________________
488 48 48 48 જૈન સનાતન વીતરાગ દર્શન
૧ % %
(૧૩) જૈનદર્શન એટલે વસ્તુનું યથાર્થ નિરૂપણ કરનાર વિશ્વધર્મ. વસ્તુની વ્યાખ્યા મુખ્ય ચાર જુદી જુદી રીતે કરવામાં આવી છે.
(૧) વસ્તુના સ્વભાવરૂપ ધર્મ
(૨) સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતારૂપ ધર્મ
(૩) ઉત્તમ ક્ષમાદિ દશ લક્ષણરૂપ ધર્મ (૪) અહિંસા પરમો ધર્મ
(૧૪) સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતાને મોક્ષમાર્ગ કહે છે. ત્રણ કાળ-ત્રણ લોકમાં મોક્ષમાર્ગ એક જ છે – કાળદોષને લીધે ઘણા બધા પંથ-સંપ્રદાય ભેદ થઈ ગયા છે. આ મોક્ષમાર્ગની પરૂપણા નિશ્ચય અને વ્યવહાર એમ બે પ્રકારે કરવામાં આવી છે - પરંતુ મોક્ષમાર્ગ તો એક જ છે.
(૧૫) એ મોક્ષમાર્ગનું સ્વરૂપ ચૌદ ગુણસ્થાન અને સાત તત્ત્વોના માધ્યમથી સમજાવવામાં આવ્યું છે. આગમથી એની શ્રદ્ધા થઈ છે.
(૧૬) આ વ્યવસ્થા સમજાવવા સાત તત્ત્વો અને નવ પદાર્થોનું સ્વરૂપ જાણવું અત્યંત જરૂરી છે. દ્રવ્યથી અને ભાવથી. સાત તત્ત્વો (૧) જીવ (૨) અજીવ (૩) આશ્રવ (પુણ્ય-પાપ) (૪) સંવર (૫) નિર્જરા (૬) બંધ અને (૭) મોક્ષ.
જ
(૧૭) સર્વ દુઃખનો આત્યાંતિક અભાવ અને પરમ અવ્યાબાધ સુખની પ્રાપ્તિ એ જ મોક્ષ છે અને તે જ જીવનું પરમહિત છે. તે મોક્ષની પ્રાપ્તિ સત્ય પુરુષાર્થથી થાય છે. (૧૮) ‘તત્ત્વાર્થ શ્રદ્ધાનમ્ સમ્યગ્દર્શન' એ સૂત્ર છે. આ જીવાદિ સાત તત્ત્વોનું યથાર્થ સ્વરૂપ સમજી તેમાંથી જીવ દ્રવ્યને છૂટો કરી (ભેદ જ્ઞાનથી) અને શુદ્ધાત્માનું યથાર્થ શ્રદ્ધાન કરવાથી સમ્યગ્દર્શન થાય છે. આત્માની અનુભૂતિ-એ જ નિશ્ચય સમ્યગ્દર્શન છે.
(૧૯) જ્ઞાનાનંદ સ્વરૂપ ત્રિકાળી ભગવાન આત્મા જેવો છે, જેવડો છે તેવો જ જાણીમાની ત્યાં એકાગ્ર થઈ અનુભવ કરવા જેવો છે. બસ આ જ કરવાનું છે. ટૂંકમાં કહીએ તો, ‘સ્વરૂપની યથાર્થ સમજણ કરી, આત્માનુભૂતિ કરવા જેવી છે.’ આ આત્માનુભૂતિને જ જૈનશાસન કહેવામાં આવ્યું છે. આટલું બધું તો જીવને અભ્યાસથી સમજાઈ ગયું છે.
Jain Education International
૭૬
For Personal & Private Use Only
www.jainelibrary.org