________________
8 8 8 8 8
જૈન સનાતન વીતરાગ દર્શન
!!!
કરનારો ભાવ શુદ્ધાત્માની જાતનો વીતરાગી જ હોય. રાગભાવમાં વીતરાગભાવની અનુભૂતિ ન હોય
(૭) શુદ્ધ વસ્તુ સ્વરૂપને અનુભવનારો ભાવ તે વસ્તુમાં લીન થયેલો છે; વસ્તુથી બહાર રહેલો કોઈ ભાવ વસ્તુને અનુભવી શકતો નથી. શુદ્ધ વસ્તુની અનુભૂતિ નિર્વિકલ્પ છે, વિકલ્પ એનાથી બહાર છે.
(૮) સ્વાનુભૂતિ તે જ્ઞાનની સ્વઉપયોગ સ્વ પર્યાય છે.
(૯) નિરાવરણ જ્ઞાનદર્શન લક્ષણથી લક્ષિત પોતે નિરાવરણ ત્રિકાળ છે, એથી એના સ્વભાવમાં નિરાવરણપણું જે લક્ષણ, પર્યાયમાં છે એનાથી તે લક્ષિત થઈ શકે છે. એનામાં જે ‘ભાવ’ છે એના લક્ષણથી તે લક્ષ્ય થઈ શકે છે. એની જાતની, જે પર્યાય નિર્મળ-એના સ્વભાવના જાતની પર્યાય, એથી તે લક્ષિત છે. શાયક દેવ, ચેતન ભગવાન આત્મા ત્રિકાળ નિરૂપાધિક સ્વરૂપ છે. એ નિરૂપાધિક લક્ષણથી જણાય એવો છે.
(૧૦) સ્વ-પરનું યથાર્થ ભેદજ્ઞાન, વિપરીત અભિનિવેશ રહિત તત્ત્વાર્થ શ્રદ્ધાન, ભૂતાર્થનો આશ્રય, જ્ઞાયકભાવ, શુદ્ધનય, શુદ્ધોપયોગ, શુદ્ધાત્મશ્રદ્ધાન તે નિશ્ચય સમ્યક્ત્ત્વ છે, તે જ આત્માનુભૂતિ છે.
તે જ મોક્ષમાર્ગનું પ્રથમ સોપાન છે, પહેલું રત્ન છે, અને તે જ પહેલો ધર્મ છે. સ્વાનુભવ તે મૂળ વસ્તુ છે. સાધકના માટે એકમાત્ર આ જ ઈષ્ટ છે. એને પ્રાપ્ત કરવું એ જ સાધકનું મૂળ પ્રયોજન છે. (૩) આત્માનુભૂતિની વિધિ
પ્રશ્ન : સૌથી પ્રથમ આ પ્રશ્ન ઊભો થશે. ‘અનાદિના અજ્ઞાની જીવને (મિથ્યાદષ્ટિને) સમ્યગ્દર્શન પામ્યા પહેલાં... તો એકલો શુભ વિકલ્પ જ હોય ને?’’
ઉત્તરઃ ના, એકલો વિકલ્પ નથી. સંપૂર્ણ પ્રક્રિયાની શરૂઆત વિકલ્પથી જ થાય છે એ વાત બરાબર છે. ક્રમે ક્રમે એ વિકલ્પોની તારતમ્યતામાં ફરક પડતો જાય છે. ઉત્તરોત્તર વિકલ્પમાં શુદ્ધિ થતી જાય છે.
બે ઘડી ધારાવાહીની અહીં મુખ્યતા છે. અભિપ્રાયની ધારા તૂટવી ન જોઈએ એ ખાસ ધ્યાન રાખવાનું છે.
સ્વભાવના લક્ષે સ્વભાવ તરફ ઢળી રહેલા જીવને (વર્તમાન જ્ઞાનની પર્યાયને)
Jain Education International
62
For Personal & Private Use Only
www.jainelibrary.org