________________
18 1919 1918 19 જૈન સનાતન વીતરાગ દર્શન
જેને હજી રાગમાં મીઠાશ પડી છે અને પહેલાં અજ્ઞાનમાં રાગને ટાળવાની ચિંતા હતી તે પણ ક્રમબદ્ધ ક્રમબદ્ધ કરીને મટી ગઈ છે તેને તો મિથ્યાત્વની પુષ્ટિ વધી છે. તેણે તો મિથ્યાત્વને તીવ્ર કર્યો છે. રાગ મારો નથી એમ કહે અને આનંદ સ્વરૂપની દૃષ્ટિ નથી તો તેણે તો મિથ્યાત્વને વધાર્યું છે. ભાઈ ! આ તો કાચા પારા જેવું વીતરાગનું સૂક્ષ્મ રહસ્ય છે. અંતરથી પચાવે તો વીતરાગતાની પુષ્ટિ થાય અને
તેનું રહસ્ય ન સમજે તો મિથ્યાત્વને પુષ્ટ કરે. (૨૩) પોતાની ભૂમિકાને યોગ્ય થતાં વિકારી ભાવોને જે છોડવા માંગે છે તે પોતાની વર્તમાન
ભૂમિકા સમજી શક્યો નથી, માટે તેનું જ્ઞાન મિથ્યા છે. અને જેને વર્તતા વિકારી ભાવોનો નિષેધ આવતો નથી પરંતુ મીઠાશ વેદાય છે તો એ પણ વસ્તુ સ્વરૂપ સમજ્યો નથી. તેથી તેનું જ્ઞાન મિથ્યા છે. જ્ઞાનીને તો રાગને રાખવાની ભાવના
હોતી નથી અને રાગને ટાળવાની આકુળતા હોતી નથી. (૨૪) આત્માની અનુભૂતિની વિધિઃ
(૧) આત્માને સદાય ઊર્ધ્વ એટલે મુખ્ય રાખવો. (૨) ગમે તે પ્રસંગ આવે પણ દ્રવ્યસ્વભાવને મુખ્ય રાખવો. (૩) શુભાશુભ પરિણામ આવે ભલે, પણ કાયમ દ્રવ્યસ્વભાવનું ધ્યેય રાખવું. (૪) આત્માને મુખ્ય રાખતાં જે દશા થાય તે નિર્મળદશાને સાધન કહેવાય છે.
નિર્મળ વર્તમાન જ્ઞાનની પર્યાય જે સ્વભાવ તરફ ઢળી છે તે સાધન છે. (૫) તે વર્તમાન જ્ઞાનની પર્યાયનું સાધ્ય કેવળજ્ઞાન કરવું તે છે. (૬) તે વર્તમાન જ્ઞાનની પર્યાયનું ધ્યેય પૂર્ણ શુદ્ધાત્મા છે. (૭) કષાયની મંદતા કે જ્ઞાનના ઉઘાડની મુખ્યતા હશે તેની દૃષ્ટિ સંયોગ ઉપર
જશેઃ (આ સુચના છે). આત્માની ઊર્ધ્વતાની રુચિ ને જિજ્ઞાસા હોય તેનો પ્રયાસ થયા વિના રહે જ નહિ. (આ પુરુષાર્થની વાત છે). આત્માના અનુભવ પહેલાં પણ સાચી જિજ્ઞાસા હોય તેને અવ્યક્તપણે આત્માની ઊર્ધ્વતા હોય. હજુ આત્મા જાણવામાં આવ્યો નથી પણ
અવ્યક્તપણે ઊર્ધ્વતા થાય. (રુચિ, પ્રતીતિ, જિજ્ઞાસા, લક્ષ અને એકાગ્રતા) (૧૦) આત્મા અનુભવમાં આવે ત્યારે વ્યક્ત-પ્રગટ ઊર્ધ્વતા થાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org