________________
1989 1988 જૈન સનાતન વીતરાગ દર્શન -------
(૨) આત્માનુભૂતિ શું છે? (૧) સાંભળીને નહીં, વાંચીને નહીં, મંદ કષાયથી નહીં, બીજા જીવોનું ભલું કરતાં
કરતાં નહીં, પરંતુ આત્માને પ્રત્યક્ષ અનુભૂતિપૂર્વક જાણવું તે જ આત્મજ્ઞાન છે, અને એ પ્રમાણે જાણતા રહેવું એ જ આત્મધ્યાન છે. જ્ઞાનનું સાચું કાર્ય શું? વર્તમાન જ્ઞાનની પર્યાય પોતે પોતાને યથાર્થ શ્રદ્ધાપૂર્વક લીનતાથી (એકાગ્રતાથી-ધ્યાનપૂર્વક) જાણતી રહે એ જ્ઞાનનું સાચું કાર્ય છે. આવા પ્રકારનું આત્મજ્ઞાન સમ્યજ્ઞાન છે અને આવા પ્રકારનું આત્મધ્યાન સમ્મચારિત્ર છે. જ્યારે આવું આત્મજ્ઞાન અને આત્મધ્યાન એક સમય માટે થાય છે, તે સમયે આત્મ પ્રતિતિ પણ સહજ જ થઈ જાય છે. આત્મામાં પોતાપણું (અપનાપન) પણ સહજ આવી જાય છે. અતીન્દ્રિય આનંદનું વેદન પણ તે જ સમયે થાય છે. આ બધું જ એક જ સાથે ઉત્પન્ન થાય છે અને બધાનું
પરિણમન મેળવીને એક નામ આત્માનુભૂતિ છે. (૪) મોક્ષનું ખરેખર કારણ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે. તેમાં સમ્યગ્દર્શન
તો જીવાદિ પદાર્થોના શ્રદ્ધાન સ્વભાવે જ્ઞાનનું થવું-પરિણમવું છે; જીવાદિ પદાર્થોના જ્ઞાન સ્વભાવે જ્ઞાનનું પરિણમવું તે જ્ઞાન છે; રાગાદિના ત્યાગ સ્વભાવે જ્ઞાનનું થવું-પરિણમવું એ ચારિત્ર છે. તેથી એ રીતે એમ ફલીત થયું કે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણે એકલું જ્ઞાનનું ભવન (પરિણમન) જ છે.
માટે જ્ઞાન જ પરમાર્થ મોક્ષ કારણ છે. (૫) વર્તે નિજ સ્વભાવનો, અનુભવ લોશ પ્રતીત,
વૃત્તિ વડે નિજભાવમાં, પરમાર્થે સમકત. (૧૧૧ ગાથા આત્મ સિદ્ધ શાસ્ત્ર) સાર વર્તમાન જ્ઞાનની પર્યાય એક સમય માટે વીતરાગ સ્વભાવરૂપે પરિણમે તે આત્માનુભૂતિ છે. સ્વાનુભૂતિ કરનારો ભાવ, જેનો સ્વાનુભવ કરવાનો છે એવો જ શુદ્ધ થાય, એક જાતના થઈને બંને તદ્રુપ થાય - તો જ સ્વાનુભૂતિ થઈ શકે. શુદ્ધાત્માની વીતરાગી અનુભૂતિ કોઈપણ રાગભાવ વડે થઈ શકે નહિ. શુદ્ધાત્માની અનૂભૂતિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org