SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) 88 8 8 8% જેને સનાતન વીતરાગ દર્શન -હ્યુ-૧--- (૪) ક્રમબદ્ધ પર્યાય (વિશેષ વાત) સ્વભાવ તરફના જ્ઞાન અને પુરુષાર્થ સહિત ક્રમબદ્ધપર્યાયની માન્યતા અહંત ભગવાન એક સમયમાં જગતના બધા પદાર્થોનું સ્વરૂપ સંપૂર્ણપણે જાણે છે; તેમનું જ્ઞાન સત્ય અને સંપૂર્ણ હોવાથી સર્વ વસ્તુના સ્વરૂપને જેમ છે તેમ જાણે છે. ત્રણ કાળમાં જે સમયે જે પર્યાય થવાની છે તેને તે જ પ્રમાણે નિશ્ચિતપણે જાણે છે, કેમકે જેવા જોયો હોય તેવા તેને પરિપૂર્ણ જાણી લેવાનો જ્ઞાનનો સ્વભાવ છે. જે શેય હોય તેનાથી વિપરીત પણે જાણે તો જ્ઞાન વિપરીત ઠરે, અને જો સર્વ શેયોને ન જાણે તો જ્ઞાન અપૂર્ણ હોય. વસ્તુનું સ્વરૂપ જ એવું છે કે તેની પર્યાયો ક્રમબદ્ધ થાય છે. જેટલા ત્રણ કાળના સમયો છે તેટલી જ વસ્તુની પર્યાયો છે, એટલે કોઈ સમયની પર્યાય આડી-અવળી થતી જ નથી. જે સમયે જે પર્યાય થવા યોગ્ય હોય ત્યારે તે જ થાય છે. છ એ દ્રવ્યોમાં જે પરિણામ થાય છે તે સર્વે પોતપોતાના અવસરમાં સ્વરૂપથી ઉત્પન્ન અને પૂર્વ રૂપથી વિનષ્ટ છે. દ્રવ્યને વિષે પોતપોતાના અવસરોમાં પ્રકાશતા સમસ્ત પરિણામોમાં પછી પછીના અવસરોએ, પછી પછીના પરિણામો પ્રગટ થાય છે અને પહેલા પહેલાના પરિણામો પ્રગટ થતા નથી. એ પ્રમાણે દરેક જીવ તેમજ અજીવ દ્રવ્યો ક્રમબદ્ધ પરિણમે છે. કોઈ દ્રવ્ય આડી-અવળી પર્યાયોમાં પરિણમતું નથી. દ્રવ્યોની પર્યાયોના ક્રમને ફેરવવા તીર્થકર, ઈન્દ્ર, નરેન્દ્ર, વગેરે કોઈ સમર્થ નથી. વસ્તુમાં ત્રણ કાળની પર્યાયો જે પ્રકારે ક્રમબદ્ધ છે તે પ્રમાણે કેવળજ્ઞાનીના જ્ઞાનમાં તે જણાય છે. (૩) જો વસ્તુની ત્રણકાળની પર્યાયો ક્રમબદ્ધ નિયમસર ન થતી હોય તો સર્વજ્ઞ ભગવાનનું જ્ઞાન પણ અનિશ્ચિત કરે ! અને અનિશ્ચિત જ્ઞાન હોય ત્યાં સર્વજ્ઞતા હોય નહિ. એ રીતે વસ્તુમાં ક્રમબદ્ધ પર્યાયોને સ્વીકાર્યા વગર સર્વજ્ઞતા જ સિદ્ધ થઈ શકશે નહિ. (૪) એ પ્રમાણે, ક્રમબદ્ધપર્યાયવાળું જ વસ્તુ સ્વરૂપ છે અને જ્ઞાનીઓના સમ્યજ્ઞાનમાં તેવું જ જણાય છે. વસ્તુની ક્રમબદ્ધ પર્યાયો માન્યા વિના સમ્યજ્ઞાન જ સિદ્ધ થઈ શકે નહિ. (૫) સમ્યજ્ઞાનના પાંચ પ્રકાર છે : મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન અને કેવળજ્ઞાન. એ પાંચે ય જ્ઞાનમાં પોતપોતાને યોગ્ય, વસ્તુની ભૂત-ભવિષ્યની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005528
Book TitleJain Sanatan Vitrag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy