________________
188 8 8 8 જેને સનાતન વીતરાગ દર્શન
'‘સમયસાર’ નો રાાર 8
(હું એક જ્ઞાયક ભાવ છું)
(૧) આત્મવિભુનો અદ્ભુત વૈભવ સમયસારની શરૂઆતમાં જ કુંદકુંદાચાર્યદેવે આત્મામાં સિદ્ધપણું સ્થાપીને મંગળ કર્યું છે. “હું સિદ્ધ અને તું પણ સિદ્ધ અંતર્મુખ થયેલી જ્ઞાનપર્યાયમાં એટલી તાકાત છે કે વિકારને કાઢી નાખીને અનંતા સિદ્ધપ્રભુને પોતામાં સ્થાપે. સિદ્ધપણું સ્થાપ એટલે કે સિદ્ધ જેવા સ્વભાવથી ભરેલો તારો, આત્મા તેને જ્ઞાનમાં લઈને પર્યાયમાં તું તેવો થઈ જા! - રાગ નહિ, વિકલ્પ નહિ, કર્મ નહિ, દેહ નહિ, સંયોગો નહિ, અપૂર્ણતા નહિ. સિદ્ધ જેવો પૂર્ણ તાકાતવાળો હું છું એમ સ્વીકારીને સિદ્ધને પોતામાં સાથે રાખીને જે ઊપડ્યો તે જીવ સિદ્ધ પરિણતિને લીધા વગર પાછો ફરે નહિ.
અહો ! અમે અનંત સિદ્ધોને મારા ને તારામાં સ્થાપ્યા; હે જીવ! અમારી પાસે તું “શુદ્ધ આત્મા કોણ છે?” એ સાંભળવા આવ્યો છે એટલે તું સતનું એટલું તો બહુમાન લઈને આવ્યો છે કે તેને સિદ્ધપણું ગમશે અને વિકાર નહિ ગમે.
તો અમે તને તારું સિદ્ધપણું સંભળાવીએ છીએ ને તારો શુદ્ધ આત્મા દેખાડીએ છીએ. તે સાંભળીને તું તારા આત્મામાં સિદ્ધપણું સ્થાપ. હવે અમે સમસ્ત નિજવૈભવથી તને તારા આત્માનો વૈભવ બતાવીએ છીએ અનંતા સિદ્ધોને તારી પર્યાયમાં સમાવી દે, એટલે કે શ્રદ્ધા-જ્ઞાનમાં લઈને તું પણ સિદ્ધ થા એવી તારા આત્મવૈભવની તાકાત છે. તેની સામે જોઈને આવા તારા સામર્થ્યની હા પાડ! તારા શ્રદ્ધા-જ્ઞાનરૂપી આંગણું ચોખ્ખું કરીને તેમાં સિદ્ધ પ્રભુને પધરાવ! તારી પ્રભુતાની હા પાડીને સમયસાર સાંભળ! એટલે જરૂર તને પણ અમારા જેવો સ્વાનુભવ થશે. સ્વભાવના ભરોસે તને પણ અંદરથી હકાર આવશે ! વાહ રે વાહ! આ તો પ્રભુની પ્રાપ્તિનો અવસર આવ્યો!
(૨) તત્ત્વજ્ઞાન (૧) જ્ઞાયકના લક્ષે પંચપરામગમનો અભ્યાસ હૃદયના ઊંડાણથી કરવો - ધર્મબુદ્ધિથી
કરવો. એ જ જીવનમાં કરવા જેવું છે. (૨) તત્ત્વજ્ઞાન વગરનું જીવન ધૂળધાણી છે. (૩) પોતાની દિનચર્યામાં મુખ્યપણે તત્ત્વજ્ઞાન આવવું જોઈએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org