________________
ક જ જેન સનાતન વીતરાગ દર્શન -0-0-0-
વસ્તુનું સ્વરૂપ જ આવે છે. આ પ્રમાણે સાધતાં વસ્તુ માત્ર સધાય છે. આમ માનનાર જીવ સમ્યગ્દષ્ટિ છે. મિથ્યાષ્ટિ જીવો એમ માનતા નથી વસ્તુ સ્વરૂપ તો આ પ્રમાણે જ વિચારવું(૧) દરેક દ્રવ્ય પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ટકાવીને પરિણમી રહ્યું છે. દરેક દ્રવ્ય
પોતાના સ્વરૂપમાં નિષ્ટ છે. (૨) વસ્તુનું પરિણમન ક્રમબદ્ધ છે. દરેક પર્યાય પોતાના સ્વસમયે જ થાય છે,
અને પોતાના ક્રમમાં. (૩) એ પરિણમનપણ પોતાની તે સમયની ઉપાદાનની યોગ્યતા પ્રમાણે છે,
ત્યારે કોઈ પણ નિમિત્તની હાજરી હોય છે – છતાં નિમિત્ત કાંઈ કરતું નથી. સ્યાદ્વાદીના મતમાં “જ્ઞાન વસ્તુ” એવું પ્રાપ્ત થાય છે એક સત્તાને દ્રવ્યરૂપ તથા પર્યાયરૂપ માને છે એવા જે સમ્યગ્દષ્ટિ જીવો તેમના મતમાં “જ્ઞાન વસ્તુ જેવી શેયથી થતી કહી, વિનસતી કહી એવી નથી. જેવી છે તેવી જ છે. શેયથી ભિન્ન સ્વયંસિદ્ધ પોતાથી છે; એકાંતવાદીના મતમાં મૂળથી લોપ થઈ ગયું હતું તે જ જ્ઞાન સ્યાદવાદીના મતમાં જ્ઞાનસ્વરૂપે પ્રગટ થયું. જે વસ્તુમાં અનંતશક્તિપણે છે તે જ પર્યાયમાં પ્રગટ થાય છે. અનાદિથી સ્વયંસિદ્ધ વસ્તુરૂપ પ્રગટ છે, એવું અમિટ જ્ઞાનવસ્તુનું સહજ તેના ન્યાય કરતાં, અનુભવ કરતાં “આમ જ છે” એવા સત્ત્વપણાના કારણથી, અનુભવ
નિર્વિકલ્પ” છે. (૭) યુક્તિ એવી છે કે જ્ઞાનવસ્તુ દ્રવ્યપણે વિચારતાં પોતાના સ્વરૂપે છે, પર્યાયરૂપે
વિચારતાં શેયથી છે. જ્ઞાનવસ્તુ દ્રવ્યરૂપે જ્ઞાન માત્ર છે, પર્યાયરૂપે ઘટજ્ઞાનમાત્ર છે તેથી પર્યાયરૂપે જોતાં ઘટજ્ઞાન જે પ્રકારે કહ્યું છે કે, “ઘટના સદ્ભાવમાં છે, ઘટ નહિ હોતાં નથી.” એમ જ છે. આ રીતે અનેકાન્તને સાધતા વસ્તુસ્વરૂપ સધાય છે. જ્ઞાનવસ્તુ છે તેનું લક્ષણ છે સ્વ-પર પ્રકાશક: સમસ્ત શેયોનું જાણપણું; તેથી એમ કહેતાં સ્વભાવ સધાય છે. સ્વસ્વભાવ સધાતા વસ્તુ સધાય છે. આથી એમ કહેવાય છે કે વસ્તુને દ્રવ્ય-પર્યાયરૂપ માને છે એવા અનેકાન્તવાદી જીવ જ્ઞાનવસ્તુ છે એમ સાધવાને સમર્થ છે. સ્યાદવાદી જ્ઞાનવસ્તુને સમસ્ત શેયથી નિરાળી માને છે. સમસ્ત શેયથી ભિન્નરૂપ પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાયથી જેવી છે તેવી અનાદિથી સ્વયંસિધ્ધ નિષ્પન્ન છે. એવી છે જ્ઞાનવસ્તુ. જે જે વસ્તુ છે તે પરવસ્તુની અપેક્ષાએ વસ્તુરૂપ
(૮)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org