________________
88888 જેન સનાતન વીતરાગદર્શન -
આઠ છેઃ (૧) જ્ઞાનાવરણીય, (૨) દર્શનાવરણીય (૩) અંતરાય (૪) મોહનીય (૫) નામ (૬) ગોત્ર (૭) આયુષ્ય (૮) વેદનીય આ બધામાં મુખ્ય મોહનીય છે
જે દુઃખનું કારણ છે. (૭) જીવની વર્તમાન પર્યાયમાં શું ભૂલ છે એ પણ સમજાવું છું.'
(૧) જ્ઞાનમાં – અલ્પજ્ઞ અવસ્થા છે - ફક્ત મતિ-શ્રુતજ્ઞાન છે. (૨) શ્રદ્ધામાં – વિપરીત માન્યતા છે સ્વરૂપ સંબંધી – મિથ્યાત્વ (૩) ચારિત્રમાં – રાગ-દ્વેષના પરિણામ છે – વીતરાગતાને બદલે અને તેનું ફળ દુઃખ છે એટલે દુઃખના કારણ તો આ બે જ છે.
(૧) મોહ – મિથ્યાત્વ અને (૨) રાગ-દ્વેષના પરિણામ.. (૮) આ ભૂલનું ફળ - પરિણામ ચાર ગતિનું પરિભ્રમણ છે : (૧) દેવ (૨) નારકી
(૩) મનુષ્ય અને (૪) તિર્યચ... બધે દુઃખ જ છે. (૯) આ ભૂલમાં કર્મ નિમિત્ત છે. કર્મ ભૂલ કરાવતા નથી. જીવે ભૂલ સ્વયં કરી છે. કર્મ
ઉપર ઊપચારથી આરોપ આવે છે. દુઃખનું કારણ કર્મબંધન છે. દુઃખમાંથી છુટવાનો
ઉપાય સર્વ કર્મનો ક્ષય છે. (૧૦) જીવની આ ભૂલ પણ એક સમયની જ છે અને તે ભૂલ સુધારી જીવ સુખ પ્રાપ્ત
કરી શકે છે, મોક્ષ છે અને તેનો ઉપાય પણ છે. એ શ્રદ્ધાથી, આ ભવમાં આગળ
વધવાનું છે. (૧૧) જીવનો દ્રવ્ય સ્વભાવ પૂર્ણ શુદ્ધ-એકરૂપ-પરિપૂર્ણ એક વીતરાગભાવ સ્વરૂપ જ છે
તેનો આશ્રય કરતાં પર્યાયમાં જે ભૂલ છે તે સુધરી શકે છે એ સિદ્ધાંત છે. સર્વ શાસ્ત્રોનું તાત્પર્ય “વીતરાગતા” છે. જેવો વીતરાગ સ્વભાવ છે તેવો પર્યાયમાં પ્રગટ થાય તો મોક્ષ થાય. એક સમયની વીતરાગતા – એ સમ્યગ્દર્શન - એ જ્ઞાન ઉપયોગ
જો બે ઘડી સ્વભાવમાં સ્થિર થાય તો કેવળજ્ઞાન - પૂર્ણ સુખ પ્રાપ્ત થાય. (૧૨) એ ભૂલ સુધારવામાં વીતરાગી દેવ-ગુરુ-શાસ્ત્ર નિમિત્ત છે અરિહંત-સિદ્ધ દેવ છે,
ભાવલિંગી સંત ગુરુ છે અને વીતરાગતાની પરૂપણા કરે એ આગમ શાસ્ત્રો છે. જીવને સાચા વીતરાગી દેવ-ગુરુ-શાસ્ત્રનું પણ સ્વરૂપ યથાર્થ સમજાઈ ગયું છે અને તેની શ્રદ્ધા પણ થઈ ગઈ છે. પરમાગમનો અભ્યાસ શરૂ થયો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org