________________
જ88888 19 જૈન સનાતન વીતરાગ દર્શન -
બંધ મોક્ષને કરતું નથી પણ જાણે જ છે. આહાહા! મોક્ષને જાણે છે, મોક્ષને કરે છે એમ કહ્યું નથી. પોતાના થતા ક્રમસર પરિણામને કરે છે એમ નહિ પણ જાણે છે. એમ કહ્યું. ગજબ વાત છે. ક્રમબદ્ધપર્યાયનો સિદ્ધાંત એ તો સર્વ આગમના મંથનનો
સાર છે. ક્રમબદ્ધમાં અકર્તાપણું સિદ્ધ કરે છે. (૧૮) ખરેખર તો વિકારી પર્યાય પર્યાયના કારણે થાય છે. જ્ઞાયક પ્રભુ એનો પણ જાણનાર
દેખનાર છે, અને સંવર-નિર્જરાની પર્યાય પણ પર્યાયને કારણે થાય છે. મોક્ષમાર્ગને કારણે મોક્ષ થાય છે એમ કહેવું એ પણ વ્યવહાર છે. ખરેખર તો પર્યાય-એની તે
સમયની યોગ્યતા-લાયકાતના કારણે થાય છે. (સ્વયંભૂ) (૧૯) જમ સર્વજ્ઞને લોકાલોક શેય છે. લોકાલોકને સર્વજ્ઞ જાણે છે, તેમ સર્વજ્ઞ સ્વભાવીને
દૃષ્ટિમાં લીધો છે એવો સમ્યગ્દષ્ટિ સર્વજ્ઞની જેમ રાગને જાણે જ છે. સર્વજ્ઞને જાણવામાં લોકાલોક નિમિત્ત છે, તેમ સમ્યગ્દષ્ટિને જાણવામાં રાગ નિમિત્ત છે. સમ્યગ્દષ્ટિ રાગને કરતો જ નથી પણ લોકાલોકને જાણનાર સર્વજ્ઞની જેમ સમ્યગ્દષ્ટિ રાગને જાણે જ છે. આમ વસ્તુસ્થિતિ છે અને આમ જ અંદરથી બેસે છે, આમ જ અંદરથી આવે છે અને આમ જ વસ્તુની સ્થિતિ છે. આ વાત ત્રણ કાળ ત્રણ
લોકમાં ફરે તેમ નથી. (૨૦) શ્રદ્ધા એવી હોય કે રાગને ઘટાડે, જ્ઞાન એવું હોય કે રાગને ઘટાડે, ચારિત્ર એવું હોય
કે રાગને ઘટાડે. શાસ્ત્રનું તાત્પર્ય વીતરાગતા છે. ક્રમબદ્ધની શ્રદ્ધા પણ એને કહેવાય કે જે રાગને ઘટાડે. ક્રમબદ્ધની શ્રદ્ધામાં અકર્તાપણું આવે છે. જે થાય તેને કરે શું? જે થાય તેને જાણે છે. જાણનાર રહેતાં, જ્ઞાતા રહેતાં, રાગ ટળતો જાય છે ને વીતરાગતા વધતી જાય છે.. વીતરાગતા વધવી તે જ શાસ્ત્રનું તાત્પર્ય છે. - જીવનો પર્યાય સ્વકાળે સ્વતંત્ર પરિણમે છે અને એ ક્રમબદ્ધ જ છે એવો નિર્ણય કરે એ અકર્તા થાય અને તે જ પુરુષાર્થ છે. અકર્તાપણું જ્ઞાતાદૃષ્ટા સ્વભાવના આશ્રયે થાય છે તેમાં અનંત પુરુષાર્થ આવે છે. ક્રમબદ્ધનો નિર્ણય સ્વભાવ સન્મુખના
અનંત પુરુષાર્થપૂર્વક જ થાય છે. (૨૧) પ્રશ્ન ઃ પરની પર્યાયને તો કરે નહિ પણ પોતાની પર્યાયને પણ કરે નહિ? ઉત્તર : પોતાની પર્યાય પણ સ્વકાળે થાય જ છે તેને કરે શું? ખરેખર તો જ્ઞાતાદૃષ્ટા
જ છે. પ્રયત્નપૂર્વક મોક્ષને કર એમ કથન આવે, કમર કસીને મોહને જીતવો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org