________________
(૪)
જે ના
છે કે જેને સનાતન વીતરાગ દર્શન જ્ઞાનગુણથી સ્વાનુભવગોચર થાય છે. સકળ કર્મથી ભિન્ન હોતાં કોઈ બાધા કરવાને સમર્થ નથી. જ્ઞાન માત્ર જીવ દ્રવ્ય' એમ કહ્યું, ત્યાં કોઈ આશંકા કરે છે કે જૈનમત સ્યાદ્વાદમૂલક
છે, તો પછી એમ કહ્યું ત્યાં એકાંતપણું થયું, સ્યાદ્વાદ તો પ્રગટ થયો નહિ. (૩) “જ્ઞાન માત્ર જીવ દ્રવ્ય” એમ કહેતાં અનેકાન્તપણે કેમ ઘટે છે?
જ્ઞાનમાત્ર જીવ દ્રવ્યમાં સ્યાદ્વાદ - એક સત્તામાં સામાન્ય વિશેષ, અસ્તિ-નાસ્તિ, એક-અનેક, નિત્ય-અનિત્ય ઈત્યાદિ અનેકાન્તપણે કેવી રીતે ઘટે છે તે કહેવામાં આવે છે. જે જ્ઞાનમાત્ર જીવનું સ્વરૂપ છે, તેમાં પણ ચાર પ્રશ્ન વિચારણીય છે. (અ) જ્ઞાન શેયના સહારાનું છે કે પોતાના સહારાનું? (બ) જ્ઞાન એક છે કે અનેક છે? (ક) જ્ઞાન અસ્તિરૂપ છે કે નાસિરૂપ છે?
(ડ) જ્ઞાન નિત્ય છે કે અનિત્ય છે? (૫) જગતમાં જે કાંઈપણ છે તે દ્રવ્ય-પર્યાયરૂપ છે.
ટકીને બદલવું એ વસ્તુનું સ્વરૂપ છે. તેથી જ્ઞાનપણ દ્રવ્યરૂપ છે, પર્યાયરૂપ છે. દ્રવ્યરૂપ કહેતાં નિર્વિકલ્પ જ્ઞાનમાત્ર વસ્તુ; પર્યાયરૂપ કહેતાં સ્વજોય અને પરણેયોને જાણતું થયું શેયની આકૃતિ – પ્રતિબિંબરૂપ પરિણમે છે જે – જ્ઞાન જ્ઞાનને વસ્તુમાત્રથી કહેતાં પોતાના સહારાનું છે જ્ઞાનને પર્યાયરૂપથી કહેતાં જ્ઞાન શેયના સહારાનું છે. જ્ઞાનને વસ્તુમાત્રથી કહેતાં એક છે. જ્ઞાનને પર્યાયમાત્રથી કહેતાં અનેક છે. જ્ઞાનને વસ્તુરૂપથી વિચારતાં જ્ઞાન અસ્તિરૂપ છે. જ્ઞાનને પર્યાયરૂપથી વિચારતા જ્ઞાન નાસ્તિરૂપ છે. જ્ઞાનને વસ્તુમાત્રથી કહેતાં જ્ઞાન નિત્ય છે. જ્ઞાનને પર્યાયમાત્રથી કહેતાં જ્ઞાન અનિત્ય છે. આવા પ્રશ્ન કરવામાં આવતાં આ પ્રમાણે સમાધાન કરવું. સ્યાદ્વાદ આનું નામ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org