________________
48_448 જૈન સનાતન વીતરાગ દર્શન
8
!
(૪) સત્સંગ અને સ્વાધ્યાય એ તો નોળવેલ. તેમાંથી સુગંધ સ્ફુરે અને સંસારના વિષયવિકારને તોડી આત્માની ધૂન લગાડે છે.
(૫) ‘દૃષ્ટિ’ કાંઈ ઉપયોગાત્મક પરિણામને સ્વ તરફ વાળવારૂપ ક્રિયાથી નથી. ‘દૃષ્ટિ’ તો મુમુક્ષુ જીવના પોતાના આત્માનું સ્વરૂપ, પદાર્થનું ‘તાત્ત્વિક સ્વરૂપ' યથાર્થ સમજીને અંતરંગ ઉહા-પોહ દ્વારા યથાતથ્ય ‘કિંમત સહ નિર્ણય’ છે. એવું થતાં અંતરંગ પરિણતિમાં એવું થાય કે ‘વાહ !’ આ તો અદ્ભુત છે - એવું લાગે. એવો પોતાનો શાયક સ્વભાવ અત્યંત સુંદર લાગવો એવો યથાર્થ ‘પ્રતીતિ ભાવ જોરરૂપભાવનું નામ ‘ષ્ટિ’ છે. પોતાના જ્ઞાયક સ્વભાવનું માહાત્મય એ જ મુખ્ય વાત છે.
(૬) પોતાનામાં ભરપૂરપણું ભાસે અને પરમાં ખાલીપણું લાગે તો સંસાર પ્રત્યે વિરકતી આવે.
(૭) સમસ્ત પ્રકારે આત્મામાં વસવું એટલે ‘પર્યુષણ’.
(૮) મોક્ષમાર્ગનો મુખ્ય આધાર ‘મોહ-ક્ષોભ રહિત જીવના ઉજમાળ પરિણમન’ હોય છે. (૯) આત્મા કલ્યાણ માટે આત્મામાં શૂરવીરતા કરવાની છે.
(૧૦) જે કોઈ મોક્ષ સ્વરૂપે કે મોક્ષના અંશરૂપે પરિણમેલા નિર્વિષયી, નિર્વિકારી, ઉપશાંતમૂર્તિ, શાંતમુદ્દાધારી મહાત્માને જોઈને તેમના જેવા થવાનો નિષ્કારણ શોખ જેને હોય તે સાચો મુમુક્ષુ કે આત્માર્થી થવાને યોગ્ય છે. (૩) જ્ઞાયકનો મહિમા
(૧) ‘હું ભરચક ભરેલો ધ્રુવ જ્ઞાયક છું' એ તો જૈન શાસનનો પાયો છે, તે તો અધ્યાત્મની ધરી છે, તે જ મૂળમંત્ર છે. શુદ્ધિ પ્રગટ કરવા જેવી છે પણ તેનો આધાર શું? કઈ વિધિથી શુદ્ધિ પ્રગટ થશે? ‘ધ્રુવ જ્ઞાયકના જોરે' પ્રારંભથી પૂર્ણતા સુધી બધું ધ્રુવજ્ઞાયકના જોરમાં સમાયેલું છે.
(૨) અભેદ જ્ઞાયકનું જોર થતાં સમક્તિ, ‘હું તો ધ્રુવ જ્ઞાયક જ' શ્રદ્ધાના જોરે સિદ્ધ સંસારમાં આવતા નથી.
(૩) ‘હું પરિપૂર્ણ ચૈતન્ય ચક્રવર્તી છું’ એવી જે સંતોષવૃત્તિ, તૃપ્તિ તે જ પુરુષાર્થ છે. (૪) ‘મારું કંઈ ગયું નથી, હું તો એવો ને એવો પરિપૂર્ણ જ્ઞાયક છું' એમ ભાવભાસન થવું તે પુરુષાર્થ છે.
Jain Education International
65
For Personal & Private Use Only
www.jainelibrary.org