________________
છે જેને સનાતન વીતરાગ દર્શન ----- નથી. જેવી રીતે જ્ઞાનવસ્તુ શેયરૂપથી નથી, જ્ઞાન રૂપથી છે તેવી જ રીતે શેય વસ્તુ પણ જ્ઞાન વસ્તુ નથી, શેયવસ્તુ રૂપ છે. તેથી એવો અર્થ પ્રગટ થયો કે વસ્તુ દ્રવ્ય દ્વારા જ્ઞાન પોતારૂપ છે પર્યાયદ્વારા જ્ઞાન વિશ્વરૂપ છે – આવો ભેદ સ્યાદ્વાદી અનુભવે છે. જ્ઞાન સહજ જ શુદ્ધ સ્વરૂપ છે. સ્યાદ્વાદી જ્ઞાનને કેવું જાણીને અનુભવે છે જ્ઞાનમાત્ર જીવ વસ્તુ અનેક શેયાકારની અપેક્ષાએ પર્યાયોરૂપ અનેક છે? તો પણ દ્રવ્યરૂપે એક છે. આવા સ્વરૂપને અનેકાન્તવાદી સાધી શકે છે.
(૭) તીર્થકર નામગોત્ર બાંધવાની સોળ ભાવના (૧) દોષ-રહિત શુદ્ધ સમ્યગ્દર્શન તેજ દર્શનવિશુદ્ધિ ભાવના. (૨) જ્ઞાનાદિનો વિનય કરવો તે વિનય સંપદા. (૩) શીલ અને વ્રતોનું નિરઅતિચાર પાલન કરવું તે શીલ ભાવના. (૪) ઉપયોગને વારંવાર જ્ઞાનમાં જોડવો એ જ્ઞાન ઉપયોગ ભાવના. (૫) સર્વને ભેદભાવ વિના સમાન સમજે તે સંવેગભાવના. (૬) પોતાની શક્તિ અનુસાર તપશ્ચરણ કરવું તે શક્તિ-તપ-ત્યાગ ભાવના. (૭) જ્ઞાન અને સંયમના સાધન રૂપ ત્યાગમાં ચિત્ત લગાડવું તે શક્તિ-તપ તપો ભાવના.
સાધુઓના વૃત શીલ આદિ વિદનોથી સાવધાન રહી સમાધિમાં મન લગાડવું તે
સાધુ સમાધિ ભાવના. (૯) વ્રતી સાધુઓને પોતાથી અભિન્ન જાણી રોગાદિ કે તપશ્ચર્યામાં તેમની સેવા કરવી
તે વૈયાવૃતકરણ ભાવના. (૧૦) અરિહંત ભગવાનની નિશ્ચલ ભક્તિ કરવી તે અરિહંત ભક્તિ ભાવના. (૧૧) વિનયપૂર્વક આચાર્યોની ભક્તિ કરવી તે આચાર્ય ભક્તિ ભાવના. (૧૨) વિશેષ જ્ઞાનવંત મુનીઓની સેવા કરવી તે બહુશ્રુત ભક્તિ ભાવના. (૧૩) બાર અંગ અને પૂર્વાગોની ઉત્કૃષ્ટ ભક્તિ તે પ્રવચન ભક્તિ ભાવના. (૧૪) દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવની અપેક્ષા પૂર્વક વંદના, સ્તુતિ પ્રતિક્રમણ-સામાયિક
પ્રત્યાખ્યાન-કાયોત્સર્ગ પાલન કરવું તે આવશ્યક પરિણાણિ ભાવના. (૧૫) જિન પૂજા રચી જાત્રા કરી અને તપ અને જ્ઞાન વડે જૈન ધર્મને પ્રકાશીત કરવો તે
માર્ગ પ્રભાવના ભાવના. (૧૬) જૈન ધર્મમાં શિષ્યોને સ્થિર કરવા, ધર્મમાં પ્રેમ રાખવો, બધા જ જીવો પર વાત્સલ્ય
દાખવવું તે વાત્સલ્ય ભાવના. આવી સોળ ભાવનાઓનું વારંવાર ચિંતન કરવું.
(૮)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org