________________
(૨)
જૈન સનાતન વીતરાગ દર્શન ----
(૩) પરિણામનું ફળ (૧) જેવા પરિણામ કર્યા તેવું ફળ આવ્યા વિના રહે જ નહિ. ચાર ગતિ ને સિદ્ધ દશા તે
પરિણામનું ફળ છે. જો પરિણામનું ફળ ન આવે તો ચાર ગતિ ને સિદ્ધ દશા નહિ રહી શકે. એમ થતાં પર્યાય વિના દ્રવ્યનો નાશ થઈ જાય. દ્રવ્યનો નાશ થતાં જગતનો પણ નાશ થઈ જાય. પરંતુ એમ કદી બને જ નહિ. જગત ચૈતન્યના પરિણામ સાથે કુદરતે બંધાયેલું છે, સંકળાયેલું છે. કુદરત એટલે દ્રવ્યનો એવો સ્વભાવ. ચેતન્ય એ સ્વતંત્ર દ્રવ્ય છે. તેની ભાવના જો નિષ્ફળ હોય તો ભાવનાના ફળભૂત જે આ ઊપજવાનાં સ્થાનરૂપ ચાર ગતિમય જગત, તે જ સિદ્ધ ન થાય. એમ થતાં ભાવના, ભાવનાનું ફળ ને ભાવના કરનાર દ્રવ્ય-કાંઈ
પણ રહે નહિ, બધું નાશ થઈ જાય. પણ એમ કદી બને નહિ. (૩) પાપ કર્યા હોય તો નરક નિગોદ, પુણ્ય કર્યા હોય તો સ્વર્ગ-આદિ ને ચેતન્યના
પરિણામ કર્યા હોય તો મુક્તિ; જેને ચૈતન્યની ભાવના પ્રગટી તેને મોક્ષ થયા વિના રહે જ નહિ. અહા! જોર અંદર અપ્રતિહત ભાવનાનું છે. જો ચૈતન્યને ચેતન્યમાંથી પરિણમેલી ભાવના થઈ તો આત્મા પૂરણ થયે જ છૂટકો. આતો અંદરના જોરની વાત છે. અહા! બધા આત્મા એક સમયની વર્તમાન પર્યાય સિવાય અંદર ભગવાન સ્વરૂપજ છે. નિગોદથી માંડી સિદ્ધ સુધી દ્રવ્ય જે છે તે તો ત્રિકાળ નિરાવરણ આનંદકંદ છે, અવિનાશી છે. આવી ચીજની અંતરમાં દૃષ્ટિ થઈ, આવી ચીજની અંતર ભાવના
થઈ અને તે ચીજ – આત્મા - પ્રાપ્ત ન થાય એવું ત્રણ કાળમાં બને નહિ. (૫) અહા! ભગવાન આત્મા - સચ્ચિદાનંદ પ્રભુ – એ તો અનંતગુણનો દરિયો છે,
અનંત ગુણનો સાગર છે. તે ચીજ પકડવામાં આવે, સમ્યગ્દર્શન-જ્ઞાન થાય, ભાવના થાય ને કેવળજ્ઞાન ન થાય અને દ્રવ્ય પૂર્ણ પર્યાયપણે ન પરિણમે એ ત્રણ કાળમાં બને નહિ.
“આ અનંતા તીર્થકરોએ કહેલી વાત છે. પરિણામનું ફળ ન આવે તો અનંતા તીર્થકરોએ કહેલી વાત ખોટી પડે ! ભગવાન ચેતન્યસ્વરૂપનો પુણ્ય અને પાપના વિકલ્પોથી રહિત અંતરમાં અનુભવ હોય, દૃષ્ટિ હોય, ભાવના હોય, નિર્વિકલ્પ દશા હોય અને પરમાત્મા પદ – સાધ્ય - પ્રાપ્ત ન થાય એવું ત્રણ કાળમાં બને નહિ. આ અનંતા તીર્થકરોએ કહેલું પરમ સત્ય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org