________________
488 ? 8 8 [ જૈન સનાતન વીતરાગ દર્શન
(૫) જ્ઞાયકનો પાકો નિર્ણય કરવો તે પુરુષાર્થ છે. (૬) શ્રદ્ધાનું જોર ધ્રુવ જ્ઞાયક તરફ થઈ જવું તે પુરુષાર્થ છે.
(૭) ‘હું આ રહ્યો સ્વભાવે શાયક' આ એક વાક્યમાં બાર અંગનો સાર છે. આ પરને જાણું તો જ્ઞાયક એમ નહીં પણ ‘સ્વભાવે જ્ઞાયક જ છું’ એવી પરિણતિ ઘડાઈ જવી તે જ જ્ઞાયકનું અવલંબન.
(૮) અનંતકાળથી તું પોતે કર્તા થઈ ને પર્યાય પર જોર આપતો આવ્યો છે, હવે તું સ્વયં કર્તા થઈને પૂર્ણ જ્ઞાયકભાવ પર લક્ષ કર, જોર દે, ત્યાં એકાગ્રતા કર. બસ સર્વ શાસ્ત્રોનો આ સાર છે.
(૯) શાસ્ત્રોના શબ્દોને પોતાની પરિણતિ સાથે મેળવતા શીખ ‘પુણ્ય-પાપ બંને સરખા છે.’ ‘એક તૃણના બે કટકા કોઈ કરી શકતું નથી.’ ‘મને પોતાને એમ વેદનમાં લાગે છે' એમ પરિણતિમાં લાગે તો માર્ગ સૂઝે.
(૧૦) આત્માની મહિમાપૂર્વક પરિણતિમાં પલટો થવો તે મોક્ષમાર્ગ છે.
(૪) પરમાર્થની શિક્ષા (નાટક સમયસાર-શ્લોક ૨૪) જીવદ્વાર
‘બનારસી કહે, ભૈયા ભવ્ય સુનો મેરી સીખ;
કૈ હું ભાંતિ કૈસે હું કૈ એસો કાજુ કીજિએ । ‘એક હૂં મુહરત’ મિથ્યાતકી વિધુંસ હોઈ, ગ્યાનકો જગાહ અંશ, હંસ ખોજિ લીજીએ વાહી કૌ વિચાર, વાકો ધ્યાન ય હૈ કૌતુહલ, યૌંહી ભરિ જનમ પરમ રસ પીજિએ ।
તજિ ભવ વાસકો વિલાસ સવિકારરુપ, અંત કરિ મોહકો, અનંતકાલ જીજિએ ॥૨૮॥
-
ભાવાર્થ : પં. બનારસદાસજી કહે છે – હે ભાઈ ભવ્ય ! મારો ઉપદેશ સાંભળો કે કોઈપણ ઉપાયથી અને કોઈપણ પ્રકારનો બનીને એવું કામ કર જેથી માત્ર અંતર્મુહતને માટે મિથ્યાત્ત્વનો ઉદય ન રહે, જ્ઞાનનો અંશ જાગૃત થાય, આત્મ સ્વરૂપની ઓળખાણ થાય. જિંદગીભર તેનો જ વિચાર તેનું જ ધ્યાન, તેની જ લીલામાં પરમરસનું પાન કરો અને રાગ-દ્વેષમય સંસારનું પરિભ્રમણ છોડીને તથા મોહનો નાશ કરીને સિદ્ધપદ પ્રાપ્ત કરો.
૬૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org