મંદતા પણ નથી એવો જીવ તો જ્ઞાયકસ્વભાવના નિર્ણયનો પુરુષાર્થ છોડીને ક્રમબદ્ધના નામે સ્વછંદતાનું પોષણ કરે છે. જે જીવ ક્રમબદ્ધ પર્યાયને યથાર્થ રૂપે સમજે છે તેને સ્વચ્છંદતા થઈ શકે જ નહિ. ક્રમબદ્ધને યથાર્થ સમજે તે જીવ તો જ્ઞાયક થઈ જાય છે, તેને કર્તુત્વના ઉછાળા શમી જાય છે ને પરદ્રવ્યનો અને રાગનો અકર્તા થઈ જ્ઞાયકમાં એકાગ્ર થતો જાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005528
Book TitleJain Sanatan Vitrag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy