SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ 8 8 8 8 જૈન સનાતન વીતરાગ દર્શન આત્માનુભૂતિ પર (સૂક્ષ્મ વાતો) (૧) આત્માર્થી છો? આત્માર્થી થા ! હે ભાઈ ! પહેલાં તું સાચો આત્માર્થી થા ! (૧) દેહ, રાગ, માન અથવા જગતની અન્ય કોઈપણ વસ્તુ (ચીજ) નું મને કાંઈપણ પ્રયોજન નથી, મને તો એક મારા આત્માનું જ પ્રયોજન છે. (પાત્રતા-મુખ્ય લક્ષણ રૂચિ) એમ રૂચી કર. (૨) કેવી રીતે મારા આત્માના આનંદનો (સુખનો) અનુભવ કરું, એક આ જ મને જોઈએ-એ પ્રકારની વાસ્તવિક જિજ્ઞાસા પ્રગટ કરીને જે જીવ આત્માર્થી થયો છે-તેને આત્માનો અનુભવ થાય છે. (આત્મસિદ્ધિ ગાથા ૧૮-૧૦૮) (જિજ્ઞાસુ) (૩) પરંતુ જેના હૃદયમાં આત્મા સિવાય અન્ય કોઈપણ શલ્ય હોય છે તે જીવ કયાં ને ક્યાં ( દેહમાં, રાગમાં, પુણ્યમાં, નિમિત્તમાં, માનમાં અથવા માત્ર શાસ્ત્રના જાણપણામાં ) અટકી જાય છે, અર્થાત્ આત્માને સાધવામાં તે ઉદ્યમ નથી કરી શકતો. (૪) જે જીવ આત્માનો અર્થી હોય છે, તે આત્મજ્ઞ સંતોનો સમાગમ અને તેની ઉપાસના કરીને વારંવાર પરિચયપૂર્વક તેમની પાસેથી આત્માનું સ્વરૂપ જાણીને (જિન આગમનો સાર જાણીને) દેશના પ્રાપ્ત કરે છે. (સત્સંગ અને સ્વાધ્યાય) (૫) હવે તે યથાર્થ આત્માના સ્વરૂપ સંબંધી નિર્ણય પર આવે છે. (‘હું જ્ઞાનાનંદ સ્વરૂપ ભગવાન આત્મા છું) - યથાર્થ નિર્ણય (૬) હવે પ્રયોગાત્મક સ્તર પર સાધનાની શરૂઆત થાય છે. પર્યાય પર્યાય ભેદજ્ઞાન-હું સર્વથા સર્વથી ભિન્ન છું' વર્તમાન જ્ઞાનની પર્યાય પરનું લક્ષ છોડીદક્ષપૂર્વક સ્વનો પક્ષ લઈ-સ્વ લક્ષમાં એકાગ્ર થતી જાય છે. પોતાના અંતરના ઉદ્યમપૂર્વક પોતાના જ અનુભવથી એની શ્રદ્ધા સમ્યક્ થતી જાય છે. શુદ્ધના લક્ષે વર્તમાન જ્ઞાનની પર્યાય શુદ્ધ થતી જાય છે (૭) સમ્યગ્દર્શન – સ્વાનુભૂતિ પ્રગટ કરવાની જ્ઞાન-સ્વભાવ બનતો જાય છે. આ જ એક રીત છે. ૮૫ For Personal & Private Use Only Jain Education International - www.jainelibrary.org
SR No.005528
Book TitleJain Sanatan Vitrag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy