SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ 89%82% જેન સનાતન વીતરાગ દર્શન ----- (૯) કેવળજ્ઞાન અને ક્રમબદ્ધ પર્યાયઃ કેવળજ્ઞાન સર્વે દ્રવ્ય-ગુણો અને તેમની ત્રીકાળવર્તી અનંતાનંત પર્યાયોને અક્રમ એક કાળે જાણે છે. આ જ્ઞાન સહજપણે ઈચ્છા વિના તેમજ ઊપયોગને પરસમ્મુખ વાળ્યા વિના સર્વ શેયોને જાણે છે. કેવળજ્ઞાન તે પૂર્ણ જ્ઞાન છે અને તેમાં સંપૂર્ણ જોયો જણાય છે. સર્વ શેયોને જાણી લે એવું દિવ્ય સામર્થ્ય કેવળજ્ઞાનમાં છે. હવે જો કેવળજ્ઞાનમાં જણાવેલી કોઈ દ્રવ્યની પર્યાય આડી અવળી થઈ જાય, ક્રમબદ્ધ ન રહે તો કેવળજ્ઞાન જ સિદ્ધ ન થઈ શકે અને સર્વજ્ઞ અને સર્વજ્ઞતા બંનેનો અભાવ માનવો પડશે. (૧૦) આ પાંચ પ્રકારના સમ્યજ્ઞાનનું સ્વરૂપ એમ બતાવે છે કે દરેક દ્રવ્યની અનાદિ અનંતકાળની સમસ્ત પર્યાયો ક્રમબદ્ધ થાય છે, તે આડી-અવળી કદી થતી નથી અને તેના ક્રમને ફેરવા કોઈ સમર્થ નથી. સાર : (૧) ખરેખર ક્રમબદ્ધપર્યાયમાં આત્માના જ્ઞાયકભાવનો નિર્ણય આવે છે. અને જ્ઞાયકભાવનો નિર્ણય તે જ સમ્યક પુરુષાર્થ છે. જીવના યથાર્થ પુરુષાર્થ વગર આ નિર્ણય થઈ શકતો નથી. જીવ જ્યારે આવો નિર્ણય કરે ત્યારે તેને પરપદાર્થોમાં કાંઈપણ ફેરફાર કરવાની મિથ્યા બુદ્ધિ રહેતી નથી. વિશ્વના બધા પદાર્થો તેના સ્વભાવ પ્રમાણે ક્રમબદ્ધ જ થાય છે. એટલે હું તેમાં કાંઈપણ ફેરફાર કરી શકતો જ નથી.” આવો પોતાના જ્ઞાનમાં નિર્ણય થતાં, પર પદાર્થોનું શું થાય છે? તે તરફ લક્ષ કરવાનું રહેતું નથી, એટલે તેનો પુરુષાર્થ પોતાના જ્ઞાયક સ્વભાવ તરફ જ વળે છે, અને પોતામાં પણ પર્યાયબુદ્ધિ ટળીને દ્રવ્યદૃષ્ટિ થાય છે, અર્થાત તે જીવ સમ્યગ્દષ્ટિ થઈ જાય છે. (૩) “જો બધું જ નિયમબદ્ધ-ક્રમસર થાય છે અને જીવ તેમાં કોઈ જ ફેરફાર કરી શકતો નથી, તો જીવનો પુરુષાર્થ રહેતો નથી.” એમ માનનારને ક્રમબદ્ધ પર્યાયોને જાણનાર જે પોતાનો જ્ઞાયક સ્વભાવ છે. તેની પ્રતીતિ નથી. (૪) બધા પદાર્થોમાં ક્રમબદ્ધ પરિણમન થાય છે તેનો હું જાણનાર છું' એવો જે જ્ઞાયકભાવ તેની પ્રતીતિ તે જ પરમ પુરુષાર્થ છે. “પરમાં કોઈ ફેરફાર કરી શકે એવો આત્માનો પુરુષાર્થ છે જ નહિ. (૨) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005528
Book TitleJain Sanatan Vitrag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy