________________
2 8 જૈન સનાતન વીતરાગ દર્શન SO-- (૨૦) હવે જીવની કોઈ એવી વિશેષ પાત્રતા થઈ છે – તેને તત્ત્વની રૂચી થઈ છે.
લબ્ધિઓની પ્રાપ્તિથી જોઈએ તો (૧) ક્ષયોપશમ લબ્ધિઃ સ્વ-પરનું ભેદ કરી શકે એવો જ્ઞાનનો ઉઘાડ છે –
મતિ-શ્રુતજ્ઞાનરૂપ (૨) વિશુદ્ધિ લબ્ધિઃ પરિણામો વિશુદ્ધ થયા છે. જીવ મંદ કષાયમાં આવ્યો
છે. સામાન્ય જીવન સંયમીત થયું છે. (૩) દેશના લબ્ધિઃ આત્મજ્ઞાની ગુરુનો પરિચય થયો છે તેની દેશના એને
રૂચે છે. તેના પર શ્રદ્ધા છે. પોતે સંસાર દુઃખથી થાક્યો છે - તેની હોનહાર ભલી છે. બધી રીતે તત્ત્વ સમજવાનો અવસર આવ્યો છે અને આ ભવમાં આત્માનું હિત કરવાની તીવ્ર જિજ્ઞાસા થઈ છે.
મોક્ષ પ્રાપ્તિનો ક્રમ પણ તેના ખ્યાલમાં આવ્યો છે. (૧) પાત્રતાઃ ઉપર જણાવેલ લબ્ધિઓની પ્રાપ્તિ. (૨) અભ્યાસઃ સત્સંગ અને સ્વાધ્યાયનું મહત્ત્વ સમજાયું છે. (૩) યથાર્થ નિર્ણયઃ “હું જ્ઞાનાનંદ સ્વરૂપ ભગવાન આત્મા છું.”
વિકલ્પસાથે આવો નિર્ણય અભ્યાસથી થયો છે. (૪) ભેદજ્ઞાન ઃ “હું સર્વથા સર્વથી ભિન્ન છું' વિકલ્પાત્મક નિર્ણય (૫) અનુભૂતિઃ આત્માનો પ્રત્યક્ષ અનુભવ.
હવે અહીંથી આ વિકલ્પની સ્થિતિથી નિર્વિકલ્પ અનુભૂતિ કેમ થાય તેના ઊંડા સંસ્કાર પાડવા જીવ ધર્મઆરૂઢ થયો છે. તેને રાગમય જીવનને બદલે જ્ઞાનમય પ્રેક્ટીકલ (પ્રયોગાત્મક) જીવન જીવવું છે. દરેક પ્રસંગે-પ્રસંગે, પર્યાય-પર્યાયે, સમયે-સમયે આ ભેદજ્ઞાન પૂર્વક સ્વભાવનો આશ્રય કરવા જીવ તૈયાર થયો છે. સ્વભાવ સન્મુખ આવેલો જીવ અહીંયા સુધી આવ્યો છે આ પ્રમાણેનો ધારાવાહી અભિપ્રાય જો બે ઘડી ચાલુ રહે તો સહજ નિર્વિકલ્પદશા – સ્વાનુભૂતિની દશા સહજ પ્રગટ થાય. આ ભેદજ્ઞાનનું સાધન ભગવતી પ્રજ્ઞા છીણી છે. આ સંપૂર્ણ પ્રક્રિયા સરળ-સુલભ-સહજ છે. પ્રયોગાત્મક છે. દરેક જીવે આ પ્રમાણે પ્રયોગ કરી આત્માનુભૂતિ કરવા જેવી છે. શુદ્ધોપયોગ પ્રગટ કરવા જેવો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org