________________
()
8 8 8 8 8 8 જૈન સનાતન વીતરાગ દર્શન
પ્રેરણાદાયક
(૫) દૃષ્ટિના નિધાન વીતરાગદેવ એમ કહે છે કે મારી વાણી વડે જણાય એવો તું નથી. તું તારા વડે જણાય એવો છે. આહાહા! આવું સત્ય વીતરાગ વિના કોણ કહે ? દિવ્યધ્વનિ કે શાસ્ત્રથી જણાય એવો આત્મા નથી. તું તારાથી જ જણાય એવો છે. જેમાં કોઈ પરની અપેક્ષા આવે નહિ એ માર્ગે જવામાં કેટલી ધીરજ જોઈએ. ભાઈ ! તું તારાથી જ જણાય એવો મહાપ્રભુ છો – એમ શ્રદ્ધાને તો દઢ કર ! પહેલાં વિકલ્પ સહિત તો આવો નિર્ણય કર! એ નિર્ણય એવો પાકો થવો જોઈએ કે ઉપરથી ઈન્દ્ર ઊતરે તો પણ ફરે નહિ એવો દૃઢ નિર્ણય કર. પછી અંદર જતાં નિર્વિકલ્પ સમ્યગ્દર્શન થશે. જે કાળે જે ગુણની વિકારી કે અવિકારી જે પર્યાય થવાની તે જ થવાની એ તો વસ્તુસ્થિતિ જ છે. શુભરાગ કે અશુભરાગ જે આવવાનો તે જ આવવાનો, પણ ઉપદેશ એમ ન હોય.. પ્રશ્ન : પુરુષાર્થ કામ ન લાગે – ફેરવી ન શકે? ઉત્તર : ફેરવી શું શકે? રાગની રુચિ ફેરવી નાખવી એ જીવના પોતાના અધિકારની
વાત છે. પછી રાગ તો જે આવવાનો તે જ આવવાનો; પુરુષાર્થ સ્વભાવની દિશામાં વાળવાનો છે. પુરુષાર્થ સ્વભાવની દિશામાં વળ્યો પછી પણ રાગ મંદ કે તીવ્ર જે આવવાનો તે જ આવવાનો. પણ તેનોય જ્ઞાતાપણે જાણનાર છે. અજ્ઞાનીને પણ રાગ જે આવવાનો તે જ
આવવાનો પણ ઈ જે રાગ થાય છે તેનો કર્તા બને છે. (૩) મુમુક્ષુને સત્સમાગમ વગેરેનો શુભભાવ આવે, પણ સાથે-સાથે અંદર શુદ્ધતાનું
ધ્યેય-શોધકવૃત્તિ-ચાલુ રહે છે. જે શુદ્ધતાને ધ્યેયરૂપે કરતો નથી અને પર્યાયમાં ગમે તેટલી અશુદ્ધતા હોય તેથી મારે શું – એમ સ્વચ્છંદપણે વર્તે છે તે શુષ્કજ્ઞાની છે. મુમુક્ષુ જીવ શુષ્કજ્ઞાની ન થઈ જાય, હૃદયને ભિંજાયેલું રાખે. ગમે તેવા પાપના ભાવ આવે તેની દરકાર નહિ તે સ્વચ્છંદી છે, સ્વતંત્ર નહિ. જેને પાપનો ભય નથી, પરથી ને રાગથી ઉદાસીનતા આવી નથી તે જીવ લુખો છે. ભાઈ! પાપનું સેવન કરીને નરકે જઈશ, તિર્યંચમાં જઈશ. કુદરતના નિયમથી વિરુદ્ધ કરીશ તો કુદરત તને છોડશે નહિ. માટે હૃદયને ભિજાયેલું રાખવું અહા! બહુ આકરું કામ ભાઈ!
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org